SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૭૩ ગાથાર્થ– અહીં નિશ્ચયથી જે મૌન છે તે સમ્યકત્વ છે. જે સમ્યકત્વ છે તે મૌન છે. ઇતરના=વ્યવહારનયના મતે સમ્યક્ત્વનો હેતુ પણ સમ્યકત્વ છે. - ટીકાર્થ=નિશ્ચયથી–જે મૌન છે તે સમ્યક્ત્વ છે. જે સમ્યકત્વ છે તે મૌન છે એ નિયમ નિશ્ચયનયના મતથી જ છે. (વ્યવહાર નયના મતથી નથી.) મૌન– જગતની ત્રિકાળાવસ્થાને જાણે તે મુનિ. મુનિકતપસ્વી. મુનિનો ભાવ તે મૌન, અર્થાત્ મુનિનું સંપૂર્ણ આચરણ. આ વિષે આચારાંગમાં (અ.૫, ઉ.૩, સૂ.૧૫૫) કહ્યું છે કે– “જે મૌન છે તેને તમે સમ્યકત્વ જુઓ. જે સમ્યકત્વ છે તેને મૌન જુઓ.” અહીં ભાવ આ પ્રમાણે છે– સમ્યક શબ્દથી સમ્યજ્ઞાન અને સમ્યકત્વ એ બંનેનું ગ્રહણ થાય. કારણ કે બંને સાથે રહેનારા છે. મૌન એટલે સંયમાનુષ્ઠાન. નિશ્ચયનયનું કહેવું છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે. એટલે જ્ઞાનની સાથે વિરતિ હોય તો જ સમ્યજ્ઞાન કહેવાય. જે કારણ પોતાનું કાર્ય ન કરે તેને કારણ ન કહેવાય. એથી જો સમ્યજ્ઞાનની સાથે વિરતિ ન હોય તો સમ્યજ્ઞાન પણ નથી. એથી નિશ્ચયની દષ્ટિએ સમ્યજ્ઞાન અને સંયમાનુષ્ઠાન એ બંને સાથે રહેનારા થયા અને સમ્યજ્ઞાન હોય ત્યાં સમ્યકત્વ હોય જ. માટે સમ્યક્ત્વ એ જ મૌન (=સંયમાનુષ્ઠાન) અને મૌન એ જ સમ્યક્ત્વ. આમ નિશ્ચયનયની દૃષ્ટિએ મુનિમાં જ સમ્યક્ત્વ હોય. - “જે જીવ આગમમાં વિહિત અનુષ્ઠાનોને આગમમાં કહ્યું છે તે પ્રમાણે કરતો નથી તેનાથી બીજો કયો જીવ મિથ્યાદષ્ટિ હોઈ શકે ? અર્થાત્ વિહિત અનુષ્ઠાનોને આગમ મુજબ નહિ કરનાર જ મિથ્યાદષ્ટિ છે. કારણ કે બીજાઓના મનમાં સદનુષ્ઠાન સંબંધી શંકા ઉત્પન્ન કરતો તે પોતાના (અને પરના) મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે.” ઈત્યાદિ વચન પ્રમાણભૂત હોવાથી નિશ્ચયનય સંયમાનુષ્ઠાન હોય ત્યારે જ સમ્યક્ત્વને સ્વીકારે છે. પણ વ્યવહારનય કહે છે કે જે સમ્યકત્વનો હેતુ હોય તેને પણ કારણમાં કાર્યના ઉપચારથી સમ્યકત્વ ૧. ભાવાર્થ- સાધુને અનુચિત આચરણ કરતો જોઇને બીજાને શંકા થાય કે જિન પ્રવચનમાં સદનુષ્ઠાનો કહ્યાં જણાતા નથી. જો જિન પ્રવચનમાં સદનુષ્ઠાનો કહ્યાં હોય તો આ અનુચિત આચરણ કેમ કરે ? આમ બીજાઓના મનમાં શંકા ઉત્પન્ન કરીને તે તેમનું મિથ્યાત્વ વધારે છે, અને તેમાં પોતે નિમિત્ત બનવાથી પોતાનું પણ મિથ્યાત્વ વધારે છે. (પંચવસ્તુક ગાથા ૧૬૬૬).
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy