SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ તી અને તીથ કર : ૪૬૫ પ્રયાગ છે કે, એને લઈ તે સ્થાન ચેતનાની ઊજાઓથી ભરાઈ ગયુ છે. હવે જે વ્યક્તિ ત્યાં એસી પેાતાની રીતે આરાધના અને મંત્રાનેા પ્રયાગ કરે, તે તેની પણ ચેતનાના વિકાસની દિશાની યાત્રા સરળ અને ઝડપી બની જાય. આ બધી પ્રક્રિયા સામાન્ય છે અને માત્ર કહેવા ખાતર કહી નાખવા જેવી સાધારણ નથી; પરંતુ તે વૈજ્ઞાનિક છે, વિજ્ઞાનની જેવી બીજી પ્રક્રિયાએ છે તેવી જ આ ચેતનાના વિકાસની પણ પ્રક્રિયા છે. ચારેકોરથી માને કે આપણે એક એવી જગ્યા ઉપર ધ્યાન ધરવા બેઠા છીએ જ્યાં નકારાત્મક ભાવાવેશ પ્રવાહિત થતા હાય. અથવા આ વાતને એ રીતે ધ્યાનમાં લે કે, આપણે જે સ્થાને ધ્યાન કરવા બેઠા છીએ તે સ્થાનની ચારે બાજુ જો હિંસક આત્માએ બેઠા હોય તે ધ્યાન ધરવાની ક્ષણે આત્મામાં એવી તે ગ્રાહકતા આવી જાય છે કે, આસપાસના વાતાવરણના તેમાં સરળતાથી પ્રવેશ થઈ જાય છે. એટલે ધ્યાન ધરતી વખતે ચારેકાર ચેતનાના કેવા તરંગે છે તે હકીકત ઉપયેગપૂર્વક લક્ષ્યમાં લેવા જેવી છે. આમ તે જેલખાનામાં અનેક પ્રકારના અપરાધીઓ વચ્ચે પણ ધ્યાન ધરી શકાય છે, પરંતુ આ રીતે ધ્યાન ધરવામાં પરમ સખળ વ્યકિતત્વ જોઇએ. વળી જેલખાનામાં ધ્યાન ધરવાની પ્રક્રિયાઓમાં ઘેાડી ભિન્નતા હશે. જેલખાનામાં એક અવરાધક લક્ષ્મણ રેખા નિર્મિત કરવી પડશે કે જેની આગળ અશુભ તરંગાની અસર પહેાંચી ન શકે. પરંતુ સમ્મેત શિખર જેવા સ્થાને કે જ્યાં અનંત ચેતનાઓએ અનંતની યાત્રાની સાધના કરી, અનંત અને અસીમની ઉપલબ્ધિના એક ધારી મા ઊભા કરી દીધેા છે, ત્યાં અવરોધક રેખાની જરૂર રહેતી નથી. અસ`ખ્ય માણસેાએ એક જ સ્થળેથી અનંતમાં પ્રવાહુિત થઈ ને એક એવા સુગમ માનું નિર્માણ કર્યું. છે કે અનુયાયીઓને તે જ માની યાત્રા સુગમ અની જાય છે. તીર્થં એક એવું સ્થાન છે, જ્યાંની હવાએ શરીરથી આત્મા તરફ વહી રહી હેાય છે. ત્યાંનું આખું વાતાવરણુ, વાયુમંડલ પૂરેપૂરુ તર’ગાયિત છે જ્યાંથી હજારો ચેતનાઓ ઊધ્વગામી બની છે. અસખ્ય આત્માએ સમાધિસ્થ થયા છે, અગણિત આત્માએ ધ્યાન ધરીને પરમાત્મામાં રૂપાંતરિત થયા છે. જ્યાંથી આવી એકાદ નહિ પણ અસખ્ય ઘટનાએ લાખા વર્ષોથી ક્રમબદ્ધ રીતે ખરાખર ઘટતી રહી છે. આવાં સ્થાના એક વિશેષ આવિષ્ય-શકિત વિશેષથી ભરેલાં બની જાય તે તેમાં આશ્ચય શુ' ? મદિરના પક્ષમાં કોઈ ધમ તીનું નિર્માણ કરે તે સમજી શકાય છે. પરંતુ તીર્થોનું નિર્માણુ તા તે ધર્માએ કર્યું છે જે મંદિરના પક્ષમાં નહેાતા, જે મૂર્તિઓના વિશેષી હતા. કારણ તીર્થોના વ્યાપક ઉપયોગ હતા જેના ઇન્કાર કરવા મુશ્કેલ હતા. જૈન લેાકેા મૂલતઃ મૂર્તિપૂજક નથી. મુસલમાન, શીખ પણ મૂર્તિપૂજક નથી. બૌદ્ધો પણ પાછળથી મૂર્તિપૂજક થયા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મૂર્તિના વિરોધી આ બધા ધર્મોએ તીર્થાંનું નિર્માણ કર્યું. હકીકતે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy