SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મિષ્ટ રહી છે; શ્રોતાજનાને શુ આપવું, કેવુ આપવુડ, કેમ આપવું, તેના પૂરેપૂરો ખ્યાલ તેમને છે, તેથી જ તેમની શલી છેવટ સુધી રાચક બની રહે છે. સાચું કહીએ તા આ ગિરિ ગજના’ ગ્રંથ માત્ર શ્રી કેશીકુમાર શ્રમણના સંશયાનું શ્રી ગૌતમ રવામી દ્વારા સમાધાન જ નથી પરંતુ ખા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્ર મહારાજે પૂરા મને વૈજ્ઞાનિક રહી, આપણાં સૌનાં અ ંતરમાં પ્રતિપળ જે સંશયા રમી રહ્યા છે તેનુ ગૌતમ-સ્વરૂપ અની સમાધાન કરેલ છે, તેને તે દશ્યક છે. ‘આ ‘ગિરિ ગર્જના’ ગ્રંથમાં શું નથી ? કોને માટે નથી ? જેને જે જોઇએ તેને તેમાંથી તે મળી જાય છે. પૂજયશ્રીના વિચારોની વિશાળતા, દૃષ્ટાંતાની અ સૂચકતા અને વાણીની મધુરતાના ત્રિવેણી સંગમથી તે પરમતી સમે બન્યા છે. ચિ ંતનની ચિનગારી લઇને આપણામાં પ્રવર્તમાન અજ્ઞાનતા, અણુસમજ, અંધશ્રદ્ધા, અશ્રદ્ધામાં તેમણે સમજણુની એવી તે સુરંગ ચાંપી છે કે એ અજ્ઞાનતા, અણુસમજ, અંધશ્રદ્ધા અને અશ્રદ્ધાના પાષાણે ભેઢીને તેમણે આપણે માટે જ્ઞાનના દ્વારે ખેલી નાખ્યાં છે. વાહ મુનિરાજ ! આપનાં સંતજીવનના સજ કન્યને આમ બજાવીને આપે ‘ગિરિ ગર્જનાના ભેવા પાષાણ ખાલ્યાં દ્વાર'ના શિકની સાકતા પણ ઠીક સિદ્ધ કરી દીધી ! પથ્થરમાંથી મૂર્તિને કંડારવાની જેમ શિલ્પી અદ્ભુત ક્ષમતા ધરાવે છે તેમ માનવ જીવનનાં મોંઘા મૂલ્યને પ્રતિષ્ઠિત કરવાનું મા. બ્ર. પૂ. શ્રી ગિરીશચદ્ર′′ મહારાજ કૌશલ્ય ધરાવે છે. માનવ જીવનને ઘાટ આપનારા તેઓ કૂશળ શિલ્પી છે. તેમના વ્યકિતત્વમાંથી વિલસતી અપ્રતિમ પ્રતિભા, તેમના સ્નેહમાંથી નીતરતી અદ્વિતિય આત્મીયતા અને તેમના જ્ઞાનમાંથી નિર્ઝરતા અદ્ભુત વૈભવ તેમની આત્મિક સ'પત્તિના સહજ પાસાંઓ છે. સૌરાષ્ટ્રના ગોમટા જેવા એક નાનકડા ગામડામાં જન્મ ધરી, ભારત ભૂમિના આસામ, બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઉત્તર ભારત, મધ્ય પ્રદેશ, ગુજરાત, સૌરાષ્ટ્ર-વિશાળ ફલક પર વિચરી તેમણે જૈનધર્મના મહા સ ંદેશને ફેલાવ્યે છે. તેમના સ ંદેશમાં સત્ર કેમળતા છે, અજ્ઞાન અંધકારમાં અટવાતા જીવા માટેની કરુણા છે પરંતુ તેની સાથે સાથે ચેતવણીની ગર્જના છે : ચેતા, મનુષ્યભવનું મૂલ્ય નહિ સમજે તે જીવન નિરČક જશે અને તમારી પૂજી ખેાવાઇ જશે. બંધુએ ! સૌંસારની બધી વસ્તુઓ અદ્ભુત જીવન અને અનેરા સૌદય થી સભર છે. માત્ર આપણાં અહંકારને લઈ ને તે સૌંદય અને મીઠાશ આપણે જીવનમાં ન જોઈ શકતાં હાઇ એ કે ન અનુભવી શકતાં હાઇએ, તો તે આપણી વિકૃતિ અને અહંકારને જ આભારી છે. એકવાર આપણામાંથી અહંકારના વિકાર ખસી જતાં જગતને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલાઈ જશે. જયાં દૃષ્ટિ નાખીશું ત્યાં દિવ્ય જીવનનાં અદ્ભુત દર્શન થશે. અહંકાર મટી જતાં આખું અસ્તિત્વ મા થી ભરેલું અને અનુપમ દિવ્યતાવાળું દેખાશે...' ખરેખર, ‘ગિરિ ગના' ગ્રંથ આપણાં અજ્ઞાનતાના દ્વારાને ખાલી નાખવા સમર્થ બન્યા છે. દરેક વાચકના, શ્રદ્ધાળુના, ભકતના હૃદયમાં તે મંગલ પ્રતિના પ્રયાણુની નવી ભાવના, નવી ઝંખના, નવી શ્રદ્ધા પ્રગટાવે છે. પેાતાના મનન ચિંતન અને અનુભવજ્ઞાનના ટાંકણાં વડે આપણામાં ઘર કરી બેઠેલા અજ્ઞાનતાના મહાપાષાણને પૂજ્યશ્રીએ ભેદી, આપણે માટે જ્ઞાનનાં દ્વાર ખાલી નાખ્યા છે. ચાલો, એ જ્ઞાનનાં ઊઘડેલાં દ્વારમાંથી આપણે અંદર પ્રવેશ કરીએ અને જીવનનાં મહામૂલાં તત્ત્વને પરિપુષ્ટ કરનારા જે દિવ્ય ખજાને તેમાં પડયા છે તેને લૂંટીએસતાક પી. ખેંગાલી સૉંચાલિકા–અંધ મહિલા વિકાસગૃહ–રાજકોટ સંવત ૨૦૩૩ માગસર શુદ્ધે ૧૦ દીક્ષા રજત-જય’તી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy