SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શારદા રત્ન કૌશલ્યાના વિલાપ વાંચ્યા. આ વિલાપ સાંભળતા તેમને પતિની યાદ આવતાં આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. ચાર પાંચ વર્ષ પહેલાં રમેશના પિતા ટાઈ ફાઇડની બિમારીમાં સપડાયા હતા. ત્રણ વખત ઉથલે માર્યા હતા. છેલ્લે લાગ્યું કે હું ખચીરા નહિ ત્યારે પાતીમાને કહ્યું હતું કે મને મરવાની બીક નથી. પણ મારા મૃત્યુ પછી તારુ' શું થશે ? તેનેા મને વિચાર આવે છે. આટલું ખેાલતા તે સ્વર્ગવાસ થઇ ગયા. આ બધુ` પા`તીમાને યાદ આવી ગયું ને તેથી રડવા લાગ્યા. છેવટે થાડી વારે શાંત થયા ને ઘેર આવ્યા. પત્નીને મન પતિ સર્વસ્વ છે. ડોશીમા ઘેર આવ્યા. રમેશની વહુ તે નિરાંતે હિડાળાખાટે ઝુલે છે. પાતીમા પૂછે છે બેટા ! મને ભૂખ લાગી છે. આજે હજુ રસાઈ નથી કરી ? આ શબ્દો સાંભળતા વહુ તેા તાડૂકવા, મેં તેા મારે ઘેર કઈ કામ કર્યું નથી. માટે હું કાંઈ નહિ કરું. બધુ કામ તમે કરો. બેટા ! આ તો સાસરું કહેવાય, તું વહુ કહેવાય. અહી તા કામ કરવુ' પડે ને ? તારા બાપે મારું ઘર જોઈને જ દ્વીધી છે કે ઘર બહુ સુખી નથી. માટે કામ તો કરવું પડે ને ? ડોશીમા બિચારા માનતા હતા કે વહુ આવશે એટલે નિરાંતે પ્રભુ ભજન કરીશ પણ કર્મીના ખેલ કેાઇ એર છે. જીવે જેવા કર્મો બાંધ્યા હોય તેવા ભાગવવા પડે છે, જે પાર્વતીના નસીખમાં સુખ હાત તે પતિ શા માટે મરી જાત ? મણે ઠેકાણે સાસુ વહુના પ્રેમ એવા જોવા મળે છે કે આપણા ઉકળાટ શાંત થઈ જાય. જો સાસુ વહુને દીકરી સમાન ગણે અને વહુ સાસુને માતા તરીકે માને તેા સંસાર સ્વર્ગ જેવા બની જાય છે. જેને ત્યાં પુણ્યના ઉદય ત્યાં આવા સરૂપ, પ્રેમ અને એકતા જોવા મળે છે. જેમના ઘરમાં સપ છે, પ્રેમ છે. તેમના સસાર સ્વર્ગ જેવા લાગે છે. જેના ઘરમાં એકતા નથી, પ્રેમ નથી. પણ રાત દિવસ કલેશ કલેશ હાય છે તેમના સંસાર દાવાનળ જેવા લાગે છે. રમેશની વહુ સુખી ઘરની દીકરી છે, તેથી કરિયાવર ખૂબ લાવી છે પણ તેનામાં સ*સ્કાર નથી. જીવન જીવવાની કળા નથી. તેથી આ સ્થિતિ સર્જાણી. પહેલાના જમાનામાં માણસા કન્યાના રૂપને કે કરિયાવરને જોતા ન્હાતા, પણ સંસ્કારને જોતા હતા. આજે તા માટા ભાગે લેાકેા ધનને અને રૂપને દેખે છે, પણ કન્યા સ`સ્કારી છે કે નહીં તે કોઈ જોતા નથી. જો સસ્કારી વહુ ઘરમાં આવે તેા સસાર સ્વર્ગ જેવા અને ખિનસસ્કારી વહુ આવે તા સંસાર દાવાનળ જેવા બની જાય છે, માટે રૂપને કે લક્ષ્મીને નહિ જોતા સંસ્કાર જોતા શીખેા. કેવા કૌશલ્યા સીતાના પ્રેમ ! એ આદર્શ જો જીવન સામે રાખેા તા પણુ જીવન આદર્શ બને. પતિને આપેલી દમદાટી એક દિવસ ડેાશીમા કથા સાંભળવા ગયા છે. ઘેર દીકરા વહુ ઉપરના ઓરડામાં બેઠા છે. પત્ની રમેશને કહે છે, હવે મારે આ ઘરમાં રહેવું નથી. તને શું લગ્નુ છે તે રહેવુ' નથી ? રમેશ ઘણું પૂછે છે, પણ ઉધ્ધતાઈથી જવાબ આપે છે. રમેશ તેને કાલાવાલા કરે છે, પણ બરાબર જવાબ આપતી નથી, અને રડતા રડતા ખેલે જાય છે. આ સમયે બરાબર ડોશીમા કથામાંથી ઘેર આવ્યા. ઉપર તા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy