SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૧૩ કાંકરાની કહાનીથી જીવન પો: પિતાના શબ્દોએ કમાલ કરી. માણુસ ગમે તેવી ભૂલ કરે પણ જો તેનામાં લજ્જા છે, માનવતા છે, તે તે જરૂર ઠેકાણું આવશે. છેાકરામાં લજ્જા હતી. સંસ્કારનું ખીજ પડયું હતું તેા ભૂલના પસ્તાવા કર્યાં. દીકરા અને વહુ પિતાના પગમાં પડયા. આંસુઓથી ખાપાના પગ ભીંજવી દીધા. બાપુજી ! અમને માફ કરો. હું અધમ પાપી છું. મારા ઉદ્ધાર કરેા. તેના જીવનનું પરિવર્તન થયું. બધા આનંદથી જીવન પસાર કરે છે. શેઠને સમજાઈ ગયું કે આ સંસાર એટલે સુખ દુઃખના અખાડા, સ્વાર્થનું સમરાંગણ, આધિ, વ્યાધિ અને ઉપાધિના ઉકરડા. એમાં રાચવા જેવું નથી. એને રાગ કરવા જેવા નથી. માટે ભગવાને કહ્યું રાગ અને દ્વેષના ખીજથી સ*સાર લીલેાછમ રહે છે. સારા સંસાર નભે છે રાગના પાયા પર, સસાર જીવતા છે રાગના શ્વાસાશ્વાસથી, સંસાર રચાય છે સ્નેહના તંતુઓથી, સંસાર વૃક્ષની સલામતી પણ આ રાગના પાણીથી. જો રાગ છૂટી જાય, સ્નેહના ખ'ધન તૂટી જાય અને મેહના નાશ થાય તા સૌંસારની સમાપ્તિ તરત થઈ જાય, માટે રાગ દ્વેષને છેાડવાની જરૂર છે. આપણા અધિકારમાં યુગમાહુને એક પુત્ર ચંદ્રયશ છે. તે બધાને ખૂબ પ્રિય છે. સમય જતાં મયણુરેહાએ સ્વપ્નામાં કલ્પવૃક્ષ જોયું. પછી રાત્રે ધર્મ જાગ્રિકા કરી. સવાર થતાં મચણુરેહા પતિની પાસે જઇ જય વિજય શબ્દોથી યુગખાહુને વધાવ્યા અને પછી, કહેવા લાગી હે સ્વામી! મને આજે રાત્રે એવું સ્વપ્ન આવ્યું છે કે જાણે કલ્પવૃક્ષ મારા મુખ દ્વારા પેટમાં ઉતરી ગયું. આ સાંભળીને યુગમાડુ ખૂબ હર્ષિત થઈ ને કહે છે, તમારું સ્વપ્ન શ્રેષ્ઠ છે. ભાગ્યશાળી માતાને આવા સ્વપ્ના આવે છે. જેમ કલ્પવૃક્ષની નીચે બેસવાથી છાયા મળે છે ને મનમાં જે વસ્તુની ચિંતવણા કરે તે મળે છે, તેમ આ સ્વપ્નનું ફળ એ ખતાવે છે કે તમને રાજ્યલાભ, ધનલાભ અને પુત્રલાભ થશે, અને જે પુત્ર થશે તે કુળદીપક બનશે. સતીની ભાવના પૂર્ણ કરતા યુગબાહુઃ—મયણરેહા પતિના મુખેથી સ્વપ્નાનું ફળ જાણીને ખૂબ આનંદિત થઈ. ગર્ભના પ્રભાવથી સતીને સારાસારા દોહદ ઉત્પન્ન થવા લાગ્યા. યુગમાહુ તેના બધા દોહદ પૂરા કરે છે. તે કહેવા લાગ્યા, સતી ! લેાકેા કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી પરખાય છે પણ મને તેા પુત્રના લક્ષણા ગર્ભ માંથી પરખાય છે. આ ગભના પ્રભાવથી જ તમને સારા સારા દોહદ થાય છે. તમારી કાંતિ પણ તેજસ્વી દેખાય છે. મયણરેહા ઉચ્ચ વિચાર કરતી, ધર્મનું વાંચન કરતી, આદર્શ જીવન જીવતી ગર્ભનું પ્રતિપાલન કરી રહી છે. હવે શું અને છે ? એક દિવસ મચણુરેહા પેાતાની સખીઓ સાથે મહેલની ગેલેરીમાં આનંદ-કિલ્લાલ કરી રહી છે. પેાતાની સખીઓ સાથે મસ્ત રીતે વાતા કરે છે. કેાઈ સખી કહે છે, પહેલા પુત્ર ચંદ્રયશ તેજસ્વી અને ગુણવાન છે, તેવા ખીજે મહાન આત્મા તારા ગર્ભમાં આવ્યા છે. મયણુરેહા કહે, સખી ! આ બધા પ્રભાવ ધર્મના છે. ધર્મના પ્રભાવથી જ આનંદ <
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy