SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ : સેવા પાષાણ, ખાલ્યાં દ્વાર હાય છે; કારણ તે સુખ વેદનીય કમજન્ય છે એટલે ઔધિક છે. આ સુખ સ્વયંમાં સહેજ કે નિર્વિકાર નથી. આ સુખ સ્વયંભૂ પણ નથી. આ સુખ સદા પરાપેક્ષી એટલે પદાર્થોમાંથી જન્મનારું અને પદાર્થા સાથે સંબંધ ધરાવનારુ હાવાથી તે પદાથ સાપેક્ષ અને પરાધીન ગણાય છે. અત્રે જે હું પરમ સત્તાના ઉલ્લેખ કરી રહ્યો છું તેના અથ એ ન સમજશે કે જગતનું સર્જન, પાલન અને વિસર્જન કરનાર તે કોઈ એક આકાશમાં બેઠેલા જગતનિયંતા છે. આપણે આવી કેઇ સત્તાને સ્વીકારતા નથી. જૈનદન વિશ્વ પર આવી પરમ સત્તાનું નિયંત્રણ સ્વીકારતુ નથી. તે પરમ નિય'તા એટલે ઈશ્વર નામની કેાઈ વિશિષ્ટ વ્યક્તિ છે જે કયાંક અન્યત્ર રહે છે અને આ જગતનું નિયમન કરે છે, આવી કોઈ નિષ્ઠા કે શ્રદ્ધા આપણે ધરાવતા નથી. આ બાબતમાં આપણે અન્ય દનાથી જુદા જ વિચારો અને જુદી જ માન્યતા ધરાવીએ છીએ. આપણી દૃષ્ટિએ તે સૌ ચેતના પોતપોતાની રીતે પરિપૂર્ણ જ છે. સૌમાં પરમ ચેતન અથવા પરમ સત્તા અભિવ્યક્ત થઇ શકે એમ છે. તે પરમ ચેતન અન્યત્ર કયાંય નથી. આપણામાં જ તે વિરાજિત છે. આપણેા વિકાસ આપણા પુરુષાથ અને વિવેકને આધીન છે. વિવેકથી જ વિકાસ શકય છે. આ વાતને સમજાવતુ એક સુંદર બૌદ્ધ દૃષ્ટાંત છે. ભગવાન બુદ્ધના એક શિષ્યનું નામ પૂરણ હતું. એક વખતે તે ભગવાન બુદ્ધ પાસે ઉપસ્થિત થયા અને સુના પરન્ત' નામના એક અજ્ઞાત અને અજાણ્યા પ્રાન્તમાં એકાકી વિચરવાની પોતાની ભાવના વ્યકત કરી. આ ભાવનાની પાછળ તેના ઉદ્દેશ ભગવાન બુદ્ધના ધર્માંસ દેશને તે પ્રાન્તના લેાકો સુધી પહેાંચાડવાના હતા. પૂરણની ભાવના નિરિચ્છ અને નિશ્ચલ હતી. પરંતુ ધર્મ પ્રચારતું કા' આપણે સમજીએ છીએ એવું સહેલું નથી હતું. ધર્મ પ્રચારકો જો પરમ નિષ્ઠા અને પરમકેટિના શિખરને સ્પસ્થ્ય ન હેાય તે ધર્મ પ્રચાર તેમને માટે આશીર્વાદરૂપ થવાને બદલે અભિશાપરૂપ નીવડે છે. એટલે ધમ પ્રચારકાની યાગ્ય કસેટી અનિવાય માની ભગવાન બુદ્ધે પૂરણને કહ્યું: પૂરણ ! તમે તે પ્રાન્તમાં ધમ પ્રચાર કરવાની જે ભાવના ધરાવા છે તે તે પ્રશંસનીય છે પરંતુ તમાને ખબર નથી કે તે પ્રાન્તના લોકો ભારે ક્રૂર, નિષ્ફર, નિય અને હિંસક છે. તમે ધર્મ પ્રચાર કરવા ત્યાં જશે! ખરા, પરંતુ તે લેાકેા તમને ગાળેા દેશે, તમારી નિંદા કરશે તે તમે શું કરશે ?” પૂરણ-‘પ્રભા ! તે હું સમજીશ કે તે લેાકે ભલા છે કે, મને ગાળેા દઈને અથવા તે મારી નિંદા કરીને જ તેઓ અટકી ગયા છે. લપાટ અને લાતા તે નથી મારતાને? માટે હું માનીશ કે તે લેાકે ઘણા સારા છે. ભગવાન બુદ્ધ માનેા કે તે લેાકે તમને ગાળેા આપવા કે તમારી નિરંઢા કરવાને બદલે તમને લપાટો અને લાત મારશે તે ?”
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy