SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૪ ત્રસ જે કર્મના ઉદયથી જીવ (સ્વેચ્છાથી) ચાલી શકે, અને અંગાદિને હલાવી શકે છે, તે ત્રસ નામકર્મ. બીજાઓ કહે છે કે જીવને ત્રસપણું જ મળે (એટલે કે જીવ ત્રાસ કહેવાય) તે ત્રસ નામકર્મ. સ્થાવર- જેના ઉદયથી જીવ (સ્વેચ્છાથી) ગતિ ન કરી શકે તે સ્થાવર નામકર્મ. બીજાઓ કહે છે કે જીવને સ્થાવરપણું જ મળે (એટલે કે જીવ સ્થાવર કહેવાય) તે સ્થાવર નામકર્મ. બાદર– જેના ઉદયથી જીવ બાદર (=સ્થૂળ શરીરવાળો) થાય તે બાદર નામકર્મ. બીજાઓ કહે છે કે જેના ઉદયથી જીવ ઇંદ્રિયોથી જાણી શકાય તે બાદર નામકર્મ. સૂક્ષ્મ જેના ઉદયથી જીવ અત્યંત સૂક્ષ્મ થાય, અર્થાત્ ઇંદ્રિયોથી ન જાણી શકાય તેવો થાય, તે સૂક્ષ્મ નામકર્મ. પર્યાપ્ત- જેના ઉદયથી સ્વપ્રાયોગ્ય ઇંદ્રિય પર્યાપ્તિ વગેરે સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ થાય તે પર્યાપ્ત નામકર્મ. અપર્યાપ્ત– જેના ઉદયથી સ્વપ્રાયોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ ન થાય તે અપર્યાપ્ત નામકર્મ. અહીં આહાર-શરીર-ઇંદ્રિય પર્યામિની અપૂર્ણતા ન ગ્રહણ કરવી, કિંતુ શ્વાસોશ્વાસ આદિની અપૂર્ણતા ગ્રહણ કરવી. કારણ કે બધા ય જીવો આગામી ભવનું આયુષ્ય બાંધ્યા પછી જ મરે છે. આગામી ભવનું આયુષ્ય આહાર-શરીર-ઇંદ્રિય પર્યાતિથી પર્યાપ્ત જીવોને જ બંધાય છે. (આથી આ ત્રણ પર્યાતિઓ સર્વ જીવો અવશ્ય પૂર્ણ કરે છે.) (૨૨) पत्तेयं साहारण-थिरमथिरसुहासुहं च नायव्वं । सूभगदूभगनामं, सूसर तह दूसरं चेव ॥ २३ ॥ [प्रत्येकं साधारणं स्थिरमस्थिरं शुभाशुभं च ज्ञातव्यम् । सुभगदुर्भगनाम सुस्वरं तथा दुःस्वरं चैव ॥ २३ ॥] ૧. બીજી વ્યાખ્યા કરવાનું કારણ એ છે કે વાયુકાય-તેઉકાયના જીવો ગતિ કરે છે, છતાં તેમને સ્થાવર નામકર્મનો જ ઉદય હોય છે.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy