SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શારદા સુવાસ આવી જાય ને? અને સ્ત્રી જાતિ એકલી છે એટલે ભય પણ લાગે એ સ્વાભાવિક છે. આ પુરૂષ મારા ચારિત્ર ઉપર તરાપ મારશે તે ક્ષણવાર તે રામતીના હૃદયમાં આંચકે લાગે પણ બીજી જ ક્ષણે વૈર્યવાન બનીને વિચાર કરવા લાગી કે હું સાચી શ્રમણ છું અને ક્ષત્રિયની પુત્રી છું. આવા સંગમાં મારા જેવી સાધ્વીજીએ ભયભીત બનવું તે ઉચિત નથી. ભયભીત બની જઈશ તે હું કંઈ નહિ કરી શકું. આ સમયે મારે ધૈર્ય અને સાહસથી કામ લેવું જોઈએ. આ સંસારમાં કઈ પુરૂષની એવી શક્તિ નથી કે તે બળાત્કારે સતી સ્ત્રીનું શીયળ ખંડન કરી શકે. તે પછી મારા જેવી વીર સાથ્વીનું શીયળ કેવી રીતે ખંડન કરી શકે ? જો એ મારી સામે આવશે તે હું મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી એને અડવા નહિ દઉં. કદાચ એમ બનશે તે મારા પ્રાણ છેડીશ પણ મારું ચારિત્ર નહિ જવા દઉં. આ પ્રમાણે વિચાર કરીને રાજેમતીએ પિતાના હાથપગ દ્વારા પિતાના અંગેને ઢાંકી દીધા. રાજેમતને ખબર નથી કે આ રહનેમિ જ છે પણ કંઈક પુરૂષ છે એમ લાગ્યું, પણ રહનેમિએ તે રામતીને બરાબર ઓળખી લીધી છે. એનું મુખ જોઈને રહનેમિ સમજી ગયા કે રામતી મને જોઈને ભયભીત બની ગઈ છે. અહીં રાજેમતી મર્કટાસન લગાવીને પિતાના અંગે પાંગ ગેઠવીને બેઠા છે. હવે કામવાસનાથી પીડાયેલા રહનેમિ શું કહેશે અને ત્યારે રાજમતી એને કે જડબાતોડ જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર: વિદ્યાની અધિષ્ઠાતી દેવીએ ત્યાં ખાઉ.....ખાઉ કરતી ક્રોધે ભરાઈને ગીને મારવા આવી, પણ પરેપકારી અને દયાવંત જિનસેનકુમારે દેવી એને કહ્યું કે હું કઈ રીતે મેગીને મારવા નહિ દઉં. તમારે એના બદલે જે જોઈએ તે માંગી લે. જિનસેનકુમારનું તેજ અને એની પરોપકાર ભાવના જોઈને દેવીઓ પણ થંભી ગઈ કે શું આ પુરૂષ છે ! મનુષ્યનું ચારિત્ર નિર્મળ હોય અને પરાક્રમ હોય તે દેવ-દેવીએ પણ એનાથી કરે છે. આ દેવીઓ કહે છે તે પવિત્ર પુરૂષ! તું કોણ છે? આ ગીને જીવાડીને તારે શું કામ છે? એ જીવતા હશે તે ઘણાં પાપ કરશે. એ મહાન દુષ્ટ છે. અમે એને ભક્ષી ખાવા માટે જ આવ્યા છીએ, ત્યારે જિનસેનકુમારે કહ્યું એનું ભક્ષણ કરવાનું શું કારણ છે? ત્યારે દેવીઓએ કહ્યું કે એણે સુવર્ણ પુરૂષની સિદ્ધિ કરવા માટે અમારી સાધના કરી હતી, પણ એ દુષ્ટ યોગી આ નિર્દોષ અબળાને આવા ગાઢ બંધને બાંધીને કષ્ટ આપી રહ્યો છે તે જોઈને અમારું કાળજું કંપી ગયું. નારી સતા કે નારીકે હી, કરન ચાહે પ્રસન્ન, આપ હી સાચે હી બુદ્ધિમતા, કેસે ખુશ હે મન. જે પુરૂષ આવી સતી જેવી પવિત્ર સ્ત્રીને સતાવીને અમને પ્રસન્ન કરવા ચાહે તે કયાંથી બને આ કારણથી એના મંત્રની સિદ્ધિ થતી નથી. આ તે આપના કહેવાથી અમે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy