SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસમવસરણસ્તવ ૨૨૩ ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહારના પગથિયાના છેડાનું અંતર = ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહારના કિલ્લાના છેડાનું અંતર + બહારના કિલ્લાથી બહારના પગથિયાના છેડાનું અંતર. = ૪,૦૦૦ ધનુષ્ય + ૨,૫૦૦ ધનુષ્ય = ૬,૫૦૦ ધનુષ્ય. સમવસરણ ભૂમિને સ્પર્શેલ નથી હોતું, પણ ભૂમિથી ઉપર હોય છે. ચારે દિશાના પગથિયા ભૂમિને સ્પર્શેલા હોય છે. ભૂમિથી ૨,૫૦૦ ધનુષ્ય ઉપર ગયા પછી સમવસરણના પહેલા કિલ્લાની શરૂઆત થાય. ભૂમિથી ૧૦,૦૦૦ પગથિયા ઉપર ગયા પછી પહેલો કિલ્લો આવે છે. ૧ પગથિયાની ઊંચાઈ ૧ હાથ છે. તેથી ૧૦,૦૦૦ પગથિયાની ઊંચાઈ ૧૦,૦૦૦ હાથ છે, એટલે કે ૨,૫૦૦ ધનુષ્ય છે. પહેલા ૧૦,૦૦૦ પગથિયા સમવસરણની બહાર છે. તેથી ભૂમિથી ૨,૫૦૦ ધનુષ્ય ઉપર ગયા પછી સમવસરણની શરૂઆત થાય છે. ગોળ સમવસરણમાં રત્નમય કિલ્લાની પરિધિ = ૧ યોજના ૯૦ ધનુષ્ય ૧ હાથ. ગોળ સમવસરણમાં સુવર્ણમય કિલ્લાની પરિધિ = ર યોજના ૧૨ ધનુષ્ય. ગોળ સમવસરણમાં રજતમય કિલ્લાની પરિધિ = ૩ યોજના ૩ર ધનુષ્ય ૧ હાથ. ચોરસ સમવસરણમાં આ ત્રણે પરિધિઓ સાધિક હોય છે.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy