SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્યાત્રાનું સુપાત્ર : ૧૧૧ એટલે જ સુશ્રુષા કે શણગારથી જ્ઞાનીઓ વિરક્ત હાય છે. તેમની દૃષ્ટિમાં જીવતુ. શરીર પણ મૃત કલેવર જ જણાય છે એટલે જીવતાં જ તેઓ સમાધિને મેળવી લે છે. સન્યાસીએનાં મૃત શરીરને જે ઠેકાણે માટીમાં દાટવામાં આવે છે તે સ્થાન સમાધિ શબ્દથી ઓળખાય છે. મર્યા પછી જે સમાધિ રચાય છે તે આત્મજ્ઞાનીએ પેાતાની રીતે જીવતાં જ રચી લે છે. શરીરને મરેલા ખાખાથી વધારે કશુ જ મહત્ત્વ તે આપતા નથી. આત્મા એ જ તેમના માટે પરમ તત્ત્વ બની જાય છે. શરીરને તે માત્ર સાધન તરીકેજ ઉપયાગ કરે છે. તાદાત્મ્ય અથવા એકાકાર વૃત્તિ વિલીન થઈ જાય છે અને આત્માનુ શુદ્ધ સ્વરૂપ ઊભરાઈ આવે છે. આજ સમાધિના મૂળ મંત્ર છે. અંતર્યાત્રાનું સુપાત્ર આજનું પ્રવચન એક નાનકડી વાર્તાથી શરૂ કરુ છું. એક બાદશાહ હતા. કલાના તે ભારે પ્રેમી હતા. કલાકારોને તેના દરબારમાં ભારે આદર મળતા હતા. કલા તરફનું તેનું આકર્ષણુ જાણીતુ હતુ. એટલે કવિઓ, સંગીતજ્ઞા અને કલાકારોથી તેના દરખાર ભર્યો ભર્યો રહેતા. એક વખતની વાત છે કે એક પરદેશી કલાકાર બાદશાહની કલા તરફ્ના પ્રેમની ખ્યાતિને સાંભળી, તેના દરખારમાં આવ્યે અને કહ્યું: ‘આજ સુધી આપે કદી જોયાં ન હાય એવાં ચિત્રા બનાવવાની કળાના હુ કુશળ કારીગર છું. ચિત્રકારની આ વાત સાંભળી બાદશાહને આશ્ચય થયું. ચિત્રકલાના નિષ્ણાત કલાકારા તેના દરબારમાં હતા. એટલે આ કલાકારની વાત તેમને સાચી લાગી નહિ. તેણે કહ્યું: · મારા દરબારમાં આ કલાના સર્વોત્કૃષ્ટ કલાકારો છે. તેમની સંખ્યા પણ મારે ત્યાં નાનીસૂની નથી. આજ સુધી મે' તેમના અનેક અજાયબી પમાડે એવાં અજોડ ચિત્રા જોયાં છે.’ 6 આગંતુક કલાકારે કહ્યું: ‘ જહાંપનાહ! હું તેની સાથે સ્પર્ધામાં ઊતરવા પણ તૈયાર છું.’ પછી બાદશાહના દરબારના જે વરિષ્ઠતમ કલાકાર હતા, તેની પ્રતિયોગિતા માટે પસંદગી કરવામાં આવી. આમાં તે। રાજ્યની પ્રતિષ્ઠાને પણ સવાલ હતા. એટલે આગંતુકના હાથે પરાજ્ય પામવાના અવસર ન આવે તે માટે વિષ્ઠતમ કલાકારને પણ પાતાની પૂરેપૂરી શકિત કામે લગાડવાની હતી. અને કલાકારોને પેાતપેાતાની કલા વિષે ભારે નિષ્ઠા, મમતા, અને અજાયબીભરી પ્રતીતિ હતી. પેાતપેાતાના વિજય વિષે ખનેમાંથી કેાઈના પણ મનમાં લગીરે શકા ન હતી. સ્પર્ધાની
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy