SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩ નિશ્ચય મોક્ષમાર્ગ બંને નાના અભિપ્રાય જાણુને કયા નયને કયા વખતે આગળ કરે તે જીવની અભિરુચિ થા યોગ્યતા ઉપર આધાર રાખે છે. યોગ્ય આત્મા, પ્રમાદ કે અભક્તિ ન પોષાય તે રીતે તેને સદુપયોગ કરે છે. અને અગ્ય આત્મા પ્રમાદ પિષવા માટે કે અભક્તિ પિવાય તે રીતે નયવાદને દુરુપગ પણ કરે છે. એટલા માટે આત્માર્થી જીવો સમક્ષ જ નયવાદનું નિરૂપણ કરવાને શાસ્ત્રકાર ભગવંતેને આદેશ છે. આત્માર્થી એટલે જે રીતે આમાનું હિત થાય તે રીતે નાની માન્યતાને પગ કરનાર જીવ. કેવળ વ્યવહાર નયને આગળ કરવાથી અહંકાર ષિને પુષ્ટિ મળે છે અને કેવળ નિશ્ચય નયને આગળ કરવાથી પ્રમાદ પોષાય છે અને ભક્તિના પરિણામ નાશ પામે છે. સમ્યગ્દર્શન-શાન–ચારિત્રાણિ મોક્ષમાગ જ્ઞાન વડે ઉપયોગની વિકૃતિ, દર્શન વડે ભાવની વિશુદ્ધિ અને ચારિત્ર વડે કરની વિશુદ્ધિ થાય છે. શ્રી જિનભક્તિના વિકાસથી સમ્યગદર્શન ગુણ પ્રગટે છે. તે દેવ, ગુરુ, સંઘ, સાધર્મિકોટિ મેક્ષમાર્ગ અને તેના સાઘનેના સંબંધની વિશુદ્ધિ કરે છે. ભક્તિમાં મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ તે સમ્યગદર્શન અને વિતિમાં ત્રણે રોગોની સમુચિત પ્રવૃત્તિ તે સમ્યફચારિત્ર. દર્શન વડે મિયાત્વ મેહનીય અને અનંતાનુબંધીને લય-ક્ષપશમ અને ચારિત્ર વડે ૯ નેઠવાય અને ૧૨ કપાયને સંપશમ. એકમાં સર્વ સાવદ્ય મેગોને વિરામ છે. બીજામાં સાવધ વેગના ત્યાગની પ્રવૃત્તિ પ્રત્યે ભક્તિની વૃત્તિ છે. વિરતિની ભક્તિમાં જોડનાર ભાવ તે સમ્યકત્વ છે. વિરતિની પ્રવૃત્તિમાં જોડનાર જે ક્રિયા છે, તે ચારિત્ર છે. એક વૃત્તિ છે, બીજી પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ એટલે પ્રકૃત્તિ . વૃત્તિની હયાતિ બંનેમાં છે. યથાર્થ જાણવું તે જ્ઞાન, યથાર્થ જોવું તે દર્શન અને યથાર્થ વર્તવું તે ચારિત્ર. આમ સમ્યગ્દર્શન-ગ્રાન–ચારિત્ર મેક્ષમાગ બને છે અને તે માગને પથિક, મોક્ષને પામે છે. એ જ અનેકાંત છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy