SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જુગાર રમતા રમતા પાંડ એ હસ્તિનાપુરનું રાજ્ય હેડમાં મુકી દીધું. હય, ગયા, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ બધું રમતમાં મુકી દીધું, છતાં પાછાં વળી શકયા નહીં. છેલ્લે દ્રૌપદી સતીને પણ રમતમાં મુકી દીધી અને દ્રૌપદીના ચીર ભરી સભામાં ખેંચાયા. જુગાર માણસને ક્યાં લઈ જાય છે? મુંબઈમાં સીએ પણ રસોડ અને જુગાર રમે છે. જુગારે તે દશા બેસાડી દીધી છે. જુગાર અશુભ ગતિએ લઈ જાય છે. જુગાર રમવા જે નથી. જુગાર રમવું એ મહાને પાપ છે. સપ્ત મહાવ્યસનેને શ્રાવકેએ ત્યાગ કરે જોઈએ. જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યા ગમન, માંસાહાર, શિકાર, ચોરી કરવી, દારૂ પીવે, આદિ સાત વ્યસને જીવને શેર નર્કમાં લઈ જનાર છે. - રીટાબેન મજુરી કરી-કામ કરી કમાણી કરે છે. સંસાર કે છે! પતિની તબીયત બગડે છે. કામ કરવા જાય. અને માંડ માંડ પુરૂં કરે છે. એ જ ગામમાં એને ભાઈ મહેશ્વર માજશેખ કરે છે. મહેશ્વરને ત્યાં કામ કરવાવાળી બાઈ જોઈએ છે. રીટા મહેશ્વરના મોટા બંગલામાં કામ કરવા જાય છે. તે તરત જાણી જાય છે કે આ તે મહેશ્વરનું ઘર છે. હું આજે મારી ઓળખાણ કેવી રીતે આપુ? ગરીબાઈમાં ઓળખાણ આપવી તે હાથે કરીને અપમાનને નેતરવા જેવું છે. રીટા કામકાજ બરાબર કરે છે. રીટા અને વાસંતી વચ્ચે મૈત્રી જામે છે. બંનેને પ્રેમ વધે છે. રીટા પિતાની વાસ્તવિક પરિસ્થિતિ જણાવા દેતી નથી. સુખી માણસને દુઃખીની કલ્પના કયાંથી આવે ? કુલ પથારી તમે સુઓ ને, ભાઈ તમારે રઝળે છે, મેવા અને મિષ્ટાન તમારે, ત્યાં બાલુડા ટટળે છે, ઉડી કેમ જાયે ના નીંદર તમારી, મીઠી વાનગી કાં બને ના અકારી ! સુખમાં સુતેલા મનને મન, તમને મળ્યું એને બધાનું બનાવે. વચન સુણ્યા જે વીર પ્રભુના ફેગટ જે જાય ના, સહારો જો તમે આ દુઃખી માનને, નવકારને ગણુતા સાધમી બાંધને”. નવકાર મંત્રના ગણનાર કેવા દુઃખો ભેગવી રહ્યા છે. એને સહકાર આપે એ શ્રાવકની ફરજ છે. જે તમારા પૈસાથી દુઃખી દુઃખ ન જોઈ શકતા હો તે તમારી તિજોરીમાં નોટો પડી નથી પણ પસ્તી પડી છે. આ બાઈ પણ રીટાને સારી રીતે રાખે છે. રક્ષાબંધનને દિવસ આવે છે. રીટાને કથામાં જવું છે તે વાસંતી કહે છે કે “તારી પાસે દાગીના નથી. મારા દાગીના પહેરવા લઈ જા. અને રીટા ઘરેણાં પહેરી કથા સાંભળવા જાય છે. ત્યાં તેને પતિ કોલેરાના દર્દમાં એકદમ સપડાય છે. ગરીબને ઘરે ડોકટર પણ કેવી રીતે આવે? ભરપુર માંદગી છે. આવી પરિસ્થિતિમાં રીટા પતિને મૂકીને ક્યાંથી કામ કરવા માટે જઈ શકે? બે દિવસ સુધી રીટા દાગીના પાછા આપવા જઈ શકતી નથી. વાસંતીને ચિંતા થાય છે, આ કામવાળી હજુ દાગીના દેવા ન આવી. અરે, આવી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy