SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ၁၉၉၇၀၆၉၆၉၀၀၉၀၇၇၇၇၇၇၀၈၈၇၀၇၀၈၈၇၀၇၁၇၁၇၉၉၇၀၈၀၉၇၉၇၀၀ ၀၀ તે યક્ષનું દેહરૂં ચિતર એમ ઠરાવ્યું. પણ જેને વારો આવે તે એમ જાણે કે મારે યમરાજાની ચિઠ્ઠી આવી. એમ કેટલેક કાળ ગયે. એકદા અવસરને વિષે કૌશામ્બી નામે નગરીથી એક ચિતારે ઘરથી રિસાયે થકે તે સાકેતપુરને વિષે એક કેશીને ઘેર આવી ઉતર્યો. તે ડેશીને એક જ દીકરો છે. તે વર્ષે તે ડેશીના દીકરાને વારે આવ્યો. એટલે તે ડોશી અનેક વિલાપ કરીને રેવા લાગી. તેને રેતી જોઈ તેના ધરે આવેલા ચિતારાએ પૂછ્યું કે હે માતા ! તું કેમ રહે છે ? ડેશીએ જે વાત હતી તે તેને કહી સંભળાવી. તે સાંભળી ચિતારો બે , “તમે રૂદન ન કરે” આજે યક્ષને દેડકરે હું ચિતરવા જઈશ. ત્યારે ડોશીએ કહ્યું “હે પુત્ર ! તું પણ મારા પુત્ર બરાબર છે. માટે તેને કચ્છમાં કેમ નાખું ? એમ બેલી, તે પણ તે ચિતારાએ ઘણે આગ્રહ કરીને કહ્યું કે, “હે માતા ! તમે સુખશાતામાં બેસે; એમ સમજાવી તે ચિતારાએ છઠ્ઠના તપ કર્યો છે અને સુંદર વિશિષ્ટ વસ્ત્રયુગલ પહેરી, આઠ પડે મુખકાશ બાંધી, ખે પવિત્ર થઈ, નવા કળશે મૂર્તિને નવરાવી, નવી વાળાકુંચી કરી, નવા સરાવસંપુટમાં નવા રંગ કરી, માંહે સરસ પ્રમુખ અપવિત્ર દ્રવ્ય ઘાલ્યા વિના દેહરૂ ચિતર્યું. ચિતરીને પછી પગે લાગીને કહ્યું કે, મેં જે કાંઈ આપનો અપરાધ અવિનય, અવિધિ કરી હોય તે આપ ખમજે. ત્યારે યક્ષ તુષ્ટમાન થયે થકે બે કે વર માગ ! હું તારા ઉપર તુષ્ટમાન થયે છું. ત્યારે ચિત્રકાર છે કે, આજથી તમારે કઈ ચિત્રકારને મારવો નહિ. તે સાંભળી યક્ષ બે કે એ કામ તે તારું થયું. પણ કાંઈક વર માગ” ત્યારે ચિત્રકાર બોલ્યા કે, હું જેના શરીરને એક અંશ દેખું તેનું વધુ રૂપ જેવું હોય તેવું સાક્ષાત્ ચિતરી કાઢે એવું વરદાન મને આપે. તે વાત યક્ષે કબુલ કરીને વરદાન આપ્યું. ત્યાર પછી તે ચિતારો પોતાની કૌશામ્બી નગરીએ આવ્યા. ત્યાં શતાનિક નામે રાજા છે. તે રાજાને મૃગાવતી નામે પટરાણી છે. એકદા રાજા પિતાની સભામાં બેઠે થકે પૂછવા લાગે કે, મારે શું નથી ? અને બીજા રાજાને શું છે ? ત્યારે કોઈ દૂત
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy