SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ શારદા દર્શન “ભીમની આકરી પ્રતિજ્ઞાથી ધ્રુજી ઉઠેલી સભા" - જ્યારે ભીમે પિતાની પ્રતિજ્ઞાની ઘેષણ કરી ત્યારે આખી સભામાં ખળભળાટ મચી ગયે. ભીમના સિંહ ગર્જના જેવા શબ્દોથી ધરતી ધ્રુજી ઉઠી. દરેકના મનમાં થઈ ગયું કે હવે મામલે ખતમ. સત્યવાન પુરૂષે કદી બેલે નહિ અને બેલે તે તે પ્રમાણે કર્યા વિના રહે જ નહિ. અત્યારે દુર્યોધન ભલે સત્તાના મદમાં નાચતે હેય પણ એક દિવસ એ આવી જશે કે તેમનું નામનિશાન નહિ રહે. ભીમ અને અર્જુનને દુનિયામાં કઈ જીતી શકે તેમ નથી. હવે તમારા પાપ કર્મનાં ફળ તમે ભોગવી લેજે.” બીજા લેકે તે ગમે તેમ બેલવા લાગ્યા. સાથે ભીષ્મપિતા, વિદુરજી વિગેરે મહાનપુરૂષ પણ દુર્યોધન પાસે આવીને કહે છે, હે દુર્યોધન ! અમે તે તને પહેલેથી આ કુર્તવ્ય કરવાની ના પાડી હતી. તેને ખૂબ સમજાવ્યું પણ કઈ રીતે તું સમજે નહિ. આ કપટબાજી રમીને તેં શું લીલું કર્યું? આપણે કુરુવંશ કે નિર્મળ અને પવિત્ર છે! તેની ઉજજવળ કીતિને તે કલંકિત બનાવી. તે સતીને કષ્ટ આપતાં પાછું વાળીને જોયું નહિ. તેનું પરિણામ શું આવશે તેને કંઈ વિચાર કર્યો નહિ, તારે બાપ તે દ્રવ્યથી અંધ છે, પણ તું તે દ્રવ્ય અને ભાવ બંને રીતે આંધળો છે. છતી આંખે તેં ન જોયું કે મારી માતા સમાન દ્રૌપદીને હું શું કરી રહ્યો છું ને તેની કેવી દશા કરું છું ! તને હજાર વાર ધિક્કાર છે. આ રીતે ભીષ્મપિતાએ કહ્યું, ત્યાં વિદુરજી ક્રોધથી લાલચેળ થઈને બોલી ઉઠયાં કે જ્યારે આ દુર્યોધનને જન્મ થયે ત્યારે જ મેં તેને કહ્યું હતું કે આ પુત્ર કુરૂકુળમાં ધૂમકેતુ થશે. એ એ અંગારે પાકશે કે એ પિતાના વંશને ઉછેદ કરશે. કેઈ ચાંડાળ પણ ના કરે તેવા નીચ કર્યો એ કરશે. દયે. ધનને ફીટકાર આપ્યા પછી વિદુરજી કહે છે ધૃતરાષ્ટ્ર ! દેખે, આ તમારી લાડકવાયાએ કેવું કામ કર્યું ? હવે અલ્પ સમયમાં તમારું નામનિશાન નહિ રહે. સારે દીકરે કુળ દીપાવે. તમારા પુત્રએ તે કુળને લજાવ્યું. તમે બાપ થઈને દીકરાને રેક્યો નહિ. આવા દિકરા જીવતાં કરતાં મરેલા સારા. ધૃતરાષ્ટ્ર કહ્યું. મેં ઘણું સમજાવ્યું હતું પણ તે સમયે નહિ. ભીષ્મપિતાએ કહ્યું તમે તેને ફળ ભોગવી લેજે. હવે ધૃતરાષ્ટ્રને દુર્યોધન ઉપર ખૂબ ક્રોધ આવ્યો છે. તે દુર્યોધનને કે ધિક્કારશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૭૫ ભાદરવા સુદ ૧૩ ને રવિવાર તા. ૨૫-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મમતાના મારક, સમતાના સાધક અને સત્યના શેધક એવા જિનેશ્વર ભગવંતેએ ભવ્ય જીનાં કલ્યાણને માટે દ્વાદશાંગી સૂત્રની પ્રક્ષણા કરી. તેમાં અંતગડ સૂત્રને ગજસુકુમારને અધિકાર ચાલે છે. ગજસુકુમાર
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy