SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પ્રભુતા ગઈ કાલે પ્રમાણના વિષયની વાત કરી હતી. આજે તેના જ અગા અને ઉપાંગને સવિસ્તૃત રૂપે તપાસીએ. તેના ભેદ પ્રભેદોની સમજણથી પ્રમાણુ વિષયક વિશદ સમજણ અને સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. તદનુસાર, પ્રમાણના ભેદોના સંબંધમાં બધા દાનિકો એકમત નથી. કેાઈ એક, કોઈ એ, કેાઈ ત્રણ, કોઈ ચાર, કોઈ પાંચ, કોઈ છે, કોઈ સાત તે કોઈ આઠ ભેદ પણ માને છે. જૈન દનની દૃષ્ટિએ તે પ્રમાણુના મૂળ એ ભેદ છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરાક્ષ. પ્રત્યક્ષ પ્રમાણ ઃ જે પ્રમાણ વડે પદાના નિળ, સ્પષ્ટ પ્રતિભાસ હોય તે પ્રત્યક્ષ પ્રમાણ છે. જેમકે, આંખાથી કઈ માણસને જોવાથી જે સ્પષ્ટ જ્ઞાન થાય છે તેવું કોઈના કહેવાથી કે ચિત્ર વડે થતું નથી. કોઈના કહેવાથી આપણે એ જાણી શકીએ કે અમુક વ્યકિત સરસ ગાય છે; પરંતુ તેના સુંદર ગાવાનું યથાર્થ જ્ઞાન તે આપણને ત્યારે જ થશે જ્યારે આપણે તે ગાયનનુ શ્રવણ પ્રત્યક્ષ કરીશુ, એટલે કે આપણા કાનેથી જ આપણે તેને સાંભળીશુ’ આ રીતે પ્રત્યક્ષ જ્ઞાન ઇન્દ્રિયાથી, મનથી અને આત્માથી થાય છે. જેમ પરાક્ષ જ્ઞાનને ખીજા જ્ઞાનના અવલખનની જરૂર રહે છે, તેમ પ્રત્યક્ષ જ્ઞાનને બીજા કોઈ જ્ઞાનના અવલંબનની જરૂર રહેતી નથી. જેમકે, ધૂમાડાને જોઈ અગ્નિનુ જ્ઞાન થવું. અત્રે ધૂમાડા પ્રત્યક્ષ છે, પરંતુ અગ્નિ પરીક્ષ એટલે કે અનુમાન છે. ધૂમાડાના જ્ઞાન માટે આપણને પૂર્વે કોઈ અન્ય જ્ઞાનની અપેક્ષા નથી; પરંતુ અગ્નિનું અનુમાન ધૂમાડાને જાણ્યા વગર સંભવી શકતુ નથી. આવા જ્ઞાનની વચ્ચે કોઈ અન્ય જ્ઞાન આવી જવાથી તેની વિશદતા નષ્ટ થઈ જાય છે એટલે આવા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહી શકાય નહિ. પ્રત્યક્ષના બે ભેદ છે. (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (ર) પારમાર્થિક પ્રત્યક્ષ સાંવ્યવહારિક પ્રત્યક્ષ : જે પ્રમાણ પારમાર્થિક દૃષ્ટિએ પ્રત્યક્ષ (સ્પષ્ટ) નથી પર ંતુ ખીજા જ્ઞાનેા કરતાં કાંઈક સ્પષ્ટ હાવાથી, લેાકવ્યવહારમાં જે પ્રત્યક્ષ મનાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. વાસ્તવમાં તે સાંખ્યવહારિક પ્રત્યક્ષ એ પરાક્ષ જ છે. ઉપર જે ઇન્દ્રિય પ્રત્યક્ષના ઉદાહરણા આપ્યા છે તે બધા સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. કારણુ ઇન્દ્રિયા વડે આપણને જે જ્ઞાન થાય છે તે અનુમાનાદિ જ્ઞાના કરતાં નિર્મળ અવશ્ય છે, પરંતુ તેમાં પૂરી નિ`ળતા ઉપલબ્ધ થતી નથી તેથી તેને પારમાર્થિક પ્રત્યક્ષ કહી શકાય નહિ. દાખલા તરીકે, સ્પર્શેન્દ્રિય વડે શીત, ઉષ્ણ આદિ સ્પર્ધાનું જ્ઞાન અવશ્ય કરાય છે, પરંતુ તેનાથી તે પદાથૅની પૂરેપૂરી શીતળતા કે ઉષ્ણતાને જાણવી અસભવ છે. થરમેામિટર જેવા ગરમીમાપક ય ંત્રો જ્યારે કાઈ પદાર્થને ૮૦ કે ૯૦ ડીગ્રી જેટલેા ગરમ ખતાવે છે ત્યારે તે પદાર્થ આપણને સ્પર્શેન્દ્રિય વડે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy