SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૯૯ માતાજી ! આ વાત સાચી છે? વીટી અને કાંબળ તમે રાખ્યા છે ખરા ? પુષ્પમાળાએ કહ્યું, હા. એ બધી વાત સત્ય છે અને પદ્મરથ રાજા જંગલમાંથી એને કેવી રીતે લાગ્યા હતા તે બધી વાત કરી, એટલે સાધ્વીજીના વચનમાં શ્રદ્ધા થઈ. આ બધુ' જાણીને નિમરાજ સ્તબ્ધ બની ગયા ને મનમાં એમ થયું' કે, અહેહ કેવા વિચિત્ર કમ સંચેગ ! પણ યુદ્ધવિરામ કરવાની વાત હજુ એને રુચતી નથી. કારણ કે ગમે તેમ તેય ક્ષત્રિયના બચ્ચા ને ? એટલે એનું માન હણાઈ જાય તે બિલકુલ ગમતું નથી. એના મનમાં એમ થાય છે કે ભલેને એ માટોભાઈ છે ને હુ' નાના ભાઈ છું, પણ હું કયાં ગુનેગાર છુ..! મોટાભાઈ એ મારા હાથી કબજે કર્યાં છે ને એ માંગવા છતાં પાછે ન આપતા મને યુદ્ધ કરવાની હાકલ કરે છે તે હવે મારાથી પાછા કેમ જવાય? જો પાળે જાઉં તે એ મને કાયર જ કહેને ? નમિરાજને મન માટાભાઈ કરતાં પોતાનું સન્માન વધારે વહાલું હતું. હું પાછે ફીશ તા દુનિયા મને શું કહેશે ? એક વખત મોટાભાઈ ઉપર વિજય મેળવી લઉં. પછી હુ એમના ચરણમાં પડીને માફી માંગી લઈશ પણ અત્યારે તે યુદ્ધવિરામ નહિ જ કરુ, એવા નિશ્ચય કરી લીધો. બીજી ખાજી માતાના નિણ્ય હતા કે યુદ્ધવિરામ કરાવીને જ જપીશ. નમિરાજે કહ્યુ', હે માતા ! ચ`દ્રયશ મારા મોટાભાઈ છે એ વાત સાચી પણ મિથિલાના આજે ગુનેગાર છે માટે મારાથી યુદ્ધવિરામ નિહ થઈ શકે. આ સાંભળીને સાધ્વીજીના દિલમાં આંચકો લાગ્યેા છતાં એ હતાશ તેાન જ બન્યા. માતૃત્વ ઉપરથી એની શ્રદ્ધા ઊઠી નહિ. એ નિમરાજ પાસેથી ઊઠીને ચંદ્રયશને મળવાને અને તેને યુદ્ધવિરામના સંદેશા આપવા ચાલી નીકળ્યા. ચંદ્રયશ તે સાધ્વીના વેશમાં પેાતાની માતાને તરત ઓળખી ગયા. પિતાના ખૂન પછી ચંદ્રયશે માતાની ખૂબ તપાસ કરાવેલી પણ આજ સુધી એને પત્તો નહિ મળવાથી ખૂબ આધાત લાગ્યા હતા. તે માતા આજે નજર સમક્ષ આવીને ઊભી રહી ને તે પણ સાધ્વીજીના વેશમાં જોઈને ચંદ્રયશની આંખમાં આંસુ આવી ગયા. થોડી વારે હૈયું હળવુ કરીને આશ્ચર્યચક્તિ થઈને પૂછ્યું માતા ! અત્યારે અચાનક કયાંથી પધાર્યાં ? ત્યારે મયણરેહાએ એના પતિનું ખૂન થયું ત્યારથી લઈને એના માથે શું શું વીતક વીતી, પોતે કેવી રીતે દીક્ષા લીધી ને અહીં શા માટે આવી છે તે અથથી ઇતિ સુધીની સ વાત કહી સ ંભળાવી. ** માતાના ઉપદેશથી થયેલો ચમત્કાર ” :- ચ'દ્રયશ રાજા પેાતાની માતા સાધ્વીના મુખેથી રામાંચક ઘટનાનુ વર્ણન સાંભળીને રડી પડયા અને વિશેષમાં નમિરાજ પેાતાના નાના ભાઈ છે એ જાણીને ખૂબ ખુશી થયા. એના હૈયામાં ભ્રાતૃ વાત્સલ્ય ઉછળ્યુ એટલે ઝટ ઉભા થઈ ગયા અને માન મૂકીને માટા વૈભવ સાથે નમિરાજાની સામે ગયા. મિરાજ પેાતાના નાના ભાઈ છે એમ ખબર પડતા હર્ષોંથી પેાતાના ભાઈ ને મળવા ચાલ્યા. ચ`દ્રયશને પેાતાની સામે આવતા જોઈ ને નર્મિરાજ ઉભા થઈ ને મેાટાભાઈની સામે આવ્યા અને ભાઈના ચરણમાં નમી પડયા. ચંદ્રયશે એને ખૂબ વાત્સલ્યભાવી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy