SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૮૭. દિવાલ તૂટતા તેના જીવનમાં કાન્તિને પ્રકાશ પથરાઈ ગયે. જીવનમાં ક્રાન્તિ લાવવા માટે યુગે કે વર્ષોની જરૂર નથી. એક જ પળ બસ છે. ગાઢ અંધકારને દૂર કરવા માટે એક જ દિવાસળી બસ છે તેમ જીવનમાં ક્રાન્તિનું એક કિરણ ફૂટ્યું કે પછી પ્રકાશ પ્રકાશ પથરાઈ જશે. શાલીભદ્ર, થુલિભદ્ર, ઈલાચીકુમાર વિગેરે આત્માઓનું જીવન પહેલા કેવું હતું? તેઓ મેહમાં કેટલા મસ્ત બનેલા હતા પણ જીવનમાં સહેજ નિમિત્ત મળતાં ઉપાદાન જાગૃત થયું અને કાન્તિનું કિરણ ફૂટી નીકળતા ભ્રાન્તિને પડદો ચીરાઈ ગયે અને એ પવિત્ર આત્માઓ સંસારને ત્યાગ કરી કલ્યાણ કરી ગયા. આપણા અધિકારના નાયક નેમનાથ ભગવાન પણ કાન્તિવીર પુરૂષ હતા. જગતના જીવને સંસારના મેહાંધકારમાંથી કાઢવા પ્રકાશના પંથે પિતે પ્રયાણ કર્યું છે. જુઓ ! એ મહાત્માના વૈરાગ્યની પેત કેવી હતી? એમના વૈરાગ્યની તે એક હજાર જેના અંતરની જાતિ ટાળીને જાગૃત કર્યા. એક હજાર પુરૂષે તેમની સાથે દીક્ષા લેવા તત્પર બન્યા. નેમકુમારે વસ્ત્રાભૂષણે ઉતારીને સ્વયં દીક્ષા લીધી. પિતાના મસ્તક ઉપર શોભતાં સુંદર વાંકડીયા અને કાળા ભ્રમર જેવા વાળને પિતાની જાતે પંચમુષ્ટિ લેય કર્યો. દ્રવથી કેશનું લંચન કર્યું ને ભાવથી કષાને દૂર કરી. ભગવાનના વાળમાંથી પણ દિવ્ય સુગંધી નીકળે છે. તીર્થંકર પ્રભુના એવા જમ્બર પુણ્ય હોય છે કે તેમના શરીરમાંથી સુગંધ બહેકે છે. આપણા શરીરે પરસે વળે, મેલ જામે અને દુર્ગધ આવે છે પણ તીર્થંકર પ્રભુને આત્મા શુદ્ધ હોય છે એટલે એમના પરમાણુમાંથી સુગંધ નીકળે છે. તે સિવાય તીર્થંકર પ્રભુ દીક્ષા લેવા નીકળે છે ત્યારે દેવે તેમના શરીરે ગોશીષ ક્ષીર) ચંદનના વિલેપન કરે છે, તેની સુગંધ છ મહિના સુધી શરીરમાંથી જતી નથી. મહાવીર પ્રભુના શરીરે દેવેએ ગશીર્ષ ચંદનના વિલેપન કર્યા હતા. પ્રભુ તે દીક્ષા લઈને વિહાર કરી ગયા અને જંગલમાં જઈને ધાનાવસ્થામાં સ્થિત થયા ત્યારે સુગંધથી આકર્ષાઈને ભ્રમરે પ્રભુની પાસે આવ્યા ને શરીરમાં દર કર્યા છતાં ભગવાન સહેજ પણ ચલાયમાન ન થયા પણ ધ્યાનમાં અડગ રહ્યા. આવા તો કંઈક ઉપસર્ગો ભગવાને સહન કર્યા છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું છે. આપણે તે સહન કરવું નથી ને કેવળજ્ઞાન જોઈએ છે તે કયાંથી મળે? નેમકુમારે સાધુને વેશ પહેર્યો, કરેમિ ભંતેને પાઠ ભણ્યા, એમની સાથે એક હાર આત્માઓએ દીક્ષા લીધી. એક સામટા એક હજાર સાધુઓનું મંડળ કેવું સુંદર શોભી ઉડ્યું હશે ! નેમનાથ ભગવાન તે હજારો તારાઓમાં ચંદ્ર શેભે તેમ શેભી ઉઠયા. નેમકુમારને સાધુના વેશમાં જઈને ત્રિખંડ અધિપતિ કુષ્યવાસુદેવ, સમુદ્રવિજય રાજા, શીવાદેવી મહારાણુ બધા સજળ નેત્રે તેમના સામું જોઈ રહ્યા. અહો ! આ યાદવકુળને બાલુડો આપણા ખેાળામાં ખેલ્યો, રમે ને માટે થયો ત્યાં ત્યાગના પંથે ચાલી નીકળે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy