SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર આપે છે. ઘસનાર તરફ તે જરાપણુ ક્રોધ કરતું નથી કે નથી ઘસાઇ ગયાના ક્ષેાભ અનુભવતું. પેાતાને ઘસનારને પણ તે પેાતાની શીતળ અને મીઠી સુગંધ આપી મુગ્ધ કરે છે. જે કુહાડાથી ચંદનને કાપવામાં આવે છે, તે કુહાડાને પણ તે પોતાના પ્રકૃતિદત્ત સ્વભાવ પ્રમાણે, સુવાસિત કર્યો વગર રહેતું નથી. જેમ ચંદન પેાતાના આ સુવાસિત કરવાના સ્વભાવને મરણાંત જાળવી રાખે છે, તેમ શેરડીના ટૂકડાઓ પણ પેાતાની મીઠાશ, યંત્રામાં પીલાતાં છતાં મૂકતાં નથી. યત્રાની યાતનાભરી પરિસ્થિતિમાંથી પસાર થતાં પણ તે પોતાનાં માને છેડતા નથી. પોતાના શરીરને નીચાવી નાખે છે, પોતે મરી જાય છે પણ પેાતાનાં માધુને મટવા દેતા નથી. એટલુ જ નહિ, પેાતાને યંત્રમાં પીલનારને તે પાત્ર ભરી ભરીને મીઠા રસ આપે છે. સેનાની પરીક્ષા કસેટીએ કસવા માત્રથી પૂરી થએલી ગણાતી નથી. તેને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે અને એ ટચ સાનાપણાની ખાત્રી કરાવવી પડે છે. આમ છતાં, જેમ જેમ સેનાને અગ્નિમાં તપાવવામાં આવે છે તેમ તેમ તેની ચમક વધતી જાય છે. જેમ અગ્નિમાં તપવા છતાં સાનું એક રિત ભાર પણ પોતાની ચમક ઓછી કરતું નથી, તેમ સત્પુરુષા પણ ગમે તેવી મુશ્કેલીઆમાં, કસોટીએની પળેામાં, પેાતાની પ્રકૃતિમાં આંશિક પણ ફેર પડવા દેતા નથી. સત્પુરુષાના આ સ્વભાવ છે. પોતાના માગ ને કટકાકીણું બનાવનાર તરફ પણ તેમની ફૂલા જેવી કામળ દૃષ્ટિ હાય છે. તેમના પ્રત્યે તેઓ મનમાં કોઇ ડ ંખ કે કાંટા રાખતા નથી. તેમણે પાથરેલા કાંટાઓને તેઓ ફૂલોની શય્યા જ માને છે. કોઇ અસભ્ય શબ્દ કહે કૈશસ્ત્રના પ્રહારથી તેમને લોહીલેાહાણુ બનાવી દે, છતાં તેમનાં હૃદયમાં તેઓ જરાપણુ દ્વેષ કે ઘણા રાખતા નથી. આવા વિધીએ માટે પણ તેમનાં હૃદયમાં પ્રેમનું ઝરણું જ વહેતુ હાય છે. મુરાઈના બદલા ભલાઈથી વાળવા એ જ સતવૃત્તિ છે, સત્પ્રકૃતિ છે, ભારતીય સંસ્કૃતિનુ એ પ્રતીક છે. આજ આને અનુસરીને આપણા દેશમાં વિષ ધર સપને પણ દૂધ પાઈ ઊછેરવાના રિવાજ છે. આવા સત્પુરુષોના સ્વભાવ કેવા ન્યાયાચિત અને સત્ય સાથે જોડાએલા હાય છે તે મર્યાદા પુરુષાત્તમ ભગવાન શ્રીરામના એક જીવન પ્રસંગથી સમજી શકાશે. આમ તે રામનું આખું જીવન જ પરમ આદર્શ પૂર્ણ છે. એટલે રામને થઇ ગયા ભલે ગમે તેટલા વર્ષો થઇ ગયાં હોય, છતાં તેમના પરમેાચ્ચ જીવનની નાની મેાટી પ્રત્યેક ઘટનાએ, જનસામાન્ય માટે આદર્શરૂપ છે, દીવાદાંડીરૂપ છે. લંકાના યુદ્ધમાં જ્યારે લક્ષ્મણ ઘવાયા ત્યારે રામના દુઃખને પાર ન રહ્યો. તેમના જીવનના ઇતિહાસમાં સૌથી વધારે વિષાદ અને દુઃખભરી આ ઘટના હતી. સૌથી વધારે આઘાતના આંચકા તે વખતે તેમણે અનુભવ્યા હતા. રામ હતા તેા મર્યાદા પુરુષાત્તમ, પરંતુ ઉદ્વેગ અને ખિન્નતાએ એ સમયે તેમને ઘેરી લીધા હતા. રાવણુ જેવા દુર્જેય શત્રુને મહાત
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy