SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન તેમાં નીચેવાળા સંતે ચાત્રિ પાનમાં કડક હતા ને ઉપર ઉતરેલા જરા કમ હતા. તે એ બંનેમાં પરિત સંસારી કોણ? ભગવંતે જવાબમાં કહ્યું ઉપર ઉતરેલા સંત અલ્પસંસારી હતાં. આ સાંભળી શેઠ અને શ્રેતાજને ચકિત થઈ ગયા. - ભગવંતે કહ્યું એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. નીચે ઉતરેલા સંતે ખૂબ ક્રિયાવાન હતા. તપ-ત્યાગ ખૂબ કરતા હતા પણ દંભી અને નિંદા કરનારા હતા, અને ઉપર ઉતરેલા સંત ક્રિયામાં થોડા હીન હતાં, છતાં તેઓ ગુણાનુરાગી હતાં. તેમજ પિતાનાથી તપ થઈ શકતું નહોતું તેને ઘણે પસ્તાવે તે માટે તે હળુકમી જીવ વહેલ મેક્ષમાં જશે અને નીચે ઉતરેલાં સંતે કડક ચારિત્રવાન હોવા છતાં દંભી અને નિંદક હોવાથી તેમને માટે મેક્ષ હજુ ઘણે દૂર છે. તેમને હજુ ઘણાં લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. આવું દષ્ટાંત સાંભળીને જે ગુણાનુરાગી બનશે તે જલ્દી કમેને ક્ષય કરીને મેક્ષે જશે. એકલી બાહ્ય ક્રિયા ઉપરથી ધર્મ માપી શકાતું નથી. બાહ્યપ્રવૃત્તિ ઘણી ઉંચી કરતાં હેય પણ જો અંદરની પરિણતિ શુદ્ધ નહિ હોય તે એકલી બાહ્યપ્રવૃત્તિ માત્રથી કલ્યાણ થઈ જતું નથી. જેમ પ્રવૃત્તિ ઉંચી હોય તેમ અંદરની પરિણતિની ધારા પણ શુધ્ધ હોય તે જ આત્મા જલદી મેક્ષગામી બની શકે છે. દેવાનુપ્રિય પારકાના અવર્ણવાદ બોલનારે મનુષ્ય જે જે વચનો વડે બીજાને દેષિત ઠરાવે છે તે તે દે તેમના માથે આવે છે. દા. ત. કેઈના માથે ખોટું અળ ચઢાવીએ તે આપણા માથે આળ ચઢે. એટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે પરનિંદા કરનાર વ્યક્તિનું મુખ જોવા લાયક નથી. તમે સાંભળ્યું ને નિંદા કરવામાં કેટલું પાપ છે! મેં સાધુની વાત કરી. સાધુને આટલું પાપ લાગે તે તમને લાગે કે નહિ? આવું સમજીને નિંદા કરવી, પરાયા દે જેવા આ બધું છોડીને બને તેટલાં કેઈના ગુણ ગાએ, શાસ્ત્રનું શ્રવણ કરે ને ગુણાનુરાગી બને. આપણે ગજસુકુમાલનો અધિકાર ચાલે છે. સિંહકેશરી સમાન ગજસુકુમાલને જન્મ થે. કૃષ્ણ વાસુદેવ પિતાના લઘુ બાંધવને જન્મ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે તે વાત ચાલે છે. સૂત્રમાં તે લખ્યું છે કે “ગમન ના મેહમારે ” જેમ શ્રેણીક રાજાએ મેઘકુમારને જન્મ મહત્સવ ઉજવ્યો હતો તેમ વાસુદેવ રાજાએ ગજસુકુમાલને જન્મ મહોત્સવ ઉજવ્યો તેમ સમજી લેવું. વસુદેવરાજા અને કૃષ્ણ વાસુદેવની આજ્ઞાથી દશ દિવસ સુધી દ્વારકા નગરીમાં જન્મ મહોત્સવ ઉજવવાનો છે. એટલે આખી નગરી વજાપતાકાઓ અને તેણેથી ખૂબ શણગારી છે. ઠેરઠેર સુગંધિત પુષ્પોની માળા લટકાવી છે. મંગલ વાજિંત્રે લાગે છે. શરણાઈઓના સુર ગુંજે છે. મંગલ ગીતે ગવાય છે અને દશ દિવસ સુધી રાજયમાં નર્તકીઓનાં નૃત્ય, નાટક વિગેરે મને રંજન કાર્યક્રમ ગોઠવાયા છે. આખી દ્વારકા નગરીમાં આનંદ, પ્રમાદ અને પ્રસન્નતા ભર્યું વાતાવરણ છવાઈ ગયું છે. પુત્ર જન્મોત્સવ માટે જે જે માણસને જે જે કાર્ય કરવાની આજ્ઞા કરી હતી તે પ્રમાણે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy