SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય સમ્યગ્દર્શનના અતિચારો છે. શંકા, કાંક્ષા, અને વિચિકિત્સા શબ્દની વ્યાખ્યા જ્ઞાનાધાવીરછથનમ્ (૨-૧૧) એ સૂત્રમાં જે પ્રમાણે કહી છે તે પ્રમાણે જ જાણવી. અન્યદૃષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવની વ્યાખ્યા આ પ્રમાણે છે - અન્યદૃષ્ટિ એટલે સર્વજ્ઞપ્રણીત દર્શનથી અન્ય શાક્ય, કપિલ, કણાદ અક્ષપાદ વગેરે પુરુષોએ રચેલા દર્શનમાં = મતમાં) રહેલા પાખંડીઓ. તેમની ““આ લોકો પુણ્યશાલી છે, એમનો જન્મ સફલ છે, એ લોકો દયાળુ છે' ઈત્યાદિ પ્રશંસા કરવી તે અન્યદૃષ્ટિ પ્રશંસા. સંસ્તવ એટલે પરિચય. અન્યદૃષ્ટિઓની સાથે રહેવાથી તેમને વસ્ત્ર આપવું, નિવાસ આપવો, ભોજન આપવું, તેમની સાથે બોલવું વગેરે રીતે તેમનો પરિચય કરવો તે અન્યષ્ટિસંસ્તવ. પ્રશ્નઃ સંસ્તવ શબ્દનો અર્થ સ્તુતિ કરવી એવો છે, તો અહીં પરિચય' અર્થ કેમ કર્યો? ઉત્તર : લોકમાં સંપૂર્વક તુ ધાતુ પરિચય અર્થમાં પ્રસિદ્ધ છે. જેમકે સંસ્તુતેષુ પુ ( = બલાત્કારથી અપરિચિત ભયોમાં) ઈત્યાદિ સ્થળે સંપૂર્વક તુ ધાતુ પરિચય અર્થમાં છે. શંકા વગેરે પાંચ દોષો સમ્યગ્દર્શનના અતિચારો = વિરાધનાના પ્રકારો છે. કારણ કે શંકા વગેરે દોષો શુદ્ધ તત્ત્વશ્રદ્ધામાં બાધા કરનારા છે. (૨૧) तथा- व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् ॥२२॥१५५॥ इति । व्रतेषु अणुव्रतेषु शीलेषु च गुणव्रत - शिक्षापदलक्षणेषु पञ्च पञ्च यथाक्रम यथापरिपाटि अतीचारा भवन्तीति सर्वत्रानुवर्तते इति ।।२२।। વ્રતમાં અને શીલમાં ક્રમશઃ પાંચ પાંચ અતિચારો થાય છે. વ્રત એટલે અણુવ્રતો. શીલ એટલે ગુણવ્રતો અને શિક્ષાવ્રતો . (૨૨) तत्र प्रथमाणुव्रतेવિશ્વ-વધ-વિવા-sતિમાપા -ડત્રપાનનિરોઘા તારરૂા ૧દ્દા રૂતિ स्थूलप्राणातिपातविरतिलक्षणस्याणुव्रतस्य बन्धो वधः छविच्छेदोऽतिभारारोपणमन्नपाननिरोधश्चेत्यतीचाराः, तत्र बन्यो रज्जुदामकादिना संयमनम्, वधः कशादिभिर्हननम्, छविः त्वक्, तद्योगाच्छरीरमपि छविः, तस्य छेदः असिपुत्रिकादिभिः ૧૪૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy