SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૩૪ સારી રીતે કહ્યા વિના અણુવ્રતો આપનાર સાધુને અનુમતિ થાય જ છે=સૂક્ષ્મ પ્રાણાતિપાતની અનુમોદનાનો દોષ લાગે જ છે. વિધિથી=સાધુધર્મને કહેવાપૂર્વક અણુવ્રતોનું પ્રદાન કરવું. શ્રુતવિશુદ્ધભાવવાળા-તત્ત્વજ્ઞાનના કારણે મધ્યસ્થ. અહીં દૃષ્ટાંત આ પ્રમાણે છે શ્રેષ્ઠિપુત્રોનું દૃષ્ટાંતા વસંતપુર નામનું નગર છે, તેમાં જિતશત્રુ નામનો રાજા છે. તેની ધારિણી નામની રાણી છે. અતિશય સુંદર નૃત્ય કરવાથી તેનો પતિ તુષ્ટ થયો. તેણે રાણીને કહ્યું: હું તારું શું પ્રિય કરું તે કહે. રાણીએ કહ્યું: કૌમુદી પર્વમાં રાતે અંતઃપુરની સ્ત્રીઓ ઈચ્છા મુજબ ફરે અને ઉત્સવ કરે તેવી મહેરબાની કરો. રાજાએ તે સ્વીકાર્યું. તે દિવસ આવી ગયો. રાજાએ નગરમાં ઘોષણા કરાવી. તે આ પ્રમાણે આજે રાતે જે પુરુષ નગરમાં રહેશે (=નગરની બહાર નહિ જાય) તેને હું શારીરિક સજા અને કઠોર દંડ કરીશ. તેથી રાતે બધા પુરુષો નગરમાંથી નીકળી ગયા. પણ એક શ્રેષ્ઠીના છ પુત્રો વ્યવહાર કરવામાં નામું લખવું વગેરે કાર્યોમાં રોકાયેલા હોવાથી જલદી ન નીકળ્યા. નગરના દરવાજા બંધ કરી દેવાયા. ભયથી ત્યાં જ રહ્યા. રાતે ઉત્સવ થઈ ગયો. બીજા દિવસે રાજાએ ચરપુરુષોને નગરમાં મોકલ્યા અને કહ્યું: કોણ નથી નીકળ્યો તે શોધો. તેમણે સૂમ બુદ્ધિથી શોધીને રાજાને કહ્યું: અમુક શ્રેષ્ઠીના છ પુત્રો નગરમાંથી નીકળ્યા નથી. ગુસ્સે થયેલા રાજાએ કહ્યું: દુર્વર્તન કરનારા તેમને મારી નાખો. રાજપુરુષોએ તેમને પકડ્યા. આ વાત સાંભળીને તેમનો પિતા રાજાની પાસે આવ્યો. તેણે રાજાને વિનંતિ કરી, હે દેવ ! એક અપરાધની ક્ષમા કરો. મારા પુત્રોને એકવાર છોડો. બીજો પણ કોઈ આ પ્રમાણે ન કરે એ કારણથી રાજા પુત્રોને છોડતો નથી. ફરી ફરી કહેવાતા રાજાએ “કુળનો ક્ષય ન થાઓ” એ કારણથી મોટા પુત્રને છોડી દીધો અને બાકીના પુત્રોને મારી નાખ્યા. અહીં સર્વ પુત્રોમાં સમભાવવાળા શ્રેષ્ઠીની બાકીના પુત્રોને મારવામાં અનુમતિ નથી. આ દૃષ્ટાંત છે. આનો ઉપનય આ પ્રમાણે છે- રાજા ૧. એકવાર રાજા અંતઃપુરની અંદર સુંદર વાજિંત્ર વગાડી રહ્યો હતો ત્યારે ધારિણી રાણીએ રાજાના હૃદયને અતિશય આનંદ આપનારું નૃત્ય કર્યું હતું.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy