SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ચા૨ ભાવનાઓનો સાર ૮૫ ચાર ભાવનાઓને સાર મૈત્રી, પ્રમેહ, કરૂણા અને માધ્યસ્ય એ ચાર ભાવનાઓ છે. તેને સાર નીચે મુજબ છે. સુખીની ઈર્ષ્યાને ત્યાગ, તે મિત્રીભાવનાને સાર. ગુણ ઉપર ઢષને ત્યાગ, તે પ્રમાદ ભાવનાને સાર. દુખીની ઉપેક્ષાને ત્યાગ. તે કરૂણ ભાવનાને સાર. પાપી ઉપર રાગ અને દ્વેષ ઉભયનો ત્યાગ, તે માધ્યચ્ય ભાવનાને સાર. મંત્રી માહાસ્ય જે શ્રી જિનેશ્વરદેવને મિત્ર પણ ન માને તે પરમ કલ્યાણ મિત્ર ને મિત્ર કેમ માની શકે ? મૈત્રીભાવ તે અદ્વૈત મત છે. પ્રમોદભાવ તે વિશિષ્ટાદ્વૈત મત છે. કરૂણભાવ તે તથાગત મત છે. માધ્યસ્થભાવ તે દિગંબર મત છે. ભાવ ચતુષ્ટયરૂપ જે અનેકાન્ત તે જિનમત છે. ધર્મ માત્ર પ્રત્યે જેમ વચન કારણ છે તેમ મિત્રો પણ કારણ છે. મિત્રીના સ્થાને “અહિંસા' શબ્દ આગમમાં વ્યાપક છે. ક્ષમા અહિંસાદિ ધર્મોમાં મૈત્રીભાવ વ્યાપક છે. નવ તત્વનો સાર દેવ-ગુરૂની ભક્તિ છે, તેને સાર અહિંસા અને અહિંસાને સાર મૈત્રી છે. શુદ્ધ અહિંસા એટલે મૈત્રીભાવ. દેવ, ગુરૂ અને ધર્મ મઢીયુક્ત છે. સમ્યહવ એ મિત્રી અને તઘુક્તતામાં શ્રદ્ધારૂપ છે. મૈત્રીનું આ વ્યાપક સ્વરૂપ જ જીવને તત્વથી સર્વવ્યાપી બનાવી શકે છે. સમગ્ર જીવલેકમાં જીવને અગ્રીમ સ્થાને બેસાડી શકે છે આથી એક સમયની પણ અમત્રી એ અકલ્યાણકારી છે એમ સ્પષ્ટ થાય છે. 1 સુખ માટે અપરિગ્રહ વ્રત છે, તેથી સંતોષ પ્રગટે છે, અને સંતેષમાં જ ખરુ સુખ છે. શાંતિદાયક સુખ સંતોષમાં છે, અપરિગ્રહમાં છે. અસંતેષ કે પરિગ્રહમાં નહિ. તમારી પાસે જે હોય, તેનાથી તમે સુખી ન હૈ, તે જે નથી તેનાથી સુખી શી રીતે થઈ શકશે ?
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy