SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૭૫ ભરાઈ આવ્યું. પ્રભુ પ્રભુ કરતા તેની આંખમાં આંસુ આવી ગયા. તેની આટલી, ભક્તિ જોઈને હેવના મનમાં થયું કે આ વખતે તે ખેડૂત જરૂર વૈકુંઠમાં આવશે પણ તેમની એ આશા નિષ્ફળ નીવડી. ખેડૂત કહે છે, સંસાર તે ખાર ઉસ જેવો છે. તેમાં જીવવાની મજા નથી. મારો દીકરો પરણી ગયો છે, પણ હમણાં તેના લગ્ન થયા છે, તેથી તેને સંસારના કાર્યોમાં બરાબર તૈયાર કરી દઉં. બીજું દરેકને મુડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે તેમ પૌત્રનું મુખ જોવાની મારી ખૂબ ઈચ્છા છે. ખેડૂતની આ વાત સાંભળીને દેવ પાછો ફર્યો અને બનેલી બધી વાત ભગવાનને કહી ત્યારે ભગવાને કહ્યું કે ભલે, તમે બે ત્રણ વર્ષ પછી ફરીને જજો. જોતજોતામાં બે વર્ષે તે પસાર થઈ ગયા. અને દેવ તેને બોલાવવા જાય છે. વૈકુંઠ જતાં રે રાગે –દેવ બોલાવવા આવ્યા ને ખેડૂતનું મૃત્યું થયું. જ્ઞાની ભગવંતે આપણને અહીં એ સમજાવે છે કે રાગ શું કરાવે છે? ખેડૂતની કૃષ્ણજી પ્રત્યેની અનન્ય ભક્તિ હોવા છતાં પોતાના સંતાનો પ્રત્યેના રાગના કારણે વૈકુંઠમાં જવાનું છોડયું પણ સંસારને રાગ ન છોડે. સંસારને રાગ જીવને રડાવે છે. બીજું માનવ માને છે, આજ નહિ કાલે કરીશ. કાલ કાલ કરતાં રહી ગયા ને કાળરાજાના તેડા આવી ગયા, માટે ધર્મકાર્યમાં ક્ષણ માત્રને પ્રમાદ કરવા જેવો નથી. આ ખેડૂત મરી ગયે પણ તેની મૂર્છા રહી ગઈ. સંતાને પ્રત્યે રાગ રહી ગયે તે એની શી સ્થિતિ થઈ? આ તે ખેડૂતો ની વાત છે પણ સંસારમાં વસેલા જીવને કોઈને પૈસાને રાગ, કોઈને પુત્ર-પરિવારને રાગ તે કોઈને ધંધાને રાગ હોય છે. જ્યાં રાગ છે ત્યાં રખડવાપણું છે. આ ખેડૂત સંતાનો પ્રત્યેના રાગના કારણે વૈકુંઠમાં જઈ શકો નહિ. ખેડૂત રાગના કારણે બિલાડો બન્યઃ-આ ખેડૂત ત્યાંથી મરીને બિલાડો થયો. પિતાના છોકરા ઉપરના મોહને કારણે તેને બિલાડાને અવતાર લેવો પડ્યો. અરે મેહ તારી ગતિ ગહન છે. જે ભક્ત હતા તે બિચારો બિલાડો થયો. ખેર ! જેવા જેના કર્મ. હવે આ બિલાડો તેના ગત જન્મના છોકરાની દુકાનમાં રહેતો, અને દુકાનમાં જે ઉંદર આવે ને અનાજને ખાઈ જાય તે ઉંદરોનો નાશ કરવા લાગ્યો, અને ત્યાં ઘર કર્મો બાંધતો હતે. કૃષ્ણજીના મનમાં થયું કે હજુ એને વૈકુંઠમાં આવવું હોય તે બેલાવું અને જો એ આવે તે એને જન્મ સુધરે. એમ વિચારીને કૃષ્ણજીએ દેવને મોકલ્યા. દેવ આવ્યો ને વૈકુંઠમાં જવાની વાત કરી, ત્યારે બિલાડો શું કહે છે? હું આવું તે ખરો પણ હમણાં આ દુકાનમાં ઉંદરો બહુ આવે છે ને અનાજને નુકશાન કરે છે. જો ધ્યાન ન રાખું તો ઉંદરો બધું અનાજ ખાઈ જાય ને બૈરાં છોકરાં ભૂખે મરે. તેમને ભૂખે મરતાં જોઈ હું આવી શકીશ નહિ. કૃષ્ણજીને ઘણી દયા આવી કે બિલાડાનો ભવ સુધરે પણ મેહમાં મસ્ત બનેલા કયાંથી છેડી શકે? દેવ તે ખાલી હાથે પાછા ગયા. થોડો સમય થયો ત્યાં બિલાડાનું આયુષ્ય પૂરું થયું. ત્યાંથી મરીને તેણે ભૂંડને અવતાર લીધો. કૃષ્ણજીને હજુ દયા આવી કે આ ભૂંડ ચારે બાજુ ભટકે છે, તે લાવ તેની ગતિ સુધરે તેમ કરું, તેથી કૃષ્ણજીએ દેવને મેકલ્યો. દેવે ભૂંડ પાસે આવીને કહ્યું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy