SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૫૪૩ દુઃખી, શ્રીમ'ત અને ગરીબ, રાગી અને નરેગી, દરેક મનુષ્યાએ ધમ ની વિશેષ પ્રકારે આરાધના કરવી જોઈ એ. ધથી સુખી થવાય છે. એ ધર્મ એટલે અહિ’સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આવા ધર્માં જીવને વારવાર મળતા નથી, માટે જ મળ્યેા તેના ખરાખર સદુપયાગ કરી લો. એને મેાજમઝામાં ને ભાગવિલાસમાં ગુમાવશેા નહિ કારણ કે સ`સાર તેા એક મેટે મેળો છે. મેળો વિખરાઈ જતાં બધુ ચાલ્યું જવાનું છે. મોટા મેળામાં શુ' હાય છે? મેળામાં અનેક પ્રકારના મનુષ્યે ભેગા થાય છે. આજુબાજુના ગામડામાંથી પણ માણસે મેળામાં આવે છે. જે માણસો ગામડામાંથી મેળામાં આવ્યા હાય તે પાતપેાતાનુ સાથે લાવેલુ ભાતુ ખાય અને મેળામાં અનેક પ્રકારના માલ વેચાવા આવ્યા હાય તેમાંથી પેાતાને જે જે માલની જરૂરત હોય તે માલ ખરીદે, હરે, કે ને આનંદ મનાવે. મેળો વિખરાતા સૌ પોતપાતાના સ્થાને ચાલ્યા જાય, તેમ જ્ઞાની પુરૂષા કહે છે કે આ સ`સાર પણ એક મેાટા મેળા જેવા છે. એમાં કાણુ કેાનું સ્વજન અને કેણુ પારકુ આ સ`સારમાં કોઈ કોઈનુ' નથી. સૌ તપેાતાની કરણી અનુસાર કર્મો ઉપાર્જન કરે છે અને ઉપાર્જન કરેલાં કર્મો ઉદ્દયમાં આવતાં ભેળવે છે. સંસાર એટલે કદાચ પુત્ર મરીને વૈરી થાય અને વૈરી મરીને પુત્ર કે પિતા થાય છે. આવા તદ્દન ચંચળ સ્વભાવવાળા જીવ રૂપી રમકડા પર મેહ રાખવા જેવા નથી. સંસારના સ્વજના ઉપર આસક્તિ રાખવા જેવી નથી. અસ્થિર ભાવાથી ભરેલા સ્વજન અને સ્નેહીએ ઉપર આસક્તિ ધરવી એ મૂર્ખતા છે. અજ્ઞાન દશા છે. આ મારા સ્નેહી છે તેને હું કાયમ સાચવીશ. આવે મમત્વભાવ કરવા એ માહનુ' ફળ છે. સત્બુદ્ધિનુ ફળ નથી. સમુદ્ધિ હાય તા વિચાર કરે કે હું કોણ છું ? પછી ખરાખર સાવધાન અને. રેલ્વેના પાટાની વચ્ચે ઉભેલા માણસ કેટલો સાવધાન હોય છે ! ફાટક ક્રોસ કરતાં કદાચ ખિસ્સામાંથી પૈસા પડી જાય અને એ જુએ કે સામેથી ટ્રેઈન આવી રહી છે તા એ પસા લેવા માટે ઉભો રહે ખરા ? ‘ના.’ અને કદાચ લે તે કેટલી સાવધાનીથી લે. ત્યાં ગફલત ચાલે ખરી ? તેમ માનવ જીવનની કટોકટી ભરેલી સ્થિતિમાં જો ધન વિગેરેના લોભ અને મમતાને કૂદી જતા આવડે તે। ભાવિ અન ંત સ ંસાર રૂપી ટ્રેઇનેાની કચરામણમાંથી બચી જવાય ને જો કૂદતા ન આવડે તે મામલો ખતમ. પૈસા-સ્નેહી સ્વજને અને શરીરની પણ આ જ સ્થિતિ છે. એમના ઉપર ગમે તેવા રાગ કર્યાં પણ એમાં જીવતુ' કંઈ વળતુ નથી. ઊલ્ટા પાપથી ભારે થાય છે ને ક`બંધન કરે છે. માણસ રસ્તે જનાર ત્રાહિત માટે જે પાપ નહિ કરે તે પાપ પેાતાના સ્નેહી પાછળ કરશે. પિરણામે પેાતાને ભાવિમાં ભયકર દુઃખ ભેળવવુ' પડે છે. આ બધી પરિસ્થિતિઓમાં જીવે પેાતાનુ' રક્ષણ કરી લેવુ* તે આખા ઉપદેશના સાર છે. “માન રક્ષ” આત્માને પાપમાંથી બચાવા, આત્માને બચાવવા માટે ખેાળિયા સાથેની રમત ક્રૂર ખસેડો. આ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy