SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર સૂકી લાકડીની માફક સૂકી થઈ જાય છે. તેમાં સામાન્ય પ્રયાગથી પણ અગ્નિ પેદા થઈ જાય છે. એટલે ઉપવાસ ચેાગાગ્નિ ઉત્પન્ન કરવા માટેનુ અનિવાય અંગ છે. જ્યારે અંદર ચેાગાગ્નિ ઉત્પન્ન થાય છે ત્યારે તેના બે પ્રયાગ સંભવી શકે. એક તે એ કે ઇન્દ્રિયાના સૂક્ષ્મ રસને અગ્નિમાં સમર્પિત કરી દે તે વ્યકિત જીવિત અવશ્ય રહેશે પરંતુ રૂપાન્તરિત થઈ જશે, બીજી જ જાતની થઈ જશે. અને આ અગ્નિના અન્તતઃ મૃત્યુના સમયમાં પણ ઉપયોગ કરી શકાય છે, ત્યારે શરીર પૂરેપૂરૂં સમર્પિત કરી શકાય છે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીએ પોતાની ઇન્દ્રિયેનુ' સંયમ યજ્ઞમાં સમણુ કરેલ છે. સાધના અને તપશ્ચર્યાનાં મળે ચેાગાગ્નિ પણ પ્રગટાવેલ છે. એટલે સાંસારિક આકષ ણા કે વૈષયિક વિકાર, વાસનાએ અને વિકલ્પે તેમાં ખળીને રાખ થતા જાય છે. આજે આપણે જેની ચર્ચા કરી છે તે અગ્નિની વાત તે કરવાના નથી. પરંતુ એક એવા પણ અગ્નિ છે, જે આપણા માનસને સંક્ષુબ્ધ બનાવી દે છે, ચિત્તવૃત્તિને ડહોળી નાખે છે, આપણા આંતરિક ગુણાને માળી રાખ કરી નાખે છે તેના સંબંધના પ્રશ્ન પૂછતાં પહેલાં શ્રી કેશીકુમાર શ્રમણનું લતાના પ્રશ્નના સંબંધેનુ, સમાધાન થઈ જતાં, શ્રી ગૌતમસ્વામી પરત્વે પેાતાની કૃતજ્ઞતા પ્રગટ કરતાં તેઓ કહે છે– साहु गोयम ! पन्ना ते छिन्नो मे संसओ इमेा । अन्ना वि संसओ मज्झ त मे कहसु संपज्ञ्जलिया घेारा अग्गी जेऽहन्ति सरीरत्था कह गोयमा ! ॥ ४९ गायमा ! | चिट्ठ विज्झाविया तुमे १ ॥ ५० હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમેએ મારા સદેહ દૂર કર્યાં છે. હજી મારી એક શંકા છે તે વિષે તમે મને કહે. હું ગૌતમ ! ચારેકોર ઘાર પ્રચંડ અગ્નિ ખળે છે. તે શરીરસ્થા-જીવાને ખાળે છે. તે તમે કેવી રીતે શાંત કર્યાં ? પેાતાના પ્રશ્નનું સમાધાન થતાંની સાથે સાધુવાદના પ્રઢનપૂર્વક એક નવેા પ્રશ્ન જિજ્ઞાસા બુદ્ધિએ તરત જ પૂછી નાખ્યા કે, સંસારમાં પ્રાયઃ બધા જીવા એક પ્રકારની સળગી રહેલી પ્રચંડ જવાલાઓથી ભરેલી ભઠ્ઠીમાં સળગી રહ્યા છે. એ અગ્નિમાંથી પેાતાની જાતને સુરક્ષિત રાખી શકે એવા ભાગ્યશાળી વિરલ આત્મા જ છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક તાપત્રયથી સંતપ્ત આ જગત છે. ક્રોધ, માન, માયા અને લાભની આગની આંચમાંથી ભાગ્યે જ કેાઈ બચી શકે એમ છે. આ આગના ભયંકર ઉત્તાપથી સૌ કોઈ ઉત્તપ્ત છે. છતાં પેાતાની ઉત્તખ્તા તે અનુભવી શકતા નથી. કષાયાની આ અગ્નિનેા સંસ્પર્શે ડગલે અને પગલે થયા જ કરે છે. એના અભિશાપાના ક્ષણેક્ષણ સૌ ભાગ પણ થતા હોય છે. છતાં જાણે કશા જ સસ્પ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy