SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ શા દર્શન સામે યુદ્ધમાં કઈ જીતી શકે તેમ નથી. પાંડવો પણ ખૂબ પરાક્રમી છે, પણ ધનની મતિ બગડી ગઈ છે. એ કઈ રીતે સમજ નથી. ભીષ્મપિતાએ કરેલી અરજી – આપ તે દયાના સાગર છે. તે આપ અમારા ઉપર દયા કરીને પાંડવોને પક્ષ લઈને યુદ્ધમાં ઉતરશે નહિ. એટલું અમારૂં કહ્યું માન ત્યારે શ્રીકૃષ્ણ ભીષ્મપિતાને કહ્યું કે પાંડે પિતે શુરવીર ને ધીર છે. તેથી હું યુદ્ધમાં શા લઈને લડીશ નહિ પણ અજુનને સારથી બનીને તેનું બધું કામ પાર પાડીશ. કૃષ્ણની વાત સાંભળીને ભીષ્મપિતા અને ધૃતરાષ્ટ્ર પિતાપિતાના સ્થાને ચાલ્યા ગયા. એટલે કૃષ્ણજી કર્ણ પાસે આવ્યા. દેવાનુપ્રિયે ! કૃષ્ણજી કેટલા દયાળુ છે. દુર્યોધને તેમને માટે કેવા શબ્દો કહ્યા હતાં, છતાં એ ભૂલી જઈને યુદ્ધ અટકાવવા માટે કેટલું કરે છે! કુષ્ણુજીએ કર્ણને એકાંતમાં લઈ જઈને કહ્યું કે ભાઈ! તું કુંતા ફેઈને પુત્ર છે, પણ અમુક કારણસર જન્મતાંની સાથે તને પિટીમાં પૂરીને નદીના પ્રવાહમાં વહેતે મૂકી દીધું હતું. નદીમાં તણુતે તું જીવતે રહ્યો ને રાધાને મળે તેથી તું રાધાને પુત્ર કહેવાય છે. બાકી તે તું કુંતાફઈને જાયે અને પાંડવોને સહોદર ભાઈ છે. આ વાત મને કુંતાફેઈએ કરી ને કહેવડાવ્યું છે કે તારે પાંડના પક્ષમાં રહીને યુદ્ધ કરવું જોઈએ. “કણજીને કણે આપેલા જવાબમાં કણે કહ્યું, મેટાભાઈ ! તમારી વાત સાચી છે પણ દુર્યોધને મને ખૂબ સાથ આપે છે. છત્ર, ચામર બધું આપીને મને ચંપાનગરીને રાજા બનાવે છે. તે મને પિતાને સગભાઈ જ માને છે. મારા ઉપર તેના ચારેય હાથ છે. હું દુર્યોધનને પક્ષ નહિ છોડું. દુર્યોધનને માટે પ્રાણ આપવા પડશે તે આપવા હું તૈયાર છું, માટે મને યુધિષ્ઠિરના પક્ષમાં આવવાનો આગ્રહ ન કરશે. અર્જુન સિવાય ચાર ભાઈએ મને ખૂબ વહાલા છે માટે માતાને કહેજે કે હું અજુન સિવાય કેઈને નહિ મા. આ યુદ્ધમાં હું મરીશ અથવા અર્જુનને મારીશ. બેમાંથી એકના મૃત્યુ બાદ પાંચ પુત્ર તે રહેવાના જ છે. માટે ચિંતા ન કરે. આ પ્રમાણે કહીને કર્યું તેને ઘેર ચાલ ગ. એટલે શ્રીકૃષ્ણ પાંડુરાજા પાસે આવ્યા ને બધી વાત કરી કે દુર્યોધન પાંડને એક તસ જગ્યા આપવાની ચિખ્ખી ના પાડે છે તે પછી અડધું રાજ્ય કે પાંચ ગામ આપવાની તે વાત જ ક્યાં? પણ તમારા પુત્રની ખૂબ ક્ષમા છે, ત્યારે પાંડુરાજાએ ગુસ્સે થઈને કહ્યું કે હવે ક્ષમા રાખીને બેસી રહેવા જેવું નથી. રાજ્ય મેળવવા પાંડુ રાજાએ કરેલી હાકલ હે કૃષ્ણ! તમે તે યાદવકુળના શણગાર છે ને મહાબળવાન છે. તે પાંડને સહાય કરે. પાંડે અને યાદવે ભેગા થઈ દુષ્ટ દુર્યોધનને મારીને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મેળવે. તમારી સહાયથી પાંડવોને અવશ્ય વિજય થશે, ત્યારે કુણે કહ્યું કે પાંડે, કુંતા ફેઈ બધા આપના વિગથી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy