SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથના અને ધ્યાન પરમાત્મભાવના પ્રકાશ વીજળીના દીવા કરવા માટે, તારના બે છેડા જોડવા પડે છે, તેમ પરમાત્મ ભાવના પ્રકાશ મેળવવા માટે પણ Positive અને Negative ને એક કરવા પડે છે. ૩૧૩ પરમાત્મા-નિત્ય તત્ત્વ હંમેશાં Positive છે અને જગત અનિત્ય-વસ્તુ સદા Negative છે. અને છેડા તે જીવાત્મા છે. પરમાત્મા પ્રત્યે પેાતાને Negative છેડે અને જગત પ્રત્યે પેાતાના Positive છેડા રાખવાથી બહાર અને અ'દર દિવ્ય પ્રકાશ પ્રગટ થાય છે. તે પ્રકાશ અલૌકિ આનંદને અનુભવ કરાવે છે. એ આનંદના અનુભવ લૌકિક દૃષ્ટિને છોડાવનારા થાય છે, તેથી સમગ્ર જીવન પ્રભુ પ્રાથનામય બની જાય છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, પ્રેમ અને ઉદારતાદિ આત્મિક ગુણૈાના ઉત્કષ', આ પ્રકારની પ્રાથના વડે અવશ્ય થાય છે. સકળ જીવલેાક માટેની ઊંચામાં ઊંચી શુભેચ્છા, આ પ્રકારની પ્રાર્થનામાં, દૂધમાં રહેતા ઘીની જેમ સમાયેલી હાય છે. સાચી પ્રાથના તા પ્રાણાની સ’જીવિની છે, આત્માની કવિતા છે, પરમાત્માને નિજ સર્વસ્વની ભેટ છે. 卐 પ્રાર્થના અને ધ્યાન જગત કે સંસાર, ગમે તે શબ્દ લઈએ તે પણ એમાં સરી જતી વસ્તુનું સૂચન છે. સરી જતાં આ વિશ્વના સંસારના પદાર્થો વચ્ચે વ્યક્તિનું જીવન સારા-માઠા સંસ્કારોને ધારણ કરતું હોય છે. સ'સાર એટલે સતત ગતિ 1 નિત્ય વહેતા અને બદલાતા પ્રવાહ! સ‘સારમાં પ્રતિ ક્ષણ ફેરફાર થયા જ કરે છે. એ ફેરફારાનાં આપણે એટલા બધા પરોવાયેલા રહીએ છીએ કે–તેમાં પરાવાનાર તત્ત્વાના, સવ ફેરફારસના સાક્ષીને, સ`સ સ્ટારાના ઝીલનારના ખ્યાલ સુદ્ધાં આપણને રહેતા નથી, આપણે આપણી જુદી-જુદી પરિસ્થિતિઓના જ આકાર ધારણ કરીએ છીએ. તે વગરના આપણા અસ્તિત્વના આપણને વિચાર પણ આવતા નથી, તે વગરના અસ્તિત્વને વિચાર કરતાં, દિશા ભૂલેલા મુસાફરની જેમ આપણે મૂઝાઈએ છીએ. એટલે આપણે ૪૦
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy