SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧ ખુમારી લઈ શકાય ! આ રીતે ખાાસ'પત્તિ કરતાં આત્મસ ́પત્તિને શ્રેષ્ઠ માનનારો મનુષ્ય દાન આપીને એ દાનને પોતાની સાચી સપત્તિરૂપ માનીને એના પર હુંકૢ અનુભવે છે કે મેં મારા આત્મા માટે આટલી સુકૃતની કમાણી કરીને મારુ' જીવન સફ્ળ બનાવ્યું. દાન એ સાચી સ`પત્તિ છે. એ કેવી રીતે ? એક દૃષ્ટાંત આપીને સમજાવું. એક વખત એક માદશાહ પાસે એક બ્રાહ્મણુ આવીને કહે છે સાહેબ ! મારે આટલા રૂપિયાની જરૂર છે. મને આપશે ? ત્યારે બાદશાહે પૂછ્યું ભાઈ ! તારે પૈસા શા માટે જોઈએ છે? બ્રાહ્મણે કહ્યુ મારે અડસઠ તીર્થની યાત્રા કરવી છે ભાઈ ! અડસઠ તીની યાત્રા કરવાથી શું લાભ થાય? બ્રાહ્મણે કહ્યુ સાહેબ ! એનાથી જન્મ પાવન થાય ને ભગવાનને ત્યાં વાસ મળે. બાદશાહે એને જોઈતા હતા એટલા રૂપિયા તા આપ્યા, પછી પૂછ્યું ભાઈ! મારે તે આટલા મેટા રાજ્યને વહીવટ સભાળવાના એટલે આ ઝંઝટ છોડીને હું યાત્રા કરી શકું તેમ નથી તેા મને ભગવાનને ત્યાં વાસ કેવી રીતે મળે ? બ્રાહ્મણે કહ્યુ' સાહેબ! આપ કોઈ સત્યવાદી કે જિ ંદગીમાં જૂહું ન ખેલ્યેા હાય એના દન કરો તે ભગવાનને ત્યાં આપને વાસ થશે. એમ કહીને બ્રાહ્મણુ તા ચાલ્યા ગયા પણ મદશાહને ભગવાનને ઘેર વાસ કરવાની લગની લાગી. બીજે દિવસે બાદશાહે મેાટી સભા ભરી અને કહ્યું મારા સભાજના ! મેલા, આટલા બધામાં સાચા સત્યવાદી કોણ છે ? મારે એના દન કરી પાવન બનવુ' છે ને ભગવાનને ઘેર વાસ કરવેા છે. આ સાંભળીને સભાજને સૌ સ્તબ્ધ બની ગયા. કોઈ જવાબ આપતું નથી, ત્યારે બાદશાહે પ્રધાન સામે જોઈને કહ્યુ પ્રધાનજી ! તમે તો સત્યવાદી છે ને ? પ્રધાને કહ્યું સાહેબ ! માફ કરો. સત્ય મેલીને પ્રધાનપણું ન કરાય. ખાદશાહે કહ્યું, હું તમને સત્યના અવતાર સમજતે હતા. ઠીક પછી ખજાનચી, ફોજદાર વિગેરે હોદ્દેદારોને પૂછ્યું' કે તમે સત્યવાદી છે ને ? બધાએ હાથ જોડીને કહ્યું કે ક્ષમા કરજો. સાહેબ ! જીવન સત્ય ઉપર નભાવવું કઠીન છે. 66 નિરાશ થયેલ બાદશાહઃ-” બાદશાહે આખી સભામાં સેનાપતિ, ફોજદાર નગરશેઠ બધાને પૂછ્યું તો બધાના એક જ જવાબ મળ્યા કે સત્યથી જીવન ચાલતુ નથી. કોઈ સત્યવાદી ન મળ્યુ. એટલે માદશાહનું પાણી ઉતરી ગયું. તે નિરાશ થઈને મહેલે આવ્યા ત્યારે એગમે પૂછ્યુ. આજે આપ આટલા બધા ઉદાસ કેમ છે ? બાદશાહે કહ્યું. ભગવાનને ઘેર વાસ કરવા માટે મને કોઈ સત્યવાદીના દર્શન મળતા નથી. એમ કહી બાદશાહે બેગમને બધી વાત કરી. બેગમે કહ્યુ' નાથ ! એમાં તમે આટલી બધી ચિંતા શા માટે કરા છે ? મારે એક વિષુક સખી છે. એને પતિ સત્યવાદી છે, એના હુ' તમને દન કરાવું'. બાદશાહે કહ્યુ. આટલા બધામાં તે કોઈ સત્યવાદી નથી નીકળ્યા ને એ શુ' સત્યવાદી હશે? બેગમે કહ્યુ.. હા. કદી અસત્ય નથી ખેલતા. એમ કહી તરત જ બેગમે પાતાની સખીને ખેલાવીને વાત કરી. એટલે એણે ઘેર જઈને એના પતિને બાદશાહ પાસે મોકલ્યો,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy