SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૨૮ પાંચમું સૂત્ર તાપિતામાવિિતક) જો સહકારીભેદનો તથાભવ્યત્વાદિની અપેક્ષા રાખવાનો સ્વભાવ ન હોય તો સહકારી કારણનો જુદા-જુદા સમયે અલગ અલગ રીતે યોગ ન હોય. સહકારી કારણોનો એક જ સમયે એક જ રીતે યોગ કેમ નથી થતો ? સહકારી કારણોનો એક જ રીતે યોગ થતો નથી, એનાથી સિદ્ધ થાય છે કે સહકારી કારણ કોઇની અપેક્ષા રાખે છે. કોની અપેક્ષા રાખે છે ? એના ઉત્તરમાં તથાભવ્યત્યાદિની અપેક્ષા રાખે છે એમ માનવું પડે. સહકારી કારણોનો ભેદ હોવાથી તથાભવ્યત્યાદિનો પણ ભેદ સિદ્ધ થાય છે. કારણ કે તથાભવ્યત્વાદિ પ્રમાણે સહકારી કારણોનો યોગ થાય છે. અનેકાંતવાદ તાત્ત્વિકવાદ છે. કારણ કે અનેકાંતવાદ સર્વ કારણોના સામÁને સ્વીકારે છે, અર્થાત્ કોઇ પણ કાર્ય કોઇ એક જ કારણના સામર્થ્યથી થતું નથી, કિંતુ સર્વ અનેક કારણોના સામર્થ્યથી થાય છે, એમ માને છે. અનેકાંતવાદ તથાભવ્યત્વાદિભાવમાં ઘટે છે, અર્થાત્ ભવ્યત્વાદિ અસમાન ( ભિન્નભિન્ન) હોવાથી અનેકાંતવાદ ઘટે છે. અન્યથા (=ભવ્યત્વાદિ સમાન હોય તો) એકાંતવાદ છે. એકાંતવાદ મિથ્યાત્વ છે. એકાંતવાદથી (સહકારીભેદની) વ્યવસ્થા ન થાય. કારણ કે એકાંતવાદમાં ભવ્યત્યાદિ સમાન હોવાથી સહકારી કારણનો કાલાદિથી ભેદ ન ઘટી શકે. ભવ્યત્વના અભેદમાં સહકારી ભેદ કેમ ન ઘટે તેનું કારણ જણાવે છેતર્કતામાવા–તેની=સહકારીભેદની કર્મતાનો અભાવ હોવાથી ભવ્યત્વના અભેદમાં સહકારી ભેદ ન ઘટે. અહીં કર્યતાનો અભાવ આ પ્રમાણે છે- ભવ્યત્વ અસમાન (=ભિન્ન) હોય તો ભવ્યત્વને સહકારીભેદનો યોગ પ્રાપ્ત થાય. અહીં સહકારીભેદનો યોગ કોને પ્રાપ્ત થાય ? ભવ્યત્વને. માટે ભવ્યત્વ કર્મ છે. હવે જો ભવ્યત્વ સમાન હોય તો ભવ્યત્વને સહકારીભેદનો યોગ પ્રાપ્ત ન થાય. એથી ભવ્યત્વ સહકારીભેદની પ્રાપ્તિનું કર્મ ન થાય. માટે અહીં ટીકામાં લખ્યું કે તારામૈતામાવા ભવ્યત્વના અભેદમાં સહકારીભેદનો યોગ થતો ન હોવાથી ભવ્યત્વમાં તેની સહકારીભેદની કર્મતાનો અભાવ થાય છે. પ્રશ્ન- ભવ્યત્વના અભેદમાં સહકારીભેદની પ્રાપ્તિની અપેક્ષાએ ભવ્યત્વમાં કર્મતા નથી તો પણ સહકારીભેદરૂપ કાર્ય થાય એમ માનવામાં શો વાંધો છે ?
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy