SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ચારવા ન ૪૫ આત્મા, અદેહી, અવિકારી, અકર્મો એવા હુ... આજે શું કરી રહ્યો છું? એની પ્રત્યેક પળે જાગૃતિ રાખવાની જરૂર છે. આ અંધુએ ! આત્માના શુધ્ધ સ્વરૂપનું મંથન અને ચિંતન સદા કરતા રહે કે મારા આત્મા એ પરમાત્મા બનવાવાળા છે. મારે પરમાત્મા બનવા માટે પુરૂષાર્થ કરવાનો છે પણ પરમાત્મા બનવાની લાયકાતવાળા આત્માને અધર્માત્મા બનાવવાનો પુરૂષાર્થ તા નથી કરતા ને ? કદાચ એવા પુરૂષાથ અત્યાર સુધી અજ્ઞાન દશામાં કર્યું પણ હવે સમજણુના ઘરમાં આન્યા છું તેા અધમતા અને મલીનતાના વિચારેને દૂર કરીને પવિત્ર વિચાર કરી આત્માને પરમાત્મા સ્વરૂપની નજીક લઈ જાઉં. પરમાત્માસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જગત પ્રત્યે અરિસા જેવા શુધ્ધ, નિલે પ અને ઉદાસીન દૃષ્ટા ખનવાનુ લક્ષ કેળવવુ પડશે. અરિસા સામે કેાઈ પથ્થર લઈને અરિસા તેડવા આવે અને બીજો હાર લઈ અરિસાને પહેરાવવા આવે તે અરિસે પથ્થર સામે લાલ નહિ થાય ને હાર પહેરાવનાર સામે હષિ ત નહિ થાય. અરિસામાં અને પ્રતિબિંબ પડે ખરા પણ એને એ માટે નથી રાષ થતા કે નથી તેાષ. ખસ, આપણા આત્મા અરિસા જેવા બની જાય તે જરૂર પરમાત્મા બની જાય. જગતમાં મારી સામે વિરુધ્ધ કે વહાલી ગમે તેવી પ્રવૃત્તિ થાએ પણ મારે તેની સામે ન દ્વેષીલા બનવાનું કે ન પ્રેમાળ અનવાનુ. ગમે તેવા સચાગા ઉભા થાય પણ તેમાં મારા આત્માને વિકારી બનવાની જરૂર નથી. જગતની ઉજ્જવળતામાં ઉજળા બનવાની કે મલીનતામાં મલીન બનવાની જરૂર નથી. મારા આત્મા એટલે પરમાત્મા છે અને પરમાત્માનો આત્મા જગતથી નિરાળા છે. નિરાળા એટલે એકદમ શુધ્ધ અને શુધ્ધ એટલે જગતની કોઈ પણ અસર એના ઉપર નહિ. જગતના ભાવાને ભૂલીને આવા પરમાત્મા પ્રભુના સ્વરૂપમાં જો આત્મા લીન અને તેા અલૌકિક સુખ અને આનંદ મેળવી શકે. પછી આ ખાહ્ય સુખ કે આનંદની આકાંક્ષા નહિ રહે. જે મનુષ્ય પરમાત્માના સ્વરૂપને જાણીને તેની પ્રાપ્તિ કરવા તત્પર બને છે તેને કોઈ ગમે તેટલી લક્ષ્મી આપે, હીરા, માણેક અને મેાતીના તેની સામે ઢગલા કરે તેા પણ તેને મન તુચ્છ લાગશે. એક વખત લક્ષ્મીની પાછળ મુગ્ધ અનેલા માવી સ્વરૂપની પીછાણુ થયા પછી એમ કહેશે કે લક્ષ્મીના ઢગલા એ સુખના ઢગલા નથી પણ એ તે ઝેરી સાપના ભારા છે. સંસારમાં રહેવા છતાં પણ મનુષ્ય આવી સાત્વિક વિચારણા કરી શકે છે. તેા ત્યાગીની વાત તેા કેટલી ઉંચી હાય ! પણ જે આત્માને અંદરથી છૂટયું નથી તે કેવી ભૂલ કરે છે તે એક ન્યાયથી સમજાવુ.. એક અન્ય ધર્મના ચાગી ભિક્ષા લેવા માટે નીકખ્યા. ઘરઘરમાં ભિક્ષા માટે છે. ફરતાં ફરતાં એક શ્રીમંતને ઘેર આવ્યા. એ ઘરના શેઠાણીને તેના પતિએ સોનાની લગડી આપી હતી. શેઠાણી ઉતાવળમાં હતા તેથી લેટના ડખ્ખામાં વાટકી મૂકી દીધી. ચાંગી ભિક્ષા લેવા માટે આવ્યા. ત્યારે શેઠાણીના દશ વર્ષોંના ખાખાએ જેમાં લગડી છે તે વાટકી લે! ભર્યાં અને ચાગીને આવ્યે તેથી સેાનાની લગડી તેમાં ગઈ. ચેાગીએ લગડી જોઈ. કહેવત છે ને કે“ દેખે પીળું ને મન થાય શીળું.” તેમ પીળું જોઇને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy