SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદિ ૭૨૧ શુ' વળશે ? તમે હવે ફરીથી લગ્ન કરો. શેઠે કહ્યુ હવે મારે લગ્ન કરવા નથી, ત્યારે લોકો કહે છે પણ આ નાનકડા સુરેશ માટે તો કઈક વિચાર કરો. બધાએ બહુ આગ્રહ કર્યાં એટલે શેઠે લગ્ન કરવાની હા પાડી. માલતી નામની એક ખાનદાન કુટુ બની કન્યા સાથે શેઠના લગ્ન થયા. શેઠે માલતીને પહેલેથી કહી દીધું હતું કે જો હું સંસાર સુખની આશાથી તારી લાથે ‘લગ્ન કરતા નથી પણ મારા સુરેશની સભાળ રાખવા માટે ફરીથી લગ્ન કરું છું. માટે મારા સુરેશને એની માતાની જેમ તું ખરાખર સાચવજે. માલતી પરણીને આવ્યા પછી ખૂબ આનંદથી રહેવા લાગી ને સુરેશને ખૂબ સાચવતી હતી. તેથી શેઠને ખૂબ સતાષ હતા. શેઠને ત્યાં પૈસાની કમીના ન હતી. અને ત્યાં પાર વગરનુ સંસારનુ’સુખ હતું. પણ શેઠાણી ગુજરી ગયા ત્યારથી શેઠના મનમાં એમ થતુ` કે ખસ, આ બધુ... છેડીને અમ જ ચાલ્યા જવાનુ છે. તેા હું જાતે છોડીને દીક્ષા લઈ આત્માનુ કલ્યાણુ કરુ. સુરેશ આઠ વર્ષના થયા ત્યારે માલતીને પણ એક પુત્ર થયા. એનું નામ વિનય પાડયું. આઠ વર્ષ સુરેશે નાનાભાઈનુ મુખ યુ' એટલે એને પણ ખૂબ આનંદ થયા. એ નાનાભાઈ ને પ્રેમથી રમાડતા હતા. આ બંને ભાઈ એ અને માતાના પ્રેમ જોઈ ને શેઠને ખૂબ સàાષ હતા, સમય જતાં સુરેશ પ ́દર સોળ વર્ષના થયા ત્યારે શેઠે માલતીને કહ્યું કે આપણા પુણ્યોદયે આપણે ત્યાં સુખની કમીના નથી. મારે મારા આત્માનું કલ્યાણ કરવા દીક્ષા લેવી છે, માટે તું મને રાજીખુશીથી રજા આપ. માલતીએ કહ્યુ' ના....તમે સ’સારમાં રહીને ધર્મધ્યાન કરો પણ હુ' તમને દીક્ષાની આજ્ઞા નહિ આપું. શેઠના અતિમ ઉદ્ગાર ” :1 પત્નીએ આજ્ઞા ન આપી એટલે શેઠ દીક્ષા લઈ શકયા નહિ, પણ એમનું મન તે ત્યાગમાં રમવા લાગ્યું, અને કુદરતી બન્ય' એવું કે એક મહિનામાં શેઠ અચાનક બિમારીમાં ઝડપાઈ ગયા. શેડને લાગ્યુ કે હું હવે જીવવાના નથી એટલે માલતીને ભલામણ કરી કે હું આ પથારીમાંથી ઉઠું' એમ લાગતું નથી. તું અત્યારે તે ખ'ને દીકરાને સાચવે છે. પણ મારા ગયા પછી પણ એવા જ સાચવજે. ડાબી ને જમણી આંખ સરખી રાખજે, અને મારી જે ઈજત—આખરૂ છે તે વધે એવુ કરજે. આ રીતે ખીજી ઘણી ભલામણ કરીને શેઠ પરલેાક સીધાવ્યા. પતિના જવાથી માલતી, સુરેશ અને વિનયને ખૂબ આઘાત લાગ્યા, પણ આ ા સ`સાર છે ને ! દિવસે દિવસે વિયેાગનું દુઃખ વિસારે પડવા લાગ્યું. શેઠ ગુજરી ગયા પછી માલતીએ રસાઈ કરવા માટે એક ગરીબ બ્રાહ્મણુ ખાઈ ને રસાયાણી તરીકે રાખી, અને આનદથી દિવસે પસાર કરવા લાગી. સુરેશ અને વિનય અને ભાઈ એ પણ ખૂબ પ્રેમથી એકમેક બનીને રહેવા લાગ્યા. આમ કરતાં સુરેશ ભણીગણીને તૈયાર થયા ને પિતાના ધંધામાં જોડાયા. “ સાવકી માતાની બદલાયેલી બુદ્િ” :– સુરેશ ખૂબ હોંશિયાર હતા. આ જોઈને માલતીના મનમાં થયું કે હવે તે સુરેશ કમાતા થયા, કાલે એના લગ્ન થશે. પછી બધી સત્તા એના હાથમાં રહેશે. મારા વિનયને એ શુ આપવાનો છે ? અને 66 શા. ૯૧
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy