SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૭૦૯ એમને ચક્રવતિની સંપત્તિમાં, ભોગવિલાસમાં ખુબ આસક્તિ છે. ભૌતિક સુખે પ્રત્યેને ગાઢ રાગ છે. આ સંસારમાં જીવને રીબાવનાર રાગ અને દ્વેષ છે. રાગ કોને કહેવાય અને દેષ કેને કહેવાય? સાંભળો. અથમમય સુમિકા : સંયમહીન પૌગલિક સુખોની અભિલાષાને રાગ કહેવામાં આવે છે, અને “પ ઉઘરામgriારણ વિકા ” ઉપશમના ત્યાગ રૂપ આત્માને વિકારને ઢષ કહેવામાં આવે છે. આ રાગ -દ્વેષના કારણે અનંતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. શ્રેષથી દુઃખની પરંપરા ચાલુ રહે છે. છેષ તે દેખીતે ભયંકર છે પણ રાગ એ છૂપી આગ છે. રાગની આગને ઓલવ્યા વિના સંયમને બાગ નહિ ખીલે. રાગ બે પ્રકાર છે. એક પ્રશસ્ત રાગ છે ને બીજે અપ્રશસ્ત રાગ છે, એમાં દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેને રાગ છે તે પ્રશસ્ત રાગ છે અને સંસારના સુખ પ્રત્યેને રગ છે તે અપ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ જીવને તારે છે ને અપ્રશસ્ત રાગ જીવને સંસારના કાદવમાં ગળાબૂડ ખૂચવે છે. એક જ વસ્તુ હોય, એક જ કાર્ય હોય, છતાં એક જ વસ્તુમાં ભિન્નભિન્ન પ્રકારના રાગ હોય છે. જેમ કે કઈ બહેન એના પતિને જમાડે છે, પુત્રને જમાડે છે અને સાધુને ગૌચરી વહોરાવે છે પણ દરેકમાં રાગની ભિન્નતા હોય છે. પત્ની એના પતિને પ્રેમથી જમાડે. છે તે વખતને રાગ એ કામ રાગ-મોહ છે. પોતાના પુત્રને જમાડે તે સ્નેહરાગ છે અને સાધુને વહેરાવે તે ધર્મરાગ છે. જુઓ, વસ્તુ એક જ છે. એક જ તપેલામાં રસોઈ બની છે અને સ્ત્રી પણ એક જ છે છતાં પતિને જમાડવામાં, પુત્રને જમાડવામાં અને સંતને વહોરાવવામાં જુદા જુદા પ્રકારનો રાગ હોય છે ને ? આ ત્રણે ય રાગમાં સાધુને વહરાવવાને રાગ પ્રશસ્ત છે, કારણ કે એ ધર્મને રાગ છે. ધર્મને રાગ જીવને આગળ જતા વીતરાગ બનાવે છે. સંતને પ્રેમ નિઃસ્વાર્થ પ્રેમ છે. સંતેનું દર્શન જીવને મહાન લાભદાયી છે અને સંતોને સમાગમ તે એથી પણ વિશેષ લાભદાયી છે. यो नित्यं कुमति वहन्ति सततं महिं विभिन्ते हृदो, गृहणीते बिनयं रतिं च कुरुते धते गुणाना ततिम् कीर्ति वर्धयति व्यपाहति गति दुष्टो प्रसूते यम, - નૈવ કુળ સુપિniામો નથતિ મિટ જાયે ગુનાનું છે ? - ગુણીજનેને સંગ કુમતિ અને હૃદયના મોહને સદંતર સાફ કરે છે. વિનયને શીખવે છે. સુખ, આબાદી અને સદ્ગુણની અણમોલ ભેટ આપે છે. કીતિને વધારે છે, નીચગતિને ટાળે છે, શાંતિને આપે છે. ભલા! ગુણવાનોને સંગ મનુષ્યના કયા કથા અર્થોને-ઈચ્છાઓને પૂર્ણ કરતું નથી? અર્થાત્ સઘળી ઈચ્છાઓને એ સર્વથા પૂર્ણ કરનારું અમોઘ શસ્ત્ર છે. સત્સંગને આ મહાન મહિમા છે. માટે જીવને સત્સંગ મહાન લાભદાયી છે. દરેક મનુષ્ય અવશ્ય સત્સંગ કરવાની જરૂર છે. -* ?
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy