SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ વૃત્તિના કારણે સર્વમાં વિષમતાનું દર્શન થાય છે. એક ઠેકાણે પાડે થાય છે ત્યારે બીજે ટેકરા થાય છે. એક બાજુ ગગનચુંબી ઈમારતે ખડી થાય છે ત્યારે બીજાને તુટીફુટી ઝુંપડી પણ રહેવા માટે નથી. એક બાજુ જમણમાં મિષ્ટાન્ન અને ફરસાણ ઉડાવાય છે ત્યારે બીજી બાજુ મરચાં ને રોટલાની પણ જોગવાઈ નથી. તમે જે માજશેખ ઉડાવે છે તે કેટલાયને લૂંટીને, અનીતિ કરીને ઉડાવે છે ને? ભગવાનના શ્રાવકે અનીતિનું દ્રવ્ય ન લે. ભગવાનના શ્રાવકે છે ને? તે અસત્ય-ચેરી વિગેરે કરાય? ક્યાં મહાવીરના શ્રાવકો ને કયાં આજનાં કહેવાતાં શ્રાવકે? શા તમારા વખાણ કરવા? બે નંબરના નાણાં એકઠા કરી દાનને પ્રવાહ વહેવડાવે. પણ એવાં લાખોના દાન કરતાં નીતિના પાંચ રૂપિયા કમાઈને થોડું દાન કરે તે શ્રેષ્ઠ છે. ભગવાન મહાવીરના આનંદાદિ દશા શ્રાવકે થઈ ગયા. તેઓની પાસે કેટલી બધી રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ હતી! જે બધાને ચક્ષુભૂત, આધારભૂત, સ્તંભ હતા. તેઓ પણ ચૌદ વર્ષ શ્રાવકપણું પાળી પછી પોતાના જ્યેષ્ઠ પુત્રને ગૃહને કારભાર સેંપી પૌષધશાળામાં જઈ આત્માને પિષતા થકી વિચારવાને વિચાર કરે છે. દરેક કુટુંબીઓને બોલાવી પુત્રને કારભાર સેંપી પૌષધશાળામાં આત્માને પષતા વિચારે છે. તેઓને જેવો વિચાર આવતે કે તરત જ પ્રેકટીકલ જીવનમાં મૂકી દેતા, પિતાના હાથે જ રાજીનામું આપી દેતા. અત્યારે તે ઠેઠ સુધી) ગાડાના બેલની જેમ જીવે ત્યાં સુધી પૈસરૂ તાણે. તમારે કઈ સંભાળે તેમ છે કે નહિ? સંભાળે તેવા હેય છતાં છૂટતું નથી. અને દિકરે કહે છે, બાપા છે તે ઠીક છે. કામમાં આવે છે. વસ્ત્ર અને અને બે જ માંગે છે. નેકર રાખું તે પગાર દે પડે. બાપા કયાં વેતન લે છે? માતાપિતા કામ કરી વેતન નથી લેતાં, છતાં ઘણાને ભારે પડે છે. બાપાને વૃદ્ધાવસ્થા આવી ને પથારીમાં પડયા એટલે એના જ વહાલા મનાતા પુત્રે કહે કે ઘરમાંથી જાય બેખું તે ઘર થાય ચેખું! નાના છોકરા તે બાપાને મેઢે કહે દાદા” હવે સુખડી કયારે ખવડાવવી છે? દિકરાને લાખની મિલક્ત આપી છે છતાંય વૃદ્ધાવસ્થાએ સુખે રહી શકે ખરાં? કેટલું આપ્યું તેય ભારભૂતને? કારણ કે સ્વાર્થ સરી ગ. એટલે દિકરાને માતાપિતા ગમતા નથી. એ તો કહેશે. વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. કોઈ પૈસાદાર હશે તે હેપીટલમાં મૂકી આવવાની વાત કરશે. સેવા કરવા સીટર છે. અને કહે કે અમે દિવસ-રાતની જુદી સીસ્ટર રાખી છે, પણ તમે શા કામના છે ? તમને નાનાથી મોટા કરવામાં માબાપે કેટલા દુાખો સહન કર્યા છે ! હવે એમની સેવા કરવાને વખત આવ્યા ત્યારે કેવી દુર્ભાવના? તમને એમ થાય છે કે મારા ઉપકારી માબાપની સેવા માટે મારા હાડચામ બધું તૈયાર છે? પિતાની દેશમાંથી ટપાલ આવે કે દીકરા, એકવાર આવી મોઢું બતાવી જા. તે દિકરે લખશે, મારે ટાઈમ નથી. કેમ, નેકરી કરે છે? ના. ઘરને ધંધે છે, પણ આવું તે દસ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy