SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. પહેલું સૂત્ર ધર્મ મોહરૂપ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન છે. રાગ-દ્વેષરૂપ વિષ માટે ઉત્કૃષ્ટ મંત્ર સમાન- ધર્મ રાગ-દ્વેષ રૂપ ઝેરનો નાશ કરતો હોવાથી ધર્મને ઉત્કૃષ્ટ મંત્રની ઉપમા આપી છે. ધર્મ રાગ-દ્વેષ રૂપ ઝેરનો નાશ કરવામાં ઉત્કૃષ્ટ મંત્ર સમાન છે. સઘળાં કલ્યાણનું કારણ– ધર્મ સુદેવપણાની પ્રાપ્તિ વગેરે સઘળા કલ્યાણોનું કારણ છે. કેમ કે ધર્મ જેનાથી( જે પ્રવૃત્તિથી) કલ્યાણ થાય તેમાં (eતે પ્રવૃત્તિમાં) પ્રવર્તાવે છે. (આદિ શબ્દથી ઉત્સાહિત કરે છે વગેરે સમજવું.) કર્મરૂપ વન માટે અગ્નિ સમાન– જ્ઞાનાવરણીયાદિના ઉદયરૂપ કર્મવનને ધર્મ બાળી નાખે છે. માટે અહીં ધર્મને અગ્નિની ઉપમા આપી છે. ધર્મ કર્મરૂપ વનને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે. સિદ્ધિનો સાધક– ધર્મ તે તે રીતે જીવોને મોક્ષ સાધી આપે છે. માટે ધર્મ સિદ્ધિનો સાધક છે. કેવલિપ્રશખ– કેવલી ભગવંતે કહેલો. ધર્મ– ધર્મ શ્રુતાદિ રૂપ છે. (આદિ શબ્દથી ચારિત્રરૂપ ધર્મ સમજવો.) સમગ્ર ઐશ્વર્ય આદિ ગુણોથી યુક્ત આ ધર્મ મારું શરણ છે. પ્રશ્ન- કોઇ એકના શરણે જવું યોગ્ય છે, ચારના શરણે જવું એ વિરુદ્ધ નથી? ઉત્તર– અરિહંત વગેરે ચારે ય એક જ મોક્ષરૂપ) કાર્ય સાધતા હોવાથી ઘણાના પણ શરણે જવું એ વિરુદ્ધ નથી. આથી જ આ પરમાર્થ છે– હું ચારના શરણનો સ્વીકાર કરું છું. અરિહંતોના શરણનો સ્વીકાર કરું છું. સિદ્ધોના શરણનો સ્વીકાર કરું છું. સાધુઓના શરણનો સ્વીકાર કરું છું. કેવળીએ કહેલા ધર્મના શરણનો સ્વીકાર કરું છું. ૯ દુષ્કતગહ चतुःशरणगमनानन्तरं दुष्कृतगर्दोक्ता । तामाह ૧. અહીં પરમાર્થના સ્થાને પરમાર્થ એવો પાઠ વધારે શુદ્ધ જણાય છે. તેનો “આથી જ ઋષિઓનું પરમ વચન આ પ્રમાણે છે' એવો અર્થ થાય.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy