SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર સુવાસ અન્યાય, અનીતિ અને અત્યાચાર કરે છે ને પાપ માંધે છે, બુદ્ધિ પણ મેાટાઈનુ કારણુ નથી, કારણ કે ઘણાં માણુસા પેાતાની બુદ્ધિ દ્વારા ભલા ને ભેળા મનુષ્યને શીશામાં ઉતારી ૐ છે, દુ:ખ આપે છે. આ રીતે શારીરિક બળ, ધન-વૈભવ કે બુદ્ધિના કારણે કોઈ માણુસ માટેા કહેવાતા નથી પણ જ્ઞાનીની દૃષ્ટિએ તે જેનામાં દયા છે, સક્રુિષ્ણુતા છે, સહૃદયતા છે તથા બીજાના દુઃખે દુઃખી છે, દુઃખીયાના દુઃખ જોઇને તેને સુખી બનાવવાના સ્વભાવ છે, જે પેાતાના હિત માટે ખીજાનું અહિત નથી કરતે અને જેની ષ્ટિ પાપથી બચવાની છે તે જ મહાન પુરૂષ છે, પછી ભલે તે ખળ-બુદ્ધિસ'પન્ન ન હાય પણ તેનામાં ઉપરોક્ત ગુણા હાય તેા તેની ગણના મહાનપુરૂષામાં થાય છે, આપણા અધિકારના નાયક તેમકુમાર કઈ સામાન્ય કે સાધારણ પુરૂષ ન હતા કે જેએ લગ્નના આન ંદમાં યા, કરૂણા, અહિંસા કે સક્રુિષ્ણુતાને ભૂલી જાય. કરૂણાનું મહત્વ ખતાવવા માટે અને જગતના જીવાને અહિંસાનુ` સ્વરૂપ સમજાવવા માટે જ તેમણે લગ્નના વિરોધ કર્યાં ન હતેા, એટલે આવે! જીવરક્ષાને અમૂલ્ય પ્રસંગ તેએ કેમ ભૂલે ! લગ્નના આનંદમાં તેઓ આ પ્રસગને ભૂલી જાત તેા મહાનપુરૂષમાં તેમની ગણુના ન થાત અને આપણે તેમના આટલા બધા ગુણગાન પણ ન ગાત. આ તરફ રાજેમતી તેારણે આવતા તેમકુમારના સામે અનિમેષ દૃષ્ટિથી જોઈ રહી હતી. જાન ઘણી મેટી અને સુોભિત હતી. જાનૈયા ઘણુ હતા પણ રામતીની દૃષ્ટિ કોઇના તરફ નથી. સખીએ તેની મજાક ઉડાવતાં કહે છે સખી ! તું તે નમકુમારને જોવામાં જ મુગ્ધ બની ગઈ છે પણ આ જાન તે જો. કેટલી માટી જાન આવી છે! જાનની શેાભા કેટલી સુંદર દેખાય છે! પણ જેમ રાધાવેધ કરનારની દૃષ્ટિ જે વીધવાનુ હાય છે તે તરફ જ કેન્દ્રિત થઈ જાય છે. એ બીજા કોઈની તરફ લક્ષ રાખતા નથી, તેમ રાજેમતી એની સખીને કહે છે કે મારે જેમની સાથે જોડાવાનુ છે. તેમના સિવાય ખીજા તરફ દ્રષ્ટિ પણ શા માટે કરવી જોઈએ? એ તે નેમકુમારને જોઇને ભાવિના સુખની અનેકવિધ કલ્પનાએ કરી રહી હતી પણ એનું ભાવિ જુદી જ આગાહી આપતુ હતુ. એકદમ એની જમણી આંખ અને જમણુ અંગ ફરકવાથી તે ઉદાસ ખની ગઇ, તેથી સખીઓ કહે છે મહેન! આ તારા ખોટા ભ્રમ છે. અંગ ફરકવુ' એ તે શરીરના સ્વભાવ છે. તું ચિંતા છોડીને આનંદમાં આવી જા, એમ સમજાવવા લાગી. આ તરફ તેમકુમાર હાથી ઉપર બેસીને લગ્નમંડપ તરફે આવી રહ્યા છે. ત્યાં પખીએ ગગનભેદી નાદ સાંભળીને ધ્રુજી ઉઠયા, અને ભયના માર્યા આક્રંદ કરવા લાગ્યા. પશુ પક્ષીએના દિલમાં એ ત્રણ પ્રકારનું દુ:ખ હતુ. આ પશુ પક્ષીએને જંગલમાંથી પકડીને લાવ્યા ત્યારે કંઈકનો માતાએ રહી ગઈ ને બચ્ચાને પકડી લાવ્યા. કઈકના માતા-પિતાને પકડી લાવ્યા તે અચ્ચા જંગલમાં રહી ગયા હતા, એટલે તે કાળા કલ્પાંત કરતા હતા,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy