SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ તરફ દમયંતીના પિતાજીને હરિમિત્ર નામને એક બ્રાહમણ રાજાને મળી પ્રણામ કરીને ચંદ્રયશા રાણીની પાસે ગયો. રાણી ઓળખી ગયા કે આ તે મારી બહેનના ગામને બ્રાહ્મણ છે. એટલે તેને પ્રેમથી બેલા ને કહ્યું –ભાઈ! મારી બહેન અને બનેવી - બધા કુશળ છે ને? ત્યારે બ્રાહ્મણે કહ્યું –બહેન! આમ બધી રીતે આનંદ છે પણ અત્યારે તેઓ મોટી ચિંતામાં છે. ભીમરાજા અને પુષ્પદંતી રાણી બંનેને શરીર તે લાશ થઈ ગયા છે. ત્યારે રાણીએ આતુરતાથી પૂછ્યું કે મારા બહેન બનેવીને માથે એવું શું દુઃખ આવી પડયું છે? ભાઈ! તું જલ્દી કહે. રાણીની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું નળરાજા તેમના ભાઈ કુબેરની સાથે જુગાર રમ્યા. રાજ્ય હારી ગયા અને નળરાજા અને દમયંતી વનમાં ગયા. નળરાજાએ દમયંતીને વનમાં એકલી મૂકી દીધી. આવા સમાચાર સાંભળીને ભીમરાજા અને પુષ્પદંતી મહારાણી મૂછિત બની ગયા. તેમને ખૂબ આઘાત લાગ્યા. તેમને શીતપચાર કરીને ભાનમાં લાવ્યા. પછી ભીમરાજાએ ઘણાં માણસને નળ-દમયંતીની શોધ કરવા મોકલ્યા છે. તેમાં મને પણ નળ-દમયંતીની શોધ કરવા મોકલે છે. હું ઘણાં ગામ,નગર, જંગલ બધે ફર્યો પણ હજુ સુધી નળરાજા કે દમયંતી કઈ મને મળ્યા નથી. બ્રાહ્મણના મુખેથી વાત સાંભળીને ચંદ્રયશા રાણી ખૂબ રડયા. અહે મારી બહેન અને બનેવી આટલા બધા દુઃખમાં છે? અમને તે કાંઈ ખબર નથી. અરેરે...એ મારી પવિત્ર ભાણેજ કયાં હશે ? નળરાજાને ધિકાર છે કે એકલી છોકરીને જંગલમાં મૂકી દીધી. આ બ્રાહ્મણ રાણીને વાત કરીને દાનશાળામાં જમવા માટે ગયે. ત્યાં તેણે દમયંતીને જોઈ અને ખુશ ખુશ થઈ ગયે, અને દમયંતીના પગમાં પડીને કહ્યું, દીકરી! તું અહીં કયાંથી? તને શોધી શોધીને થાકી ગયા ત્યારે આજે તારા દર્શન થયાં. બ્રાહ્મણ ભેજન કરીને દેડતે રાણી પાસે આવ્યો ને કહ્યું, મહારાણુંજેની શોધમાં આવ્યો છું તે આપની ભાણેજ દમયંતી આપની દાનશાળામાં છે. આ સમાચાર સાંભળીને રાણી દેડતા દાનશાળામાં આવ્યા ને દમયંતીને ભેટી પડયા ને કહ્યું, બેટા ! હું તારી સગી માસી થાઉં છું. માસી તે માતા જ કહેવાય ને ! તે મને તારી ઓળખાણ કેમ ન આપી? તારાથી આવું કરાય? ત્યારે દમયંતીએ કહ્યું, માસી બા ! આપની વાત સાચી છે પણ કર્મોના ઉદય વખતે ઓળખાણ આપવી નકામી છે. એક દિવસ દમયંતીના માસા-માસી બધા બેઠા હતા. તે વખતે એક દેવ આકાશમાંથી ઉતર્યો ને દમયંતીને પ્રણામ કર્યા, અને કહ્યું કે હે માતા ! આપે જે પિંગલ નામના ચિરને છેડાવીને ધર્મ સમજાવી ચારિત્ર અપાવ્યું હતું તે સંત વિચરતા વિચરતા તાપસપુર ગયા. ત્યાં સમાધિપૂર્વક કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા છે તે હું છું. મહાસતી ! જે તમે મને પ્રતિબંધ પમાડા ન હતા તે હું આજે નરકમાં દુખ ભગવતે હેત. આ બધું આપને પ્રતાપ છે. આમ કહીને સાત ક્રોડ સેનૈયાની વૃષ્ટિ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy