SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સર્વાસ અબળાની સાથે નહિ! તું અબળાને સતાવે છે ને કે તું શંખકુમારને ઈચ્છે છે તે શંખકુમાર તારી વહારે કેમ નથી આવતું ? તે દેખ, હું શંખકુમાર પોતે જ છું, અને તારી પાસેથી યશોમતીને લઈ જવા આવ્યો છું. શંખકુમાર અને વિદ્યાધર વચ્ચે કારમી લડાઈ - શંખકુમારને જોઈને યશોમતી ખુશ થઈ ગઈવિદ્યારે પૂછયું કે તું શંખકુમાર છે? તે એની સાથે તું પણ મરવા તૈયાર થઈ જા. શંખકુમારે કહ્યું-માર્યા...માર્યા હવે, એક અબળાનું ચેરની જેમ હરણ કરનાર મને શું મારી શકવાને હતો? તારામાં તાકાત હોય તે થઈ જા તૈયાર હું જોઉં છું કે તું મને કે મારે છે? એમ કહીને શંખકુમારે વિદ્યાધરને મરવા ખગ ઉપાડયું અને વિદ્યારે પણ ખડ્રગ ઉપાડયું. બંને જણ એકબીજાની સામે ખૂબ ઝઝૂમ્યા પણ કઈ કઈને હરાવી શકયા નહિ. લડતા લડતા વિદ્યાધરના બધા શસ્ત્રો ખતમ થઈ ગયા. યશોમતી ઉભી ઉભી બંનેની લડાઈ જેતી હતી ને મનમાં બેલતી હતી કે શંખકુમારને જ વિજય થશે. વિદ્યાધર શંખકુમારની સામે લડી લડીને થાકી ગયો. એની પાસે કેઈ શસ ન રહ્યું ત્યારે તેણે તેની વિદ્યાના બળથી લેખંડને ગળે બનાવીને કુમાર ઉપર ફેં. એ ગળામાંથી અગ્નિના તણખા ઝરવા લાગ્યા, પણ કુમારને અગ્નિન તણખા બાળી શક્યા નહિ. એને તે જાણે પિતાના ઉપર કુલેની વૃષ્ટિ થતી હોય એવું લાગ્યું. એવી રીતે વિદ્યારે ઘણું ગેળા એની ઉપર ફેંકયા, પણ કુમારને કંઈ નુકશાન ન થયું, ત્યારે છેલું એક ધનુષ્ય પડયું હતું તે લઈને વિદ્યાધર એની સામે ઝઝૂમવા લાગ્યા, ત્યારે શંખકુમારે શૂરવીરતાથી એનું ધનુષ્ય તેડી નાંખીને એને ઘાયલ કર્યો. મણિશેખર વિદ્યાધર બેમાન બનીને ધરતી ઉપર પડી ગયે. શંખકુમાર અનુકંપાવાન હતા. વિદ્યાધરને જમીન ઉપર બેભાન પડેલે જોઈને તેને દયા આવી ગઈ. તેને પવન નાંખવા લાગ્યા ને પાણી લાવીને વિદ્યાધરના મેઢા ઉપર છાંટયું. એટલે વિદ્યાધર ભાનમાં આવી ગયે. તમને એમ થશે કે હમણાં જેને મારવા ઉઠે હતે તેને પવન નાંખવા લાગે! ભાઈ! આગળના રાજાએ ન્યાયથી લડતા હતા. અન્યાયની સામે એ ઝઝૂમતા હતા. પહેલા મેટી ખૂનખાર લડાઈઓ થતી હતી. સૂર્યોદય થતાં લડાઈ શરૂ થતી ને સૂર્યાસ્ત પછી લડાઈ બંધ થઈ જતી. રાજા દિવસે લડતા અને રાત્રે એકબીજાની ખબર પૂછવા જતા. જ્યારે રાવણ સીતાજીને હરણ કરીને લંકામાં લઈ ગયે અને રામ સીતાજીને લેવા માટે લંકામાં ગયા ને રાવણ પાસે સીતાજીની માંગણી કરી પણ રાવણે સીતાજીને સીધી રીતે ન આપી ત્યારે રામે રાવણની સામે યુદ્ધ કર્યું. લેકવાણી છે કે રામે રાવણને માર્યો પણ રામે રાવણને નથી માર્યો, લમણે માર્યો છે. રાવણના મરી ગયા પછી રામ અને લક્ષ્મણ એની મશાનયાત્રામાં જોડાયા અને એની નનામી પિતાના ખભે ઉપાડી હતી. એની અંતિમ ક્રિયા કરીને મહેદરીને આશ્વાસન આપવા ગયા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy