SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શારદા સુવાસ એમ છે કે કેમકુમાર વિવાહ કરવાની કઈ રીતે હા પાડતા જ નથી. કાકા-કાકીએ ખૂબ સમજાવ્યા પણ એ ના પાડે છે એટલે એ કાર્ય મને સેપ્યું છે. તેથી વિચાર કરું છું કે મારે તેમને કેવી રીતે સમજાવવા ? - સત્યભામાએ કહ્યું સ્વામીનાથ ! આપ ચિંતા ન કરે. એ કામ સ્ત્રીઓનું છે. અમને સેંપી દે. ભલભલા પુરૂષને સમજાવવા તે સ્ત્રીઓનું કામ છે, પણ આપની આજ્ઞા વિના અમે શું કરીએ? કૃણજીએ કહ્યું–દેવી ! તમારી વાત સાચી છે. આ કામ તે તમે જ કરી શકશે. સત્યભામાએ કહ્યું આપ ચિંતા ન કરે. અમે બધી સ્ત્રીઓ ભેગી થઈને નેમકુમારને એવા સમજાવી દઈશું કે તે વિવાહ કરવાની ના પાડી નહિ શકે. મને તે આ કાર્ય સહેજ પણ મુશ્કેલ લાગતું નથી. સત્યભામાના કહેવાથી કૃષ્ણની ચિંતા ઓછી થઈ. હવે સત્યભામા આદિ રાણીએ નેમકુમારનો વિવાહ કરવાની સંમતિ મેળવવા શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર: રામસેનકુમારના લગ્નની વાત ચાલે છે. મદનમાવતી સાથે જિનસેનને બદલે રામસેનની સગાઈ થઈ ગઈ અને લગ્નનું મંગલ મુહૂર્ત પણ જોવાઈ ગયું. ચંદ્રસેન રાજાએ કહેવડાવ્યું કે મારે ખાંડ સાથે મારી પુત્રીને પરણાવવી નથી, માટે મોટી જાન જોડીને ઠાઠમાઠથી વરરાજાને લઈને આવે. ખાંડા સાથે પરણાવવાની હતી તે રનવતીને ચિંતા ન રહેત, પણ આ તે જમાઈને મેકલવાને છે, એટલે રનવતીના મનમાં થયું કે હવે જલ્દી લગ્ન થઈ જાય તે સારું, કારણ એ મનમાં તે સમજે છે ને કે કહેણ તે જિનસેન માટે જ આવ્યું છે પણ મેં કપટથી રામસેનનો સગાઈ કરાવી છે. માટે જલ્દી કામ પતી જાય તે સારું થાય. નહિતર જે કેઈ વાત ફેડનાર મળશે તે મારે રામસેન કુંવારે રહી જશે ને જિનસેન પરણી જશે, તેથી ઉતાવળ કરે છે કે જદી જાનની તૈયારી કરાવે, ત્યારે પ્રધાન, મંત્રી અને સામંતે બધા કહે છે મહારાણીજી ! એમ જાન તૈયાર ન કરાય. જાન તે જેડીએ પણ આગેવાન તે કઈ જોઈશે ને? જે મહારાજા હાજર હત તે કંઈ ચિંતા ન હતી પણ એ તે છે નહિ, માટે જિનસેનકુમારને જાનને આગેવાન બનાવે, આ શબ્દથી રનવતીની પારાશીશી ચઢી ગઈ - કોધથી ધમધમતી રાણુએ પ્રધાન સામે કરેલે પ્રપ” -રાણ ખૂબ ક્રોધે ભરાઈને કહે છે પ્રધાનજી! તમે બધા જિનસેનના જ પ્રેમી છે. એ હવે મને સમજાઈ ગયું. તમને જિનસેન વહાલે છે ને રામસેન અળખામણે છે. એના પ્રત્યે તમને બિલકુલ પ્રેમ નથી પણ પ્રધાનજી ! યાદ રાખજે કે હું કંઈ તમારા બધાની દબાયેલી નથી કે પરાધીન નથી. તમને જિનસેન વહાલું લાગે છે તે મારા રામસેનમાં શું ખામી છે? જિનસેન કરતાં રામસેન કંઈ કમ છે કે તમે જિનસેનને જાનમાં લઈ જવાનું કહે છે? મારે એને નથી લઈ જવે, ત્યારે પ્રધાન વિગેરે માણસેએ રાણીને કહી દીધું કે જે તમારે જિનસેનને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy