SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) આ વાત તે। નિર્વિવાદ છે કે કોઇપણ ભાષાની શુદ્ધિ તેના વ્યાકરણના ખાધ વિના થઇ શકેજ નહિ, તેથી કાપણુ ભાષા જાણવાને માટે પહેલ વહેલા દરેક સ્થળે તેના વ્યાકરણુને અભ્યાસ કરાવવામાં આવે છે. અને તે થવા માટે તેના સાધનેાની ખાસ જરૂર હોય છે. અને તે પણ અધિ કારી પરત્વે લઘુ ( સાધારણ ખાધ થવા માટે) અને બૃહત્ (ઊત્તમ બેધ થવા માટે ) વિગેરે હાવાં જોઇએ. ઘણા જીવા અપ અવકાશ અને અપ ખેાધને લીધે વ્યાકરણને અભ્યાસ કર્યા વિના પ્રાકૃત જેવી તદ્દન અજાણી ભાષાના ગ્રંથા મેઢે કરે છે; અગર વાંચવાનો ખપ કરે છે. તેથી પરિણામે જેટલા લાભ તેમને મળવા જોઇએ તેટલો તે મેળવી શકતા નથી. શાનિય છે કે હાલમાં જે જે પ્રાકૃત ભાષાનાં વ્યાકરણો છે તે બધાને અભ્યાસ સંસ્કૃત ભાષા દ્વારા થઇ શકે તેમ છે. એટલે પ્રાકૃત ભાષા વ્યાકરણુ રીતે શુદ્ધ શીખવા ઇચ્છનારને એકને બદલે એ ભાષા શીખવાની ક્રૂરજ પડે છે. તે મુશ્કેલી મટાડવા માટે ખરી અને પ્રથમ જરૂર તાએજ છે કે ખારાબાર ગુજરાતી ભાષા દ્વારા પ્રાકૃત શીખી શકાય એવુ' વ્યાકરણ તૈયાર હેવુ જોઇએ. અને તે વ્યાકરણમાં ઉદાહરણેા પાઁચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્વ, સંધયણુ, અને કર્મ ગ્રંથ વિગેરે જે પ્રકરણ પ્રથા જૈન ધર્મના ખેાધમાં પ્રવેશ કરવા ને પ્રથમના છે તેમાંથી લેવાં જોઇએ. એટલે કે જેવી રીતે ડાકટર ભંડારકરે ઇંગ્રેજીદ્રારા સંસ્કૃત ભાષાના અભ્યાસ કરવાની શૈલી કાઢેલી છે,તેવા પ્રકારનાં ગુજરાતી દ્વારા પ્રાકૃત ભા-પાના હાલના જમાનાને અનુસરીને જરૂરીઆત ફેરફાર સાથેનાં પુસ્તક બનાવવાની ખાસ જરૂર છે. પરંતુ આ કામ ઘણા વ્યુત્પન્ન વ્યાકરણના સાયન્સના જાણું, ગુજરાતી સંસ્કૃત તથા પ્રાકૃત વ્યાકરણના સારા અભ્યાસી, તેમજ ઈંગ્રેજી નવી પદ્ધતિ જાણનાર અને જન ધમના પ્રકરણ વિગેરેના મેધવાળા તાર્કિક પુરૂષનું છે. એવા પુરૂષના સંયોગ મળે ત્યાં સુધી તેવા પુરૂષોને સાધન રૂપ અને ગુર્જર બંધુઓને તદન સંસ્કૃત કરતાં ગુજરાતી ટીકાવાળાં પુસ્તકા વધારે ઉપયોગી
SR No.023387
Book TitleLaghu Ane Bruhat Prakrit Vyakaran
Original Sutra AuthorN/A
AuthorDalichand Pitambardas
PublisherDalichand Pitambardas
Publication Year1905
Total Pages574
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy