SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ રાજા મારી માંગણી પ્રેમપૂર્વક પૂરી કરશે. આનંદપૂર્વક ઉગ્રસેન રાજાએ કૃષ્ણજીને કહ્યું છે યાદવરાજ ! આપે મારું ગૌરવ વધારવા માટે જ મારી પાસે રાજેમતીની માંગણી કરી છે, અને આપ પોતે જ તે માટે યાચક બનીને આવ્યા છે, અને તે પણ ચરમશરીરી અરિષ્ટનેમિ માટે જ ખરેખર, આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેનું વર્ણન થઈ શકે તેમ નથી. આપ અરિષ્ટનેમિ માટે રાજેમતીની માંગણી કરે ને હું તેને અસ્વીકાર કરું એ કેમ સંભવિત હાય ! આ સુગ કણ ચૂકે? ચૂકે તે મૂર્ણો ગણાય. આમ તે નેમકુમાર સાથે રાજેમર્તાના વિવાહ કરવાની અમારી ઘણા વખતથી ઈચ્છા હતી પણ અમે સાંભળ્યું હતું કે કેમકુમાર વિવાહ કરવાને સ્વીકાર કરતા જ નથી, તેથી અમે કહેણ મોકલ્યું નહીં પણ મારા પરમ સદ્ભાગ્યે મને આ દુર્લભ સુગ આપવા માટે આપે પિતે જ પધારવાની કૃપા કરી છે તે આપની યાચન મારે તરત જ પૂરી કરવી જોઈએ, જો કે રાજેમતી આ બાબતમાં હા જ પાડશે પણ મારી ફરજ છે કે મારે એની સંમતિ લેવી જોઈએ, બીજા કુટુંબીજની ઉપેક્ષા કરું પણ આ બાબતમાં રાજેમતીની ઈચ્છા જાણ્યા વિના હું આપની માંગણીને સ્વીકાર કરી લઉં તે રાજેમતીને ઘોર અન્યાય કરવા સમાન છે. ગમે તેવું ઘર અને વર સુંદર હોય છતાં કન્યાની ઈચ્છા તે જાણવી જ જોઈએ. મને પૂર્ણ વિશ્વાસ છે કે રાજેમતીના વિવાહ નેમકુમાર સાથે કરવામાં મારું આખું કુટુંબ સહમત થશે ને રાજેતી પણ નેમકુમાર જેવા પતિને પ્રાપ્ત કરવામાં પિતાને સદ્ભાગી માનશે, છતાં હું તેની ઈચ્છા જાણ્યા વિના આપને ચેકકસ જવાબ આપી શકું નહિ. આપ ડીવાર બેસે. હું સૈની સંમતિ લઈને ચકકસ જવાબ આપું છું. કૃષ્ણજીએ કહ્યું આપની વાત બરાબર છે. આપ ખુશીથી આ બાબતમાં બધાની સંમતિ લઈ વિચાર કરીને મને જવાબ આપજે. હવે ઉગ્રસેન રાજા અંતેઉરમાં જઈને રામતી તેમજ તેની માતા વિગેરેની સંમતિ લઈને કૃષ્ણજીને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર: રામસેનકુમારની જાન ચંપાપુરથી નીકળીને ૩ દિવસમાં વિયપુરની નજીક આવી એટલે ચંદ્રસેન રાજાને ખબર આપી, તેથી ખુદ મહારાજા ઘણાં માણસને સાથે લઈને સામા આવ્યા અને એક સુંદર બગીચામાં જાનને ઉતારો આપે. રાજા જાનની શેભા જોઈને ખુશ થયા પણ જમાઈને જોઈને દિલમાં દુઃખ થયું કે મેં જિનસેનકુમારની જેવી પ્રશંસા સાંભળી હતી તે આ કુમાર નથી, એટલે જે સામંતે ઉંટની સાથે હતા તેમને બોલાવીને રાજાએ પૂછ્યું કે મારા ઉંટને ઘેરી લેનાર કોણ કુમાર છે? તમે મને જહદી કહે, એટલે સામતેએ હાથ જોડીને કહ્યું સાહેબ! આ જાનને આગેવાન જિનસેન કુમાર છે અને વરરાજા બનીને પરણવા આવ્યું છે તે રામસેનકુમાર છે. આ સાંભળીને રાજાને આનંદ ઉડી ગ અને જાનને બગીચામાં રોકીને પિતાના મહેલમાં આવ્યા. આ તરફ આખા નગરમાં ખબર પડી કે જાન બગીચામાં આવી ગઈ છે એટલે નગરજનેના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy