SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રરૂપે છે. તે સમજાયું. ટૂંકમાં “શ્રુત’ એ સાગર છે, દીપક છે, અમૃતમય ભોજન છે, દુઃખીને સુખ આપનાર વૈદ્ય-ડૉકટર છે. યાવત્ ઉધમી પુરુષને કેવળજ્ઞાન ને મોક્ષ પણ આપે છે. કહેવાનું તાત્પર્ય એજ કે સંયમી જીવનના ૧૦/૧૨ વર્ષ પછી જે સમ્પાદન વૃત્તિ જાગી તેથી સં. ૨૦૦૧માં પોતાના દાદા-પિતાના નામને સંકલિત કરી નવજીવન ગ્રંથમાળાના ઉપક્રમે ક્રમશઃ દશ પાદ પ્રકાશિત કરી વિદ્યાપિપાસુ ચરણોમાં અર્પણ કરી ધન્યતાનો અનુભવ શરૂ કર્યો. એક બાજુ સંસ્કૃત-જ્યોતિષ સાહિત્ય સેવાનો વિચાર વેગવંત બન્યો તો બીજી તરફ પાઠશાળાઓના શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે પાઠ્યપુસ્તક, અર્થ સહિતનું જ્ઞાન અને પરીક્ષા-ઈનામ માટે શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામે સં. ૨૦૦૪માં સંસ્થાની સ્થાપના કરી. પાઠશાળાઓને પ્રાણવાન બનાવવા પ્રાથમિકજ્ઞાનના ફેલાવા માટે શ્રી ગણેશ કર્યા. સં. ૨૦૩૧માં બેંગલોર સંઘે સાહિત્યભૂષણ’ પદવીથી વિભૂષિત ક્ય. જીવનમાં સાત ભાષાના ૭૦/૭૨ પુસ્તકોનું લેખન, સંપાદન, પ્રકાશન પૂજ્યશ્રીના હાથે થયું. કહેવાનું તાત્પર્ય એજ કે-શિક્ષણ ક્ષેત્રે પગલા માંડવાથી સંસ્કૃત ગ્રંથના પ્રકાશનનો એક તરફ અલ્પવિરામ સંયોગો અનુસાર થયો જ્યારે વિવિધ ભાષી પાઠ્યપુસ્તકોને પ્રકાશિત કરવાનું કામ વિકસવા લાગ્યું. છેક આ કમ સં. ૨૦૩૬ સુધી પ્રગતિ કરતો રહ્યો. અંતે સં. ૨૦૩૬ના જેઠ સુદ ૭ના આ જ્ઞાનદીપ પ્રગટાવનાર સંયમવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ આત્મા સદાને માટે વિલીન થઈ ગયો. કુદરતનું કાંઈક નવું જ કરવા-કહેવા માગતી હશે એ દ્રષ્ટિએ લગભગ ૩૫ વર્ષ સુધી એ મહાગ્રંથના હસ્તલીખીત પાના અદ્રશ્ય રહ્યા. અચાનક એ અનમોલ વારસો પૂ. ગુરુદેવશ્રીના લઘુબંધુ પ્રવિણચંદ્ર જીવનચંદ્ર ઝવેરીના દ્વારા પૂ. મુનિરાજશ્રીના વિનયી શિષ્ય પ્રવર્તક પૂજ્ય મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મ.સા.ને પ્રાપ્ત થયો.
SR No.023395
Book TitleSiddha Hem Llaghu Vrutti Avchuri Parishkar
Original Sutra AuthorN/A
AuthorJitendravijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2007
Total Pages470
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy