SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ઉરહ એસે છે ત્યારે એ કેાઈની શરમ નથી રાખતી. પાપીઓ જાણે કે હું પાપ કરું છું, તે કાઈ જોતુ નથી, પણ એને કયાં ખબર છે કે કદાચ માનવ મને જોતા ન હોય પણ અનંતા સિદ્ધો અને કેવળીભગવંતા તા મને ઈંખે છે ને ! નાકરને મે' એનુ ભેગુ કરેલુ ધન આપ્યું. એ ધન લેતાં એ હરખાયા ને તુ નિરાશ થયા, પણ એને વધુ ધન આપતા હું હરખાયા નહાતા અને તને ઓછું આપતા હું જરા પણ દિલગીર થયા ન હતા. મને શ્રદ્ધા હતી કે એને સવામાંથી સવા લાખ મળશે જ. પ્રમાણિક નાકરની પ્રમાણિકતા અને પ્રમાણિકતાનું ફળ સાંભળી અપ્રમાણિક નાકર પેાતાના પાપના ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને હવે જીવનમાં કયારે પણુ અપ્રમાણિકતા કરવી નહિ ને પ્રમાણિકતાથી જીવન જીવવું' એવી પ્રતિજ્ઞા કરી. નગરશેઠ થઈ ને આવેલ પ્રમાણિક માણસને રાજખજાનાના ઉપરી બનાવ્યા. આ દૃષ્ટાંતથી એ સમજવાનું છે કે પ્રમાણિકતાથી, નીતિથી મેળવેલું ધન અનેક ગણા લાભ આપે છે અને અનીતિથી મેળવેલુ' ધન અનેક ગણું લઈ ને ચાલ્યું જાય છે, માટે સંસારમાં રહેવું પડે અને રહે। તા ન્યાય નીતિથી જીવન જીવતાં શીખેા. આપણા અધિકારમાં મિરાજના વૈરાગ્યની કસેાટી કરવા ઈન્દ્ર વિપ્રનુ રૂપ લઈ ને આવ્યા છે. તેમણે મિરાજને કહ્યું, હું રાજેશ્રી ! આપ તા રાજ્ય છેાડીને સાધુ મનીને ચાલી નીકળ્યા, પણ પાછું વાળીને જુએ તેા ખરા કે નગરમાં કેવી ભયંકર આગ લાગી છે! આખી મિથિલા, રાજમહેલ, ઘરબાર બધું મળી રહ્યું છે, છતાં આપ તેના સામુ` કેમ જોતા નથી ? ઇન્દ્રે રાજનિી પરીક્ષા માટે આવું ભયંકર દૃશ્ય ખડુ કર્યું" હતું, પણ ભયંકર અગ્નિએ નમિરાજના મનમાં જરા પણ ઉદ્વેગ પેદા કર્યો નહિ. જીવાના પાકાર, ચીચીયારીઓએ તેમના હૃયમાં જરાપણ ઉલ્કાપાત મચાવ્યા નહિ. રાણીઓની બૂમરાટે તેના તરફ તેમને જરાપણ ઉશ્કેર્યા નહિ. એવા તે આત્મસંતુષ્ટ મહાત્માએ શાંત વને કહ્યું-કદાચ તમે કહેા છે તેવા અગ્નિ સને ભસ્મીભૂત કરતા અત્રે દોડચા આવતા હેાય તે પણ તેથી મારે તેમાં બહાવરા બનવા જેવું છે શું ? મારી પાસે કઈ ચીજ ખળે તેવી નથી. હું વિપ્ર ! તું મારી વાત સાંભળ. सुह वसामो जीवामो, जेसि मो नत्थि किंचण महिलाए डझमाणीए न मे डज्झइ किंचणं ॥ १४ ॥ હુ' સુખપૂર્વક વસ" છું, સુખપૂર્વક જીવું છું. આ નગરીમાં મારૂં કાંઈ પણ નથી. મિથિલા ખળવા છતાં મારૂ કાંઈપણ ખળતું નથી. અગ્નિના પ્રકાપથી જલતા મિથિલાના રાજમહેલાના સબંધમાં કરાયેલા ઈન્દ્રના પ્રશ્નના ઉત્તર આપતા નિમ રાજિષ કહે છે કે હે વિપ્ર ! હું તેા જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં સુખપૂર્વક વસું છું અને જીવું છું. આ મિથિલાનગરીમાં વસ્તુતઃ મારૂ કાંઈ નથી, એટલા માટે મિથિલા ખળવા છતાં મારી કોઈ પણ વસ્તુ ખળતી નથી. મારી પાસે કાઈ ચીજ મળે તેવી નથી. જે મારી વસ્તુ અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ આત્માના
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy