SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્ધ શારદા સુવાસ નેમકુમાર તેરણદ્વારેથી પાછા ફરીને પિતાના મહેલે આવ્યા ને મનમાં એવો નિર્ણય કર્યો કે એક વર્ષ પછી હું દીક્ષા ગ્રહણ કરીશ. નેમકુમારે આ દઢ નિર્ણય કર્યો. આ તે તીર્થકર ભગવાન હતા એટલે તેમના નિર્ણયમાં ફેર થતું નથી કે તેમને કોઈ વિM કે બાધા આવતી નથી, કારણ કે તેઓ જ્ઞાન દ્વારા બધું જાણે છે. અરિહંત ભગવાનની પુન્નાઈ ઘણું હોય છે, એટલે તેમણે આ જાતને નિર્ણય કર્યો. તે સમયે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થયું. જુઓ, અરિહંત ભગવાનના પુણ્ય કેવા જબ્બર હોય છે કે અહીં મૃત્યુ લોકમાં નેમકુમારે મનમાં એ નિર્ણય કર્યો કે હું એક વર્ષને અંતે દીક્ષા અંગીકાર કરીશ. તેના પડઘા દેવલોક સુધી પહોંચી ગયા અને શક્રેન્દ્ર મહારાજનું આસન ચલાયમાન થયું. બધા દેવમાં પરમ ઐશ્વર્યવાન દેવરાજ શકેજે પિતાનું આસન ડોલતું જોયું ત્યારે વિચાર કર્યો કે મારું આસન કેમ લે છે? દેના આસન વિના પ્રજને ડોલતા નથી. કેઈ પણ કારણ ઉપસ્થિત થાય ત્યારે ડેલે છે. જ્યારે દેવાનું આસન ડેલે છે ત્યારે તે અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને જુએ છે ને તેમાં દેખે છે કે ભગવાનને કોઈ ભક્ત કણમાં આવ્યું છે? શાસનની હેલશું થાય છે? કે કઈ સતીનું શીયળ ખંડિત થવાને પ્રસંગ આવ્યું છે? શું છે ? અવધિજ્ઞાન દ્વારા જોઈને દેવેને સહાય કરવા જેવી લાગે તે સહાય કરે છે. નેમકુમારના દીક્ષા લેવાના નિર્ણયથી શકેન્દ્રનું આસન ડોલ્યું ત્યારે ઉપગ મૂકીને અવધિજ્ઞાન દ્વારા જે તે નેમકુમારને લગ્ન કર્યા વિના પાછા આવેલા જોયા. તે જોઈને ઈન્દ્રના મનમાં આવા પ્રકારને અધ્યવસાય ઉત્પન્ન થયો કે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દ્વારકા નગરીમાં સમુદ્રવિજય રાજાના પુત્ર નેમકુમાર એવા અરિહંત પ્રભુ એમના રાજમહેલમાં “હું વર્ષને અંતે દીક્ષા ગ્રહણ કરીશ.” આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે તેથી મારું આસન ચલાયમાન થયું છે. આ કારણે ઈન્દ્રનું આસન ડેલે છે ત્યારે કાળવ્રયવર્તી એટલે અતીત કાળના એટલે ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાન સમયમાં વર્તતા અને ભવિષ્યમાં થનાર સર્વ શક્ર, દેવેન્દ્રો, દેવરાજાઓને, પરંપરાથી ચાલતે આવેલે આ પ્રમાણેને આચાર છે કે તેઓ અરિહંત ભગવાન દીક્ષા લેવાના હોય ત્યારે એમને આટલી અર્થસંપદા (દાન દેવા માટે) આપવી જોઈએ. તે પ્રમાણે અર્થસંપત્તિ અર્પણ કરે છે. તેનું પ્રમાણ કેટલું છે? “તિવિ જ જોડિયા, ગારહિં રોતિ વીરો असितिं च सयसहस्सा, इन्दा दलयन्ति ॥" ત્રણસે ક્રોડ એટલે ત્રણ અબજ, અાસી (૮૮) કોડ, અને એશી લાખ સુવર્ણ મુદ્રાઓ વાર્ષિક દાન માટે તેમને ઘેર પહોંચાડે છે. તીર્થંકર પ્રભુની કેટલી પ્રબળ પુન્નાઈ છે. મહાન પુણ્યના થેક ભેગા થાય ત્યારે જીવ તીર્થકર નામકર્મ બાંધે છે. એ બધી પુન્નાઈ તીર્થકરના ભવમાં ખપાવવાની હોય છે, એટલે તીર્થકરને વર્ષીદાન માટે તેમના પિતાના ભંડારમાંથી ધન કાઢવું પડતું નથી. દેવે તેમના ભંડારમાં ભરી જાય છે. આ ધન આપવા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy