SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ દેવ બેઠા છે. શું એમને ખબર નથી કે આ પ્રધાન કયારે આપણને લૂંટી લેશે તેને કઈ ભોસો નથી. જે આપણે આ નગરને અને આ બંગલાને મોહ રાખીને બેસી રહીશું તે ભિખારી થઈ જઈશું. એના કરતાં પાસે જે માલમિલ્કત છે તે લઈને પરદેશ ચાલે. આપણું ભાગ્યમાં જે હશે તે મળી રહેશે. મોટા પુત્રવધુની વાત સાસુને લાગી, એટલે એણે શેઠને વાત કરી, ત્યારે શેઠે પિતાના ચારે દીકરાઓને બોલાવીને વાત કરી અને પરદેશ જવાનું નક્કી કર્યું. દુકાનમાં જે માલ હતું તે બધું વેચીને પૈસા કરી લીધા, અને પિતાની માલમિલ્કત લઈને શેઠ નગર છોડીને ચાલ્યા ગયા ને બીજા કેઈ સારા શહેરમાં જઈને વસ્યા. શેઠને જાગેલે પૃ દય” :- ત્યાં તેમણે એક મોટો બંગલે લીધું. શહેરના મધ્યભાગમાં એક મોટી દુકાન નાંખી. આ શેઠનું પુણ્ય ઘણું હતું એટલે અહીં પણ વહેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. ચાર દીકરાઓ અને પાંચમા શેઠ એમ પાંચ પાંચ જણા કામ કરવા લાગ્યા. બાર મહિનામાં તે શેઠને ખૂબ કમાણ થઈ તેથી પિતાના વતનમાં બંગલા-બગીચા છોડવા પડ્યા એને અફસ ન રહ્યો. ત્યાંની જેમ જ બંગલા, બગીચા બધું વસાવી દીધું બધા આનંદથી રહેવા લાગ્યા, પણ ત્યાંની બજારમાં બધા વહેપારીઓને ઈર્ષ્યા આવી ગઈ કે આ શેઠ આપણે બધા કરતા ચઢી ગયા. આથી, વહેપારીઓએ નક્કી કર્યું કે આજથી આપણે આ શેઠ સાથે કોઈ જાતને વ્યવહાર રાખવે નહિ. શેઠને કે એના દીકરાઓને કોઈને બોલવવા નહિ. હવે બજારમાં કે બગીચામાં કેઈ શેડની સાથે વાત કરતું નથી કે શેઠના દીકરાઓને કઈ બેલાવતું નથી. બધા એમની વિરુદ્ધ વાતો કરવા લાગ્યા. બંધુઓ ! અત્યાર સુધી આ શેઠના આનંદને પાર હતે."એએમ માનતા હતા કે મારી પાસે પૈસા ખૂબ છે. પુત્રે પણ બરાબર વહેપાર કરે છે. પુત્રવધૂઓ અને મારી પત્ની બધા સારા છે એટલે મારી પાસે તે હામ-દામ ને ઠામ બધું છે. ભલે, મારું મૂળ વતન છોડવું પડ્યું પણ હું અહીં બધી રીતે સુખી છું. આમ ખુશ થઈને ફરતા હતા પણ આ ગામમાં આવું ઈર્ષ્યાનું વાતાવરણ સર્જાતા શેઠને આનંદ ઉડી ગયે. કરમ રૂઠે કદી જ્યારે જો લેહ મેખ કનક થાળે, “ ' ' સુમનલાલ શેઠના એવા કર્મને ઉદય થયું કે આ શહેરમાં, બજારમાં, અને આડોશપાડોશમાં કેઈએમના આખા કુટુંબને બેલાવતું નથી. એમના પ્રત્યે સહાનુભૂતિ કે પ્રેમ કોઈ દર્શાવતું નથી. હવે કરવું શું? આ સંસારનું સ્વરૂપ વિચિત્ર પ્રકારનું છે. ગમે તેટલું સુખ હેય પણ જે તેમાં દુઃખની એક જ ચિનગારી ચંપાઈ જાય તે બધું સુખ નષ્ટ થઈ જાય છે. ઘણું સુખ હોવા છતાં એ સુખ દુઃખરૂપ લાગે છે, આટલા માટે જ્ઞાનીઓએ સંસારને અસાર કહ્યો છે. અત્યાર સુધી આનંદમાં મસ્ત રહેનાર સુમનલાલ શેઠને બધે આનંદ હવે ઓસરી ગયું. એક દિવસ શેઠનું આખું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy