SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૧ શારદા સુવાસ બધી કેમ વ્યાપી ગઈ ? સુખની સામગ્રી હોવા છતાં સુખની અનુભૂતિ કેમ થતી નથી! જ્ઞાની પુરુષે કહે છે કે આને જવાબ એક જ છે કે આજે સુખને રાગ વધ્યો છે, એ રાગમાંથી લેભ જન્મે છે અને એ લેજમાંથી એના પ્રતિપક્ષી દુઃખને વેષ અને દુઃખ કદી ન આવે એ ભય ઉભો થયો છે. દુનિયાને નિયમ છે કે જેને રાગ એને લેભ અને જેને દ્વેષ એને ભય છે. સુખને રાગ છે માટે સુખને લેભ છે, અને દુઃખ પ્રત્યે ઠેષ છે માટે દુઃખને ભય છે. જ્યાં રાગ, દ્વેષ, લેભ અને ભયના ચાર ચાર સાણસા વચ્ચે જીવ સપડાઈ ગયું હોય ત્યાં શાંતિ ક્યાંથી મળે? સાચું સુખ મેળવવું હોય તે તેને માટે એક જ ઉપાય છે કે સુખ પ્રત્યેને રાગ અને દુઃખ પ્રત્યે દ્વેષ એ બંનેને ઘટાડે. એને ઘટાડયા વિના સાચું સુખ, શાંતિ અને સમાધિ નહિ મળે. આપણા અધિકારના નાયક નેમકુમાર સાચું સુખ, શાંતિ અને સમાધિ પ્રાપ્ત કરવા માટે રામતીને છોડીને ચાલ્યા ગયા, ત્યારે બીજી તરફ એમના નાના ભાઈ સંસારમાં સુખ માનીને રાજમતીને પરશુવાની ઈચ્છાથી ત્યાં આવ્યા. પહેલાં તે જેમતીની સાથેની વાતચીત ઉપરથી એમ લાગ્યું કે મારી સાથે લગ્ન કરવાને સ્વીકાર કરશે પણ જ્યારે પોતે લાવેલા પીણાને રાજેસતીએ પીધું ને તરત જ ઔષધિના પ્રયોગથી સોનાના રત્નજડિત કિમતી વાસમાં મીટ કરી ત્યાં રહનેમિને ક્રોધ ફાટી નીકળે. લાલપીળો થઈ ગયો કે આને મીટ કરવાની ક્યાંય જગ્યા ન મળી કે મારા કિંમતી ગણાસમાં કરવા બેઠી? આટલેથી પત્યું નહિ તે પાછી રાજેતી રહનેમિની સામે ગ્યાસ ધરીને કહે છે આ પી જાઓ, એટલે એને ક્રોધ વિશેષ પ્રમાણમાં ભભૂકી ઉઠયો ને કહ્યું તમે મારા પ્રેમની પરીક્ષા કરવાને આ ઉપાય છે. બીજે કઈ ઉપાય ન જડે? રાજેએ કહ્યું પણ એમાં શી મોટી વાત છે? વમલે પદાર્થ છે તેથી શું થઈ ગયું? છે તો એ જ ને કે જે તમે લાવ્યા છે અને તમને વિશેષ પ્રિય છે. તેને રૂપ, રંગ કે સ્વાદમાં કંઈ વિશેષ ફરક પડયો નથી, કારણ કે એ તે ફક્ત મારા પેટ સુધી જ ગયે હતું અને એ જ રીતે બહાર નીકળી ગયો છે. રથનેમિએ કહ્યું તમે પીધે તે જ તે પદાર્થ બહાર નીકળ્યો પણ અંતે છે તે વમન કરેત જ ને ? જવાબમાં રાજે મતીએ કહ્યું કે તમને જે પ્રિય હતું તે તમે લાવ્યા ને મેં પ્રેમથી પીધું. હવે હું પણ તમને પ્રિય છું તે જે તમને પ્રિય છે. જેની સાથે વિવાહ કરવા તમે ઉત્સુક બન્યા છે તેને વમન કરેલે પદાર્થ પી એ કંઈ મુકેલ કામ નથી. રથનેમિએ કહ્યું તમે એમ શા માટે કહે છે ? જેમતીએ કહ્યું-હું એટલા માટે કહું છું કે જે રીતે આ પદાર્થ મારા વડે વમન કરાયેલ છે તે જ રીતે હું પણ આપના પેટાભાઈ દ્વારા તજાયેલી છું, છતાં તમે મારા પ્રત્યે ખૂબ પ્રેમ રાખે છે. મને તમારા ભાઈ એ ત્યાગેલી છે, છતાં તમે અપનાવી લેવા તૈયાર છે તે પછી આ પદાર્થો
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy