SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર બીજું સૂત્ર (૩૦) યથાશક્તિ સંસારનું સ્વરૂપ કહેવાના સ્વભાવવાળા બનીને પરિવાર ઉપર ઉપકાર કરવો. (૩૧) પ્રત્યુપકારની અપેક્ષા વિના પરિવાર પ્રત્યે) અનુકંપા પરાયણ બનવું. (૩૨) સંસારના સ્વરૂપની વિચારણા કરીને ભાવથી (પરિવારાદિના) મમત્વથી રહિત બનવું. પરિવારની મમતાથી રહિત બનવાથી શો લાભ થાય તે કહે છે-જેમ પરિવાર સિવાયના જીવનું પાલન કરવાથી તેના ઉપર ઉપકાર કરવા દ્વારા ધર્મ થાય, તેમ મમત્વ રહિત બનીને પરિવારનું પાલન કરવા છતાં ધર્મ થાય. કારણ કે જીવો ઉપર ઉપકાર થાય છે. જેવી રીતે પરિવાર સિવાયના જીવનું કરુણાબુદ્ધિથી પાલન કરવામાં ધર્મ થાય તે રીતે મમત્વભાવ વિના (કવળ કરુણાબુદ્ધિથી કે ઔચિત્યબુદ્ધિથી) પરિવારનું પાલન કરવામાં પણ ધર્મ થાય. કારણ કે (નીવાવિશેષUTE) જીવ તરીકે બધામાં સમાનબુદ્ધિ છે, અર્થાત્ જેમ અન્યનું પાલન કરવામાં આ મારો છે એવી બુદ્ધિ વિના કોઇ જીવ છે એવી બુદ્ધિ છે તેમ પરિવારમાં પણ આ મારા છે એવી બુદ્ધિ વિના આ જીવો છે એવી બુદ્ધિ છે. એથી પરિવારમાં અને અન્યમાં જીવ તરીકે સમાનબુદ્ધિ છે. સર્વ જીવો જુદા જુદા છે. મમત્વ કર્મબંધનું કારણ છે, કારણ કે મમત્વ લોભરૂપ છે. કહ્યું છે કે“સંસારરૂપ સમુદ્રમાં કર્મરૂપ તરંગોથી ચારે બાજુ ફેંકાયેલા જીવો ભેગા થાય છે અને છૂટા થાય છે. તેમાં કોણ કોના બંધુ છે ?” તથા “જેમાં ફરી ફરી જન્મ થઇ રહ્યો છે એવા અતિ દીર્થ સંસારમાં એવો કોઇ જીવ નથી કે જે અનેક રીતે બંધ ન થયો હોય.” (અહીં બંધુ એટલે સંબંધી એવો અર્થ થાય છે. કોઇ વાર માતા રૂપે, કોઇ વાર પિતા રૂપે એમ અનેક રીતે બંધુ-સંબંધી થયો છે.) ३३. तहा तेसु तेसु समायारेसु सइ समण्णागए सिआ, १. अमुगेऽहं २. अमुगकुले ३. अमुगसिस्से ४. अमुगधम्मट्ठाणट्ठिए । ५. न मे तव्विराहणा, ६. न मे तदारंभो, ७. वुड्ढी ममेअस्स, ८. एअमित्थसारं, ९. एअमायभूअं. १०. एअंહિ, ૨૨. ઢસારમu , ૨૨. વિતેલો વિ8િ
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy