SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખર વ્યાખ્યાતા, બાલ બ્રહ્મચારી, વિદુષી પૂ. શારદાબાઇ મહાસતીજીની જીવનરેખા પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન” પવિત્ર ભારતભૂમિ એ અનેક વીર રતનની ખાણ છે. જે ભૂમિમાં અનેક તીર્થકરો, કેવળી ભગવતે અને શાસનનું વીરલાને હીરલા જેવા તેજસ્વી રને થયા છે. તેવા શાસનરનેથી આજે પણ આ ભૂમિ ઝળહળી રહી છે. તે રનેમાં એક છે જૈન શાસનમાં એક સતી તરીકે રહીને જેમણે જૈન શાસનને ડંકે દેશદેશમાં વગાડી, જ્ઞાનની પરમ તેજસ્વી પ્રભા પ્રગટાવી, અનેક સુષુપ્ત આત્માઓની ચેતનાને જાગૃત કરી આધ્યાત્મમાર્ગે વાજ્યા છે, જેમણે દિવ્ય જીવન જીવવાની કળાને અપૂર્વ બોધપાઠ જગતને આપે છે, જેમના નામથી આજે કઈ પણ વ્યક્તિ અજાણ નહી હોય. એવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, શાસન રત્ના, મહાન વિદુષી બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી. સંત પુરૂષોને જન્મ આપનાર માતા પણ અમર બની જાય છે. તારાઓના સમૂહ રૂ૫ હજારે બાળકને જન્મ આપનાર અનેક માતાઓ હોય છે પણ સૂર્ય સમાન મહાન તેજસ્વી, યશસ્વી શાસનરત્નને જન્મ આપનાર માતાએ વિરલ હોય છે. આદર્શ માતાએ જ જૈનશાસનનેમાં ધર્મધુરંધર બની શકનાર આત્માઓને જન્મ આપી શકે છે, અને પિતાના સંતાનને વીરતાના, દૌર્યતાના પાઠ પઢાવી, સદ્દગુણના શણગારોથી શણગારી સંતાનોની મહામૂલ્ય ભેટ જૈનશાસનને અર્પણ કરી શકે છે. તેથી આવા શાસનના સતીજીના જીવનની રૂપરેખા આલેખતાં પહેલા તેમના જન્મદાતા માતા પિતાનું આલેખન કરવાનું મન થઈ જાય છે. શાસનપ્રેમી ધર્મરસિક પિતા વાડીભાઈ તથા સદગુણેથી શોભતા માતા સારી બહેને જૈનશાસને ઉજ્જવળ કરનાર અને સંપ્રદાયની શાન વધારનાર, જીવન ઉધ્ધારક, પ્રતિભાશાળી, મહાન સતીરતન બા.બ્ર. શારદાબાઈ મહાસતીજીને સવંત ૧૯૮૧ના માગશર સુદ ૧૧ ના પવિત્ર દિવસે મધ્યરાત્રીએ સાણંદ શહેરમાં જન્મ આપે. ખરેખર કોને ખબર હતી કે આ નાનકડી બાળા ભવિષ્યમાં વીર પ્રભુના મહાન ત્યાગ માગે પ્રયાણ કરી પોતાના સદગુણ સુમનની સૌરભ સારી દુનિયામાં પ્રસરાવી, અમૃતવાણીના સિંચનથી ભવ્ય જીવેને બળતા દાવાનળમાંથી ત્યાગની શીતળ તપોવન ભૂમિમાં લાવી માતાપિતાના નામને દુનિયામાં રોશન કરશે. આ ભાગ્યશાળી માતા સકરી બહેનને પાંચ દીકરીઓ અને બે દીકરા હતા. જેમાં અત્યારે ચાર દીકરીઓ અને બે દીકરા મેજુદ છે. આપણે તે મુખ્ય વાત જૈનશાસનને જવલંત રાખનાર શાસનદિપીકા બા.બ્ર. વિદુષી પૂ શારદાબાઈ મહાસતીજીના જીવનની રૂપરેખા લખવી છે તેથી તેમના જીવનના પ્રસંગે વિચારીએ,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy