SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ ચાહનારા કાકા વિદુરજી, પૂજ દાદાજી (ભીષ્મ પિતામહ), ગુરૂ દ્રોણાચાર્ય, પુત્ર પ્રેમી કાકા ધ્રુતરાષ્ટ્ર બધા આનંદમાં ને સુખમાં છે ને? પ્રાણપ્રિય અમારી પ્રજા સુખી છે ને ? અમને જંગલમાં મોકલી દુર્યોધનના રાજ્ય કરવાના માથે પૂરા થવાથી ખૂબ ખુશ થયા છે ને? આ સાંભળીને પ્રિયંવદે કહ્યું હા, બધા આનંદમાં છે. બધાના કુશળ સમાચાર જાણ્યા પછી ધર્મરાજાએ કહ્યું કે વારણાવતીમાં લાખને મહેલ બન્યા પછી શું બન્યું અને અમે અહીં છીએ તે તમે કેવી રીતે જાયું તે વાત કહે, ત્યારે પ્રિયંવદ કહે છે કે જ્યારે લાખને મહેલ જલાવવામાં આવ્યો ત્યારે હું વારણુવતીમાં હતું. રાત્રે મહેલ બ ને ભડકે ભડકા નીકળ્યા. એટલે આસપાસના લેકે જાગ્યા પણ જોતજોતામાં મહેલ બળી ગયે. સવાર પડતાં આખી નગરીમાં હાહાકાર મચી ગયે. લેકે પછાડે પછાડ ખાઈને રડતા રડતા બોલવા લાગ્યા કે હે ભગવાન! અમારી નગરીમાં પવિત્ર પુરૂષને પાપી દુર્યોધને કપટ કરીને જલાવી દીધા! પવિત્ર પુરૂષને આવી રીતે મારીને એ પાપી શું સુખી થવાને છે! એમ વિલાપ કરતા સૌ દુર્યોધનને ફટકાર આપવા લાગ્યા. નાના–મેટા દરેકની આંખમાં આંસુ હતા. હું તે બધું જાણતું હતું તેથી મને મહેલ બળવાથી જરા પણ દુખ કે ચિંતા ન હતી, પણ નગરજને તે બૂઝાઈ ગયેલી આગમાંથી અડધા બળેલાં તમારા જેવી આકૃતિવાળા પાંચ પુરૂષ અને બે સ્ત્રીઓને બહાર કાઢી નગરની વચ્ચે લાવ્યા. પાંડવે જ બળી ગયા છે એમ જાણી પ્રજામાં હાહાકાર - લેકને ખબર પડવાથી બધા ત્યાં જવા માટે જવા લાગ્યા, અને જોઈને બોલવા લાગ્યા કે આ પૂર્ણિમાના ચંદ્ર જેવી કાંતિવાળા યુધિષ્ઠિર અડધા બળી ગયા છે છતાં કેવા તેજસ્વી દેખાય છે સ્કૂલ શરીરવાળે ભીમ છે. લાંબા હાથવાળે ધનુર્ધારી અર્જુન છે ને સૌમ્ય આકૃતિવાળા સહદેવ અને નકુળ છે. આ વૃધ્ધા કુંતાજી છે ને આ દ્રૌપદી છે. આ પાંડે જ છે તેમ માનીને લેકે કુકે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. લેકને રડતા જોયા છતાં હું માનતે હતું કે પાંડવે તે સુરંગ દ્વારા બહાર નીકળી ગયા છે ને આ લેકે ટે. વિલાપ કરે છે. હું કુતુહલ દષ્ટિથી ત્યાં જોવા ગયે, ત્યાં જઈને જોયું તે તે મૃત કલેવરે આપના જેવા જ હતાં. તે જોઈને હું ચિંતાતુર બની ગયેને ખૂબ રડવા લાગ્યો ને મારા મનમાં થયું કે ધુમાડે ફેલાવાથી મારા વહાલા પાંડે સુરંગના દ્વારને ભૂલી તે નહિ ગયા હોય ને! અથવા જંગલમાં કેવા કષ્ટ સહન કરવા પડશે તેના ડરથી દુખનું સ્મરણ કરીને પિતે જાતે જ અગ્નિમાં નહિ બળી ગયા હોય ને! કારણ કે ભવિતવ્યતા અનુસાર માનવની બુદ્ધિ પણ બદલાઈ જાય છે. એમ નિશ્ચય કરીને આપના મૃતકલેવરને જોઈને મને ખૂબ આઘાત લાગે ને હું પિકે પિકે રડવા લાગે. રાતે ઉદાસ થઈને હસ્તિનાપુર ગયે ને હાખિત દિલે આપના મૃત્યુના સમાચાર પિતાજીને આપ્યા. તેથી પાંડુરાજા આદિ સર્વે ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. આખી નગરીમાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy