SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ આત્મ-હત્યાનનો પાયો પચાવી પાડવાની કે બીજાની સીઓને વિકારભરી દષ્ટિથી જોવાની મલિન વાસના (તૃણા) શમી જતા સંતેષ અને શીલમાં ઉપાદેયની અને અદાગ્રહણ અને મિથુનમાં હેયની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, આમ જલપુણ્યથી અદત્ત અને મિથુન-આ બે પાપોની શુદ્ધિ અને તે પાપવૃત્તિને ક્ષય થાય છે. ૩. વસ્ત્રપુણ્ય વસ્ત્ર વગેરે શીલ-સંયમ અને શરીર–૨ક્ષણનાં સાધન છે. જીવને તેનું દાન કરવાથી વાદિની મૂર્છા–મમતા ટળી જાય છે પોતાની વસ્તુ બીજાને આપવાથી પરિગ્રહનું પાપ ધોવાય છે અને પરિગ્રહને કારણે તે વસ્તુના રક્ષણ આદિ માટે જે રૌદ્રધ્યાન અર્થાત્ ધાદિ કષાય થાય તે પણ અટકી જાય છે. એટલે વચ-પુણ્યથી પરિગ્રહ અને ધ-આ બે પાપની શુદ્ધિ અને તે પાપ કરવાની વૃત્તિને ક્ષય થાય છે. ૪. આસનપુણ્ય અન્ય વ્યક્તિને બેસવા માટે આપણે આસન આપીએ છીએ, તે એનાથી સામી વ્યક્તિનું બહુમાન થાય છે. તેથી આપણામાં નમ્રતા આવે છે. અને માન જાય છે. માન જવાથી સરળતા ઉત્પન્ન થાય છે. તેથી માયા પણ જાય છે. માણસ પોતાના ભા-સ્વાભિમાનને ટકાવી રાખવા ખાતર પણ અનેક પ્રકારના કપટ કરતે હોય છે. પણ નમ્રતા પ્રગટવાથી માન-સ્વાભિમાનની વૃત્તિ નષ્ટ થઈ જાય છે. એટલે માયા-કપટ કરવાની વૃત્તિ પણ મંદ પડી જાય છે. આ રીતે આસનપુણ્યથી માન અને માયા રૂપ બે પાપ સ્થાનકની શુદ્ધિ અને તે પાપ-સેવનની વૃત્તિને ક્ષય થાય છે. ૫. શયનપુણ્ય અન્ય વ્યક્તિને સૂવા-રહેવા માટે શયન કે મકાન આપવાથી લે-વૃત્તિ ઘટે છે. ભેગું કરવું અને મારું બીજાને ન આપવું, આ વૃત્તિમાં લેભના અતિરેક સાથે રાગની પ્રબળતા પણ હોય છે. પરંતુ શયન પુણ્યથી લેવૃત્તિ અને રાગ-એ બનેની માત્રા મળી પડી જાય છે, માટે શયન-પુણ્યથી લભ અને રાગ, આ બે પાપસ્થાનકની શુદ્ધિ અને તે પાપસેવનની વૃત્તિને ક્ષય થાય છે. ૬. મનપુણ્ય મનથી સર્વને આમહિતનો વિચાર કરવાથી અને સ્વ-પરના સુકૃત–સદ્દગુણની અનુમોદના કરવાથી શ્વેષભાવ ચાલ્યા જાય છે, પછી કોઈ જીવ તરફ છેષ કે તિરસ્કારની લાગણી ઉત્પન્ન થતી નથી પણ મિત્રબુદ્ધિ જ ઉત્પન્ન થાય છે. જીવ માત્રને મિત્ર માની, તેની સાથે આત્મતુલ્યવૃત્તિ અને વર્તન રાખવું, એ માનવ જીવનનું પરમ કર્તવ્ય છે. પણ અંતરમાં રહેલો ભાવ બીજા જીવમાં શત્રુતાની બુદ્ધિ કરાવે છે, તેમની સાથે
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy