SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ ચારતા હશેન h ચરિત્ર :- “ દ્રૌપદીને ભીમ પાસે પાકાર -” દ્રોપદી કે જેનુ નામ અત્યારે માલિની છે તે છાનીમાની રાત્રે ભીમના રસોડે ગઈ અને ભીમાસ પગને અંગુઠા દખાવીને જગાડયા ને ત્યાં એસી ઉંડા નિઃસાસા નાંખીને રડવા લાગી એટલે ભીમે કહ્યું-દેવી ! તું શા માટે રડે છે? ને ગભરાય છે? શા માટે ઉડા ‘નિઃસાસા નાંખે છે ? ત્યારે માલિનીએ કહ્યુ-નાથ ! રાજાના સાળા કીચકે મારા માથે કે ખરાબ વર્તાવ કર્યાં છે? એ શું તમે નથી જાણતાં કે હજુ બેસી રહ્યા છે? તમારા જેવા શૂરવીર ક્ષત્રિયા પેાતાની પત્નીનું અપમાન કેમ સહન કરીશકે ? દ્રૌપદીના આવેશયુક્ત વચન સાંભળીને ભીમે કહ્યુ...- હે દેવી ! તું શાંત થા. યારે તુ સભામાં રડતી આવી અને તે જે વાત કરી તે સાંભળીને હુ એવા ગુસ્સામાં આન્યા હતા કે કીચકને ત્યાં જ મારી નાંખત પણ મેટાભાઈ એ ઈશારો કરીને મને બેસાડી દીધા, પણ હવે તુ રડીશ નહિ. દ્રૌપદી કહે કે હું અધું સહન કરીશ પણ ચારિત્ર ઉપર થતા પ્રહાર સહન નહિ કરું. દ્રૌપદીની વાત સાંભળીને ભીમ ગુસ્સાથી ખેલ્યે કે હું તેને આવતી કાલે યમરાજાના મહેમાન મનાવીશ અને તેમ ન કરુ તે હું કુંતાનો જાયે નહિ ! પણ એ તારી પાછળ પાગલ બન્યા છે એટલે તે કાલે તારી પાસે આવશે ત્યારે તું તેને અર્જુનની નાટયશાળામાં રાત્રે આવવાનુ` કહેજે. હુ' તારા વેશ પહેરીને ત્યાં હાજર રહીશ. માલિની સમજીને મારી સાથે પ્રેમ કરવા આવશે ત્યારે આલીંગન કરવાના બહાને હું તેને ખરાખર પ્રેમને સ્વાદ ચખાડી દઇશ. પછી યમરાજાને ઘેર જઈને જેટલા પ્રેમ કરવા હશે તેટલે કરશે. (હુસાહસ) આ પ્રમાણે ભલામણ કરીને દ્રૌપદીને માકલી દીધી. બીજે દિવસે માલિની સારા શણગાર સજીને બહાર નીકળી ત્યારે કીચક, ત્યાં આવ્યે ને માલિનીના હાથ પકડીને કહે છે હું તને નહિ છે।ડુ . હે સૌરન્ત્રી ! આવુ... સુંદર શરીર દાસીપણાનાં કામ કરવાને ચેગ્ય નથી. માટે હું તારુ' દાસીપણું છેોડાવીને તને મારી રાણી મનાવીશ. કેટલા દાસ દાસીએ! તારી સેવામાં હાજર રહેશે ને ખૂબ આનંદ આવશે. માટે મારી વાત માની લે, ત્યારે માલિનીએ મેહું મલકાવીને કહ્યું-તમારી વાત સાચી છે. તમને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે તે હું સમજું છું, પણ હું તમારું. પાણી જોતી હતી. હવે તમે મધરાત્રે નાટયશાળામાં આવજો. ત્યાં આપણે ખંને મળીશ. આ સાંભળીને કીચક ખુશ ખુશ થઈ ગયા. ખસ, હવે માલિની મારી રાણી ખનશે ને હુ' તેની સાથે સુખ ભેગવીશ. ખંધુએ 1 માહદશા કેવી ભયકર છે! મેહમાં અંધ બનેલેા માનવી કઈ સમજી શકતા નથી. કીચક્રને માલિની પ્રત્યે માહ છે એટલે એમ વિચાર ન કર્યો કે કાલે તે મારે કેટલા તિરસ્કાર કરતી હતી. મને ન કહેવાના શબ્દો કહેતી હતી ને આજે મારા ઉપર આટલેા બધા પ્રેમ ક્યાંથી આચૈ ? એ સમજી શકયેા નહિ.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy